- 22 જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યામાં રામલલ્લાના અભિષેક
- શિવનગરી કાશીમાં મુસ્લિમોના ઘરો રામ જ્યોતિથી ઝળહળી ઉઠશે
- કાશીમાં લગભગ 150 મુસ્લિમ પરિવારો રામજ્યોતિ પ્રજ્વલીત કરશે
22 જાન્યુઆરીએ રામ મંદિર અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક દરમિયાન પ્રગટાવવામાં આવનારી રામ જ્યોતિ દેશભરના અનેક ઘરોને રોશન કરશે. આ રામ જ્યોતિ માત્ર હિંદુઓના ઘરને જ રોશન કરશે નહીં, પરંતુ મુસ્લિમોના ઘરોમાં પણ તે રોશની કરશે. ખાસ કરીને શિવનગરી કાશીમાં મુસ્લિમોના ઘરો રામ જ્યોતિથી ઝળહળી ઉઠશે અને આ રામ જ્યોતિને અયોધ્યાથી કાશી લઈ જવાની જવાબદારી રામલલાના પ્રખર ભક્તો ડૉ.નાઝનીન અંસારી અને ડૉ.નજમા પરવીનને આપવામાં આવી છે.
કાશીમાં લગભગ 150 મુસ્લિમ પરિવારો રામજ્યોતિ પ્રજ્વલીત કરશે
રામ જ્યોતિની સાથે બંને અયોધ્યાથી રામ મંદિરની પવિત્ર માટી અને સરયૂ નદીનું પવિત્ર જળ પણ લાવશે. ડો.નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને ડો.નજમા પરવીન ભારતીય અવમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ આજે અયોધ્યા જવા રવાના થયા છે. અયોધ્યામાં સાકેત ભૂષણ શ્રી રામ પીઠના વડા મહંત શમ્મુ દેવાચાર્ય તેમને રામ જ્યોતિ અર્પણ કરશે. કાશીમાં લગભગ 150 મુસ્લિમ પરિવારો 22 જાન્યુઆરીએ રામજ્યોતિનો ઉપયોગ કરીને દીવા પ્રગટાવશે.
મેરે ઘર રામ આયે હૈ…
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક સમારોહ માટે ભીડ એકઠી કરવામાં ભાજપ કોઈ કસર છોડી રહી નથી. બીજી તરફ બિહારનું પટના શહેર રામમય બની ગયું છે, કારણ કે બીજેપી પાર્ટીના કાર્યકરો ઘરે-ઘરે જઈને લોકોને અયોધ્યા રામ મંદિરની મુલાકાત લેવા આમંત્રણ આપી રહ્યા છે. જે લોકો અયોધ્યા આવી શકતા નથી તેઓને 22 જાન્યુઆરીએ પોતાના ઘરે દીવા પ્રગટાવીને તહેવાર ઉજવવાની અપીલ કરવામાં આવી રહી છે.


