વજીબેન ગોલતર અને દેવુબેન જાદવના પરિવારના અને નીકટના લોકોના નામ નીકળ્યા
જો મનપાએ સોગંદનામુ લીધુ હોત તો ફોજદારી ફરિયાદ કરી બંનેની ધરપકડ પણ કરી શકાઇ હોત
રાજકોટના ગોકુલનગર આવાસ યોજનામાં મનપાના બે કોર્પોરેટર વજીબેન ગોલતર અને દેવુબેન જાદવે મનપા તંત્રના અધિકારીઓના સહયોગથી આવાસ કૌભાંડ આચર્યુ હતું તે પ્રકાશમાં આવી જતાં તંત્રને ફરજીયાત કાર્યવાહી કરવી પડી છે. આ કૌભાંડના વટાણા વેરાઇ જતાં મનપા તંત્રએ અને ભાજપે ડેમેજ મેનેજમેન્ટ હાથ ધર્યુ છે. જેમાં આવાસ કૌભાંડમાં ૨3 ફલેટની ફાળવણી રદ કરી છે અને ૧૪ ફલેટની ફાળવણી પહેલા પુન: ચકાસણી કરવામાં આવશે. જો કે બીજા લાભાર્થીને આ કૌભાંડથી નુકશાન નહી જાય તે પગલુ આવકારદાયક છે.
મનપા તંત્રએ કૌભાંડીયાઓના ફલેટ રદ કર્યા તેની યાદી
૧. જાદવ મનસુખ નાથુ
૨. જાદવ જેન્તી નાથુ
3. જાદવ પરસોત્તમ નાથુ
૪. જાદવ ધનજી નાથુ
૫. જાદવ કેશુ નાયુ
૬. સાકરિયા પ્રાગજી નાથુ
૭. રાઠોડ મેહુલ લીલા
૮. ગોલતર રૂપીબેન લીલા
૯. ગોલતર લોલુબેન ઔધણ
૧૦. રાઠોડ અજીબેન નાગજી
૧૧. ગોલતર દિનેશ નાગજી
૧૨. ગોસ્વામી કાજલબેન ધર્મેન્દ્રગીરી
૧3. ગોસ્વામી ગોરીબેન કાલુપુરી
૧૪. ગોસ્વામી નીમુબેન શંભુગીરી
૧૫. તલસાણિયા ધીરૂ કરશન
૧૬. હુંબલ વીરા રતા
૧૭. ફાંગલિયા નાથીબેન ઈન્દુ
૧૮. કાટોળિયા લાખુબેન ઘેલા
૧૯. ઝાપડા ગોકુળ નાજા
૨૦. પરમાર દેવજી ચના
૨૧. ઠુંગા ભરત લખુ
૨૨. ચારોલિયા સંગીતાબેન રમણીક
૨3. કળોતરા રઘુ પાંચા
આ શંકાસ્પદ લાગતા ફલેટની પુન: ચકાસણી થશે
૧. જાદવ ભાનુબેન
૨. ગોલતર કાળા જશા
૩. ડાભી દિનેશ બાબુ
૪. ડાભી દીપક દિનેશ
પ. મનસુખ જાદવ સોલંકી
૬. રાહુલ આર સોલંકી
૭. પનારા સંજય ગોરધન
૮. પરમાર પોલા અમરા
૯. ગળચર ગોવિંદ વીરા
૧૦. સાતીબેન જેઠાં ગળચર
૧૧. જેહા વીરા ગળચર
૧૨. બાલુબેન ડાયા રાઠોડ
૧3. ટાટમિયા મેરૂ સાતમ
૧૪. ભરત રામજી જાદવ
રદ થયેલા આવાસોનો ફરી ડ્રો કરાશે
ગોકુલનગરમાં ફરી જે આવાસો આલી પડશે. તેનો ત્રીજી વખત ડ્રો કરવાની સ્થિતિ સર્જાશે. જે માટે ફરીથી સરવે કરાશે કે પછી હથાત સરવેમાંથી જ અપાશે તે અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી લેવાશે. આ રીતે જોતા માત્રને માત્ર કવા ગોલતર અને મનસુખ જાદવને કારકણે નવેસરથી ડ્રો કરવામાં આવશે.


