By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો

agragujaratnews
Last updated: 2023/10/18 at 11:30 AM
2 years ago
Share
NDA vs UPA : છેલ્લા 9 વર્ષમાં પૂંજીપતિઓના 25 લાખ કરોડ માફ, RTIમાં ચોંકાવનારો ખુલાસો
SHARE

25 lakh crore of capitalists waived off in last 9 years | છેલ્લા નવ વર્ષ દરમિયાન સરકારી અને ખાનગી બેન્કોએ પૂંજીપતિઓની 25 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે. આરટીઆઈ (RTI Reply By RBI) હેઠળ ખુદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જ આ પ્રકારની સત્તાવાર માહિતી અપાઈ છે. ઉદ્યોગપતિઓએ લીધેલી લોન પરત નહી થતા બેન્કોએ તેના ચોપડે એનપીએ દેખાડ્યા બાદ આખરે તેને રાઈટ ઓફ કરી દીધી છે. જેને પગલે એવી આશંકા છે કે, આગામી સમયમાં હજુ વધુ લોનને માફ કરી દેવાશે. આશ્ચર્યની વાત એ છે કે, RBIએ ડિફોલ્ટરોના નામોની યાદી આપી નથી.

RBIએ આરટીઆઈમાં આપેલી માહિતીથી થયો ખુલાસો 

સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવાએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી RTI હેઠળ છેલ્લા નવ વર્ષ દરમિયાન વિવિધ બેન્કોએ કેટલી લોનને માફ કરાઈ તેની માહિતી માગી હતી. RBIએ આ સંદર્ભમાં જે સત્તાવાર જવાબ આપ્યો છે તે જોઈને ભલભલાની આંખો પહોળી થઈ ગઈ છે. NDA સરકાર-1 અને 2ના 2014-2015થી 2022-2023 સુધીના 9 વર્ષના સમયગાળામાં ભારતભરની સરકારી બેંકો દ્વારા રૂ. 10 લાખ 41 હજાર 966 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 14 લાખ 53 હજાર 114 કરોડ મળીને ફુલ રૂ.24 લાખ 95 હજાર 080 કરોડ એટલે કે 25 લાખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ છે.

પૂંજીપતિઓની સૌથી વધુ લોન રાઈટઓફ કરાઈ 

રાઈટ ઓફ કરી દેવાયેલા 25 લાખ કરોડમાં સામાન્ય નાગરિકો, ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોનની રકમ ખુબ જ ઓછી છે. પૂંજીપતિઓ જે લોકો કરોડોની લોન લઈને દેશમાંથી ભાગી જનારાઓની લોનની રકમ આ રાઈટઓફમાં સોથી વધુ છે. રિઝર્વ બેંક દ્વારા ધિરાણકર્તાઓને ક્રેડિટ ડેટા એકત્રિત-સંગ્રહ અને પ્રસારીત કરવા માટે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC)ની સ્થાપના કરાઈ છે. શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા જૂન-2023 સુધી CRILCમાં રિપોર્ટ કરવામાં આવેલ 5 કરોડથી વધારાની રકમની રાઈટ ઓફ કરાયેલા એકાઉન્ટની સંખ્યા 3973 છે.

લોનની રિકવરીની રકમ ઓછી, વસુલાત માટે ઢીલી કાર્યવાહી

શેડયુલ્ડ કોમેર્શિયલ બેંકો દ્વારા 2014-2015થી 2022-2023 સુધીના 9 વર્ષમાં રાઈટ ઓફ કરવામાં આવેલ 25 લાખ કરોડ પૈકી 2 લાખ 4 હજાર 673 કરોડ રૂપિયા રિકવર એટલે કે પરત મેળવ્યા છે. એટલે ફુલ 25 લાખ કરોડમાંથી 10 ટકાની રકમ રૂ. 2.5 લાખ કરોડની રિકવરી થઇ છે. આ આંકડાઓ જોતા એવું લાગી રહ્યું છે કે, બેન્કો રિકવરી કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે. વસુલાત માટે કડક કાર્યવાહી થતી નથી. 

સામાન્ય માણસોને બેન્કો છોડતી નથી અને પૂંજીપતિઓ સામે કોઈ કાર્યવાહી નહીં… 

25 લાખ કરોડની લોન માફ કરાયાના આંકડા બહાર આવ્યા બાદ લોકો સોશિયલ મીડિયા પર ભારે આકરા શબ્દોમાં આક્રોશ કાઢી રહ્યા છે. તેઓ મેસેજમાં લખે છે કે, જો સામાન્ય માણસની 10 હજારની લોન બાકી હોય અથવા તો 5 લાખની લોનના બે હપ્તા બાકી હોય તો પણ બેન્ક તેના માથાભારે રિકવરી એજન્ટોને મોકલીને ત્રાસ આપે છે. પરંતુ ઉધોગપતિઓ પાસેથી રિકવરી કરવામાં તેઓ બેવડું વલણ દાખવી રહ્યા છે. જેથી શંકા થાય છે કે, રાજકીય નેતાઓ, બેન્કોના ઉચ્ચ અધિકારીઓની મિલિભગત વગર આ શક્ય નથી. જનતા જ્યાં સુધી જાગૃત નહી થાય ત્યાં સુધી આ સ્થિતિ દૂર થઈ શકશે નહી.

આ રકમ UPA સરકારમાં રાઈટ ઓફ થયેલી રકમથી 810 ટકાથી વધુ 

UPA સરકાર-1 અને 2 મળીને રાઈટ ઓફ કરાયેલી રકમથી 810 ટકાથી પણ વધુ છે. UPA સરકાર-1 અને 2 મળીને 2003-2004થી 2013-2014 સુધીના 11 વર્ષના સમયયમાં સરકારી બેંકો દ્વારા રૂ. 1 લાખ 58 હજાર 984 કરોડ અને અને શેડયુલ્ડ કોમેર્શીયલ બેંકો દ્વારા રૂ. 2 લાખ 17 હજાર 128 કરોડ મળીને ફુલ રૂ.3 લાખ 76 હજાર 112 કરોડ એટલે કે 3.76 લખ કરોડ રૂપિયાની NPA થયેલ લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ હતી. જ્યારે UPA સરકાર-1 અને 2 મળીને 2003-2004થી 2013-2014 સુધીના 11 વર્ષ સમયમાં વાર્ષિક 34 હજાર 192 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ હતી. NDA સરકાર-1 અને 2 મળીને 2014-2015થી વર્ષ 2022-2023 સુધીના 9 વર્ષ સમયમાં વાર્ષિક 2 લાખ 77 હજાર 231 કરોડની લોનની રકમ રાઈટ ઓફ કરી દેવાઈ છે. એટલે કે UPA સરકાર 11 વર્ષમાં રાઈટ ઓફ કરાયેલી લોનની રકમ NDA સરકાર ફક્ત 17 મહિનામાં જ રાઈટ ઓફ કરી દીધી છે. અર્થશાસ્ત્રીઓનુ માનવુ છે કે, આ રકમ ભારતના અર્થ વ્યવસ્થાને વેરવિખેર કરી નાખવા માટે પૂરતી છે.



You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
રાજકોટ

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

Editor By Editor 2 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?