By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: 1500 વર્ષ પુરાણું શ્રીવિષ્ણુના દશાવતાર દર્શાવતું મંદિર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

1500 વર્ષ પુરાણું શ્રીવિષ્ણુના દશાવતાર દર્શાવતું મંદિર

Last updated: 2025/05/08 at 8:04 AM
3 months ago
Share
1500 વર્ષ પુરાણું શ્રીવિષ્ણુના દશાવતાર દર્શાવતું મંદિર
SHARE

ભારતમાં અનેક પ્રાચીનતમ મંદિરો જોવા મળે છે, પરંતુ ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં આવેલા ગામ દેવગઢમાં બેતવા નદીના કિનારે આવેલું એક મંદિર છે જે ખૂબ જ પ્રાચીન મંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિર 1500 વર્ષ કરતાં પણ જૂનું છે અને તેને ગુપ્ત શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને લઇને તેથી પણ વિશેષ બાબત એ છે કે, આ મંદિર દશાવતાર ધરાવતું મંદિર છે. ભારતમાં દશાવતારનું મંદિર અન્ય કોઇ જગ્યાએ જોવા મળતું નથી.

ત્રીજી અને છઠ્ઠી શતાબ્દીની વચ્ચે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગુપ્ત શાસકોનું રાજ ચાલતું હતું. અલબત્ત, ઘણાંય ઇતિહાસકારો આ સમયને ભારતના સ્વર્ણિમ યુગ તરીકે પણ ગણાવી રહ્યા છે. આ સમયમાં ભારતમાં વૈજ્ઞાનિકો, રાજકારણ, પ્રશાસન ઉપરાંત સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સારા એવા પ્રમાણમાં વિકાસ થવા લાગ્યો હતો. જેમાં વાસ્તુકલા, મૂર્તિકલા અને ચિત્રકળાનો પણ સમાવેશ થાય છે. આ વાસ્તુકલા, મૂર્તિકલા અને ચિત્રકળાની નોંધ આજે દુનિયાભરમાં પણ લેવાય છે. દશાવતારના આ મંદિરની નોંધ આજે પણ ઇતહાસકારો અને વિશ્વ લઇ રહ્યું છે. આટલાં વર્ષો વીત્યા છતાં પણ મંદિર સામાન્ય જર્જરિત હાલતમાં જોવા મળે છે, પરંતુ તેની કારીગીરી કોઇના પણ મોઢામાં આંગળાં નાખી દે તેવી છે.

પથ્થરો અને ચિનાઇ માટીથી નિર્માણ પામેલું આ મંદિર સન 500ની આસપાસનું છે. આ મંદિરનું મહત્ત્વ એટલું બધું આંકવામાં આવ્યું છે તેનો અંદાજો એ વાત પર લગાવવામાં આવે છે કે, ગુપ્તકાળમાં દેવગઢને એરણ, સાંચી, ઝાંસી, પ્રયાગરાજ, પટણા અને બનારસને જોડતા મુખ્ય રાજમાર્ગ પર સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ આ મંદિર થોડું ખંડિત થવા આવ્યું હતું, પરંતુ ઈ.સ. 1870-71માં ભૌગોલિક મોજણી સમયેે કેપ્ટન ચાર્લ્સ સ્ટ્રેહનની નજર આ મંદિર પર પડી હતી. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના જનક સર એલેક્ઝાન્ડર કનિંઘમ ઈ.સ. 1857માં અહીં આવ્યા હતા અને તેમને ગુપ્તકાળના અભિલેખ મળ્યા હતા. જોકે, તેમને અહીં મંદિરને શું નામ આપવું તે વિશે માહિતી ન હોઇ કનિંઘમે તેનું નામ `ગુપ્ત મંદિર’ રાખી દીધું હતું.

ઈ.સ. 1899માં પુરાત્ત્વવિદ પી.સી. મુખર્જીએ આ વિસ્તારનું વ્યવસ્થિત અને ઊંડાણપૂર્વક સર્વેક્ષણ કર્યું હતું. તેમને આ મંદિરનું નકશીકામ જોતાં ભગવાન વિષ્ણુની છબી નજરે આવી. તેમજ તેમની જાણમાં આવ્યું હતું કે અહીંની દંતકથામાં પણ સાંભળવામાં આવ્યું હતું કે અહીં ભગવાન વિષ્ણુના દસ અવતાર કંડારવામાં આવ્યા છે. જોકે, અહીંના કેટલાક સ્થાનિક લોકો આ મંદિરને `સાગર મઢ’ તરીકે પણ બિરદાવે છે.

આ મંદિરને લઇને આશ્ચર્યની વાત એ છે કે, મંદિરની આસપાસ ખોદકામ કરતાં અહીં ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન નૃસિંહ અને વામન રૂપમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ પણ મળી હતી. ઇ.સ. 1918માં પુરાતત્ત્વવિદ દયારામ સાહનીને મંદિરના પાયાની પાસે કેટલીક પેનલ પણ મળી. અલબત્ત, વધુ ખોદકામ કરતાં મંદિરની ચારેય તરફ નાનાં નાનાં ચોરસ દેવાલયોના અસ્તિત્વનું પણ પ્રમાણ મળ્યું હતું. એક રીતે આ મંદિરને જોઇને ચોક્કસથી કહી શકાય કે, મુખ્ય મંદિરની સાથે સાથે ઉત્તર ભારતમાં પંચાયતન શૈલીનું પ્રારંભિક ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે દશાવતાર મંદિર ઉત્તર ભારતમાં પંચાયતન પ્રકારનું સૌથી પહેલું મંદિર હતું.

દશાવતારના આ મંદિરમાં દેવી-દેવતાઓ ઉપરાંત અન્ય પુરુષ-મહિલાઓની કોતરણી કરેલી મૂર્તિઓ પણ જોવા મળે છે. કેટલીક મૂર્તિઓ મંદિરની દીવાલો પર પણ સ્પષ્ટપણે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ મંદિરની કેટલીક મૂર્તિઓ દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં અને અમદાવાદના લાલભાઈ દલપતરાય સંગ્રહાલયમાં પણ રાખવામાં આવી છે.

મંદિરના દ્વાર પર અન્ય કલાકૃતિઓ પણ જોવા મળે છે. જેમાં ગંગા, યુમના નદીઓની કૃતિઓ જોવા મળે છે. તેમની ઉપર છત્રી કે ઝુમ્મર જેવું જોવા મળે છે અને ગંગા દેવી મગર પર ઊભા છે તેમજ યમુના દેવી કાચબા પર સવાર જોવા મળે છે. મંદિરના નીચેના અને ઉપરના ગૃહમુખ પર બે પુરુષોની કલાકૃતિઓ પણ જોવા મળે છે. આ સિવાય પણ અહીં નૃત્ય કરતી અને સંગીતનાં વાજિત્રો વગાડતી કલાકૃતિઓ પણ જોવા મળે છે. આ કલાકૃતિઓ મંદિરમાં આવતી વ્યક્તિનું સ્વાગત કરવા હેતુ બનાવવામાં આવી હોય એવું અનુમાન લગાવવામાં આવે છે. મંદિરની અંદર બહાર અન્ય મૂર્તિઓ જોવા મળે છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ખાસ કરીને ગજેન્દ્ર (હાથ) મોક્ષ, નર અને નારાયણનું પ્રાયશ્ચિત્ત અને શેષનાગના સાત ફેણની નીચે સૂતેલા ભગવાન વિષ્ણુ જોવા મળે છે.

ગર્ભગૃહના સ્તંભ ઉપરની દીવાલો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ કંડારવામાં આવેલી જોવા મળે છે. તેની પાસે જ ભગવાન શિવ-પાર્વતી અને ઈન્દ્રદેવની મૂર્તિઓ જોવા મળે છે. સાથે સાથે ભગવાન કાર્તિકેય, ભગવાન ગણેશ ઉપરાંત સૃષ્ટિ રચયિતા ભગવાન બ્રહ્મા અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ જોવા મળે છે.

આ મંદિરમાં મહાભારત, રામાયણની ઘટના દર્શાવતી પેનલ્સ પણ જોવા મળે છે. જેમાં લક્ષ્મણ દ્વારા સૂર્પણખાની નાક કાપતી ઘટના તેમજ અશોકવાટિકામાં સીતા સમક્ષ રાવણનો વાદ-સંવાદ જોવા મળે છે. આ સાથે અન્ય પેનલમાં ભગવાન કૃષ્ણજન્મ અને તેમના દ્વારા કંસને વાળથી પકડીને જતા ઉપરાંત સુદામાનું સ્વાગત કરતા ભગવાન કૃષ્ણ દૃશ્યમાન થાય છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ
ધર્મ

નાગપંચમી : પૌરાણિક મહત્ત્વ અને પૂજાવિધિ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Beauty Tips : વરસાદી સિઝનમાં ત્વચાની રાખો સંભાળ, ખીલની સમસ્યા દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
6,6,6 વોકિંગ રૂલ વજન ઘટાડવાનો કારગર ઉપાય, જાણો શું છે આ રૂલ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?