ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી છ દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મિડીયા સામે આવ્યા છે,જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોગ્રેસ નેતા,પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કર્યા છે,કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવાનો હતો.મને કોગ્રેસના નેતાઓ બુથની માહિતી પણ આપતા ન હતા,પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા,હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા. તો બીજી બાજુ કચ્છ લોકસભા બેઠક ગુજરાતની મોટી લોકસભા બેઠક માનવામાં આવે છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને જ્યારે કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વધુ વાંચો: નિલેશ કુંભાણીનો સંદેશ ન્યૂઝ પર EXCLUSIVE ખુલાસો
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે,જેમાં સુરતના રાજનેતા એવા નિલેશ કુંભાણી છ દિવસ બાદ વિડીયો વાયરલ કરીને મિડીયા સામે આવ્યા છે,જે વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેમણે કોગ્રેસ નેતા,પ્રતાપ દૂધાત સામે આક્ષેપ કર્યા છે,કુંભાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવા માટે જવાનો હતો.મને કોગ્રેસના નેતાઓ બુથની માહિતી પણ આપતા ન હતા,પ્રતાપ દુધાત મારો ફોન ઉપાડતા ન હતા,હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું.હુ કોગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં હતો પણ મારી વાત કોઈએ માની ન હતી.તો એક પણ નેતાઓ મારા પ્રચારમાં કે સભામાં આવ્યા ન હતા.
વધુ વાંચો: Loksabha Election: કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
કચ્છ લોકસભા બેઠક ગુજરાતની મોટી લોકસભા બેઠક માનવામાં આવે છે. ત્યારે કચ્છ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને જ્યારે કોંગ્રેસ યુવા નેતા નિતેષ લાલણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વધુ વાંચો: Morbi News : મેઈન્ટેનન્સના કારણે મચ્છુ 3 ડેમમાંથી પાણી નદીમાં છોડાયું
મચ્છુ 3 ડેમમાં મેઈન્ટેનન્સ કામગીરી હાથ ધરવાની થતી હોવાથી મચ્છુ 3 ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી પાણીને નદીમાં જવા દેવાની શરૂઆત કરાવમાં આવી છે.ડેમ ઉલેચવાનું કામ ત્રણ દિવસ ચાલશે.મોરબી શહેર નજીક આવેલા સિંચાઇના મહત્વના એવા મચ્છુ 3 ડેમમાં આગામી સપ્તાહથી દિવસમાં ડેમના દરવાજા તેમજ અન્ય રીપેરિંગ કામગીરી હાથ ધરાશે જેથી સિંચાઇ વિભાગની ટેકનિકલ ટીમ દ્વારા આ કામગીરીને ધ્યાને લઇ ડેમ ખાલી કરવાની જરૂરિયાત ઊભી થતાં આજે સવારે 8 વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યુ હતુ અને જે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. પાણી છોડવાના કારણે ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 13 ગામ અને માળિયા તાલુકાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.
વધુ વાંચો: ક્ષત્રિય સમાજમાં આક્રોશ: રૂપાલા બાદ ભાજપના ઉમેદવારોનો વિરોધ શરૂ
બનાસકાંઠાના વડગામમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો છે. તેમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મિટિંગ રદ કરી છે. જેમાં ક્ષત્રિય યુવાનોએ ભરતસિંહની મિટિંગ થવા દીધી ન હતી. તેમાં પોલીસે 10થી વધુ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરી છે.
વધુ વાંચો: Loksabha Election: લોકસભા ચૂંટણીમાં મતદાન કરો અને બિલમાં 7% ડિસ્કાઉન્ટ મેળવો
આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગરના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણીના વેપારીઓ બિલમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
વધુ વાંચો: ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ -2: ધર્મરથના આગેવાનોની વિગત મંગાવી દબાણનો પ્રયત્ન: નિકીબા
ક્ષત્રિય સમાજનું બીજા તબક્કાનું આંદોલન વધુ પ્રબળ બન્યુ છે. જેમાં સરકાર આંદોલન પૂર્ણ કરવાના પ્રયાસમાં છે તેવા ક્ષત્રિય સમાજના આગેવાન નિકીબા રાઠોડના આક્ષેપ છે. નિકીબા રાઠોડે જણાવ્યું છે કે ધર્મરથના આગેવાનોની વિગત મંગાવી દબાણ કરવામાં આવી રહ્યું છે. આંદોલન વ્યક્તિગત નહીં પક્ષ વિરોધમાં શરૂ થયું છે.
વધુ વાંચો: Salman Khan News: આરોપીઓ 4 દિવસના રિમાન્ડ મંજૂર,થઇ શકે છે મોટા ખુલાસા
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે પોલીસે બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓની પોલીસ કસ્ટડીમાં ચાર દિવસનો વધારો કર્યો છે. હવે બંને આરોપી – વિકી ગુપ્તા અને સાગર પાલ 29 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. બંને આરોપીઓ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે.
વધુ વાંચો: Delhi: મનીષ સિસોદિયાને રાહત નહી, 8મે સુધી ન્યાયિક કસ્ટડીમાં
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વધુ એકવાર કોર્ટને ઝટકો લાગ્યો છે. ન્યાયિક કસ્ટડી 8 મે સુધી લંબાવવામાં આવી છે.
વધુ વાંચો: IPLની એડ શૂટ વચ્ચે હાર્દિક પંડ્યાએ પુત્રને એકટિંગનો પાઠ ભણાવ્યો, વીડિયો વાયરલ
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો IPL એડ શૂટનો છે, જેમાં તે પોતાના પુત્રને એક્ટિંગ સમજાવતો પણ જોવા મળી રહ્યો છે. આ કરતા પહેલા હાર્દિકે તેના પુત્રને કિસ પણ કરી હતી. IPL 2024માં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યારે સારી નથી. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.
વધુ વાંચો: કેવી હોવી જોઈએ ભારતની ટીમ, વર્લ્ડકપ વિજેતા ખેલાડીએ આપ્યા મહત્વના સૂચનો
T20 વર્લ્ડકપ 2024 શરૂ થવામાં હવે થોડા અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં દુનિયા માટે ભારતીય ટીમ કેવી હશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ ખેલાડીઓ સતત પોતપોતાની ટીમ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન, 2007 T20 વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા યુવરાજ સિંહે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેણે કહ્યું કે વર્લ્ડકપ માટે ભારતનો વિકેટકીપર કોણ હોવો જોઈએ. આ સિવાય તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય વિશે પણ વાત કરી છે. યુવરાજ સિંહને વર્લ્ડકપ 2024નો એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.


