- CAA કાયદા હેઠળ ત્રણ દેશમાંથી આવેલા લોકોને નાગરિકતા મળશે
- આસામમાં 15 કે 18 કે 20 લાખ કે 1.5 કરોડ અરજદારો નહીં હોય
- બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા સંસદમાં કાયદો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે રાજ્યમાં લગભગ ત્રણથી પાંચ લાખ લોકો CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરજદારોમાં ફક્ત તે જ લોકોને સામેલ કરવામાં આવશે જેમને અપડેટેડ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)માંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે રાજ્યમાં લગભગ ત્રણથી પાંચ લાખ લોકો CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે અરજી કરશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરજદારોમાં ફક્ત તે જ લોકોને સામેલ કરવામાં આવશે જેમને અપડેટેડ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)માંથી બાકાત રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે 7 લાખ મુસ્લિમો અને 5 લાખ હિંદુ-બંગાળીઓને NRC યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
સીએમએ ટીવી એક ચેનલને આપ્યો ઈન્ટરવ્યુ
મુખ્યમંત્રીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ઘણા હિંદુ-બંગાળીઓ અલગ-અલગ સમયે આવ્યા હતા અને શરણાર્થી શિબિરોમાં રહ્યા હતા. જ્યારે તેઓએ NRCમાં સામેલ થવા માટે અરજી કરી, ત્યારે તેઓએ આવા કેમ્પમાં તેમના રોકાણના પુરાવા તરીકે સ્ટેમ્પ પેપર સબમિટ કર્યા. સીએમએ કહ્યું કે પ્રતીક હજેલા (ભૂતપૂર્વ NRC રાજ્ય સંયોજક) એ પેપર સ્વીકાર્યું ન હતું. જે બાદ ઘણા હિન્દુ-બંગાળીઓના નામ NRCમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.
CMએ જણાવ્યું કે કેટલા લોકો ભાગ લેશે
મુખ્યમંત્રી શર્માએ કહ્યું કે NRCમાં સામેલ થવા માટે અરજી કરનારા 5 લાખ હિંદુ-બંગાળીઓમાંથી ઘણા લોકો નાગરિકતા (સુધારા) અધિનિયમ 2019 હેઠળ અરજી સબમિટ કરશે, જ્યારે અન્ય ઘણા લોકો કાનૂની સહારો લેશે. સીએમએ દાવો કર્યો હતો કે NRCમાંથી બાકાત કરાયેલા અરજદારોમાં દાસ (અટક), ‘કોચ-રાજબોંગશી’ (સમુદાય) અને 1.5 લાખ ગોરખા જેવા 2 લાખ આસામીઓનો પણ સમાવેશ થાય છે.
CAA હેઠળ ત્રણથી પાંચ લાખ અરજીઓ આવશે
CMએ કહ્યું કે CAA હેઠળ ત્રણથી પાંચ લાખ અરજીઓ આવશે, જેમાં 10 ટકા ભૂલની સંભાવના હશે. આસામમાં 15 કે 18 કે 20 લાખ અથવા 1.5 કરોડ અરજદારો નહીં હોય. આટલા લાંબા સમય સુધી રાજનીતિમાં રહ્યા બાદ રાજ્ય પર મારી પકડ ઘણી મજબૂત બની છે.
કેન્દ્રએ માર્ચની શરૂઆતમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 ઘડ્યો હતો
NRC 31 ઓગસ્ટ, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પ્રકાશિત કરવામાં આવી હતી અને 3.4 કરોડ અરજદારોમાંથી, 19 લાખને બાકાત રાખવામાં આવ્યા હતા. કેન્દ્રએ માર્ચની શરૂઆતમાં નાગરિકતા (સુધારા) અધિનિયમ, 2019 ઘડ્યો હતો, જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા બિનદસ્તાવેજીકૃત બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવા માટે સંસદ દ્વારા પસાર કરાયેલ કાયદો છે.


