By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    15 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં

agragujaratnews
Last updated: 2024/09/05 at 8:21 PM
2 years ago
Share
મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં
oplus_2
SHARE

રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન છતાં ટોલટેકસની ઉઘરાંણી યથાવત

શહેર-ગ્રામ્ય વિસ્તાર અને હાઇવેના રસ્તાઓ લોટ, પાણીને લાકડાંથી તૂટી ગયા છતાં સરકારી તંત્ર અને સત્તાધીશો અંધકારમાં

રાજયના ધોરીમાર્ગો અને મેટ્રો સિટી તરફ દોટ મૂકતા શહેરોના માર્ગોને ચકચકાટ કરવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે. પરંતુ એક વર્ષમાં આ રસ્તાઓ ધોવાઇ જતાં ખાબડખુબડ જેવી સ્થિતિનું નિર્માણ થતાં એક વર્ષમાં જ આ કરોડો રૂપિયાનું આંધણ થઇ જાય છે. છેલ્લા ૨૦ દિવસ દરમ્યાન વરસેલા વરસાદથી રાજકોટ શહેરના તમામ માર્ગો બિસ્માર હાલતમાં બની ગયા છે. લોકોને આવા રસ્તાઓ પર નીકળવું મુશકેલ બની ગયું છે. તંત્ર દ્વારા માત્ર ધૂળના ઢેફાં નાંખીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ યાતના ટુ વ્હીલ ચાલકોને જ ભોગવવાની હોય છે. તંત્ર દ્વારા જો ડ્રોન કેમેરાથી રાજકોટ શહેર અથવા તો આસપાસના વિસ્તારનો લાઇવ નજારો નિહાળવામાં આવે તો તેમાં પણ ગ્રામ્ય વિસ્તારની પ્રતીતી થાય તો ના ન કહી શકાય. ફરી વખત તંત્ર રોડ, રસ્તા રીપેરીંગ માટે કરોડોનું આંધણ કરી નાંખશે. સર્વે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં જ 3પ કિ.મી.ના રસ્તાઓ તૂટી ગયા છે. તો 33૨૦ કિ.મી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પૈકી ૯૫ કિ.મી.ના ગાબડાંઓ પડી ગયા છે. માર્ગ મકાન વિભાગનાં સેંકડો રસ્તાઓ ભાંગીને ભુક્કો થઇ ગયા છે.

Contents
રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન છતાં ટોલટેકસની ઉઘરાંણી યથાવતશહેર-ગ્રામ્ય વિસ્તાર અને હાઇવેના રસ્તાઓ લોટ, પાણીને લાકડાંથી તૂટી ગયા છતાં સરકારી તંત્ર અને સત્તાધીશો અંધકારમાં

રાજકોટ-પોરબંદર નેશનલ  હાઇવે પર જેતપુર આસપાસના ધોરી માર્ગનું ધોવાણ વધુ એક વાર થયું છે. પ્રજાની તિજોરીમાંથી અબજો રૂપિયાનું આંધણ કરીને આ રસ્તા બનાવાય પછી તેને જાળવવા માટે અસહ્ય દરે અને દેખીતો જ અન્યાયી ટોલટેકસ માત્ર 3પ કિ.મી.માં બે બે ટોલનાકા ખડકીને વસુલતા તંત્રને આ ભંગાર રસ્તા માટે લેશમાત્ર લજ્જા પણ આવતી નથી. ખુદ ભાજપના ધારાસભ્યએ અહીં બે ટોલનાકા રદ કરવા માંગણી કરી જે કેન્દ્ર સરકારે સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં ફગાવી દીધી હતી.

પરસેવાની કમાણીમાંથી પ્રજાજનો દરેક વસ્તુ ઉપર તગડો જી.એસ.ટી. (સરકારની આવક અનેકગણી થઈ ગઈ છે) વાહન ખરીદે ત્યારે તેના ઉપર ટેક્સ, રજીસ્ટ્રેશન કરાવતી વખતે રોડ ટેક્સ, વ્હીકલ ટેક્સ, જે આવક થઈ હોય તેના ઉપર ઈન્કમટેક્સ સહિત અસંખ્ય વેરાઓ ભરે છે છતાં સરકારનું તરભાણું ભરાતું નથી અને રોડ માટે ટોલટેક્સ વસુલાય છે અને તેમાં પણ ૬૦ કિ.મી.માં એક નાકુ એવો નિયમ પણ જળવાતો નથી. આટલું કર્યા પછી પણ લોકોને શેરી-ગલી કે ગામડાના રસ્તા તો દૂર, રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સારા, સમથળ મળતા નથી.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આખો રસ્તો જ ઊંચકાય જાય કે તૂટી જવાની ઘટના તો દક્ષિણ ગુજરાતમાં હિંમતનગર તરફનો રસ્તો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે ગુજરાતની રાજધાનીના રસ્તા હોય દરેક સ્થળે ગાબડાં લોકોમાં નિષ્ફળ તંત્રની ટીકા માટે નિમિત બન્યા છે.

માર્ગ અને મકાન વિભાગના તાજેતરના રિપોર્ટ મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી એ ચાર જિલ્લાના ૨૧ રસ્તાઓ ધોવાઇ ગયા હતા અને તેમાં મુખ્ય કારણ ઓવરટેપીંગ એટલે કે રસ્તા પર પાણી ફરી વળ્યું તેનું અપાયું હતું. વરસાદ તો આવવાનો છે અને ભારે વરસાદ આવશે તેનો પૂર્વાનુભવ પણ છે છતાં રસ્તા એવા બનાવાતા નથી કે વરસાદ વખતે તે ચાલુ હોય.

લોકો માટે રસ્તો એ રસ્તો છે. ફલાણા કે ઢીકણા તંત્રનો રસ્તો તેમાં લોકોને રસ નથી. આમ છતાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના નેશનલ હાઇવ, રાજય હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગો અને સ્ટેટ હાઇવે પીડબલ્યુડીના રસ્તા, મહાનગરપાલિકા અને સુધરાઇના રસ્તા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના રસ્તા એવા વિભાગો છે. આ તમામ વિભાગો સરકાર અંદરો અંદરના વહીવટ માટે ભલે રાખે પણ લોકોને તો તેઓ તાગડધિન્ના માટે નહીં પણ રસ્તા સહિત સુવિધા માટે જે તગડો વેરો ચૂકવે છે તેના બદલામાં સારા રસ્તામાં રસ હોય છે ત્યારે સરકારે દરેક ભંગાર રસ્તા માટે ફરિયાદ માટે એક નંબર જારી કરીને કંટ્રોલરૂમ બનાવીને ફરિયાદ નિકાલ માટે સમય મર્યાદા નિશ્ચિત કરીને ત્વરીત ફરજ બજાવવાની માંગ ઉઠી છે.

પ્રજાના ખર્ચે સારા જમ્પરવાળી મોટરકારોમાં ફરતા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટર સહિત નેતાઓએ કમ સે કમ એક વાર આ રસ્તા પર ટુ વ્હીલર પર નીકળવાની અને લોકોની અસહ્ય વેદનાનો અહેસાસ કરવાની જરૂર છે. રસ્તા માત્ર ભંગાર નથી થયા પણ ભયાનક જીવલેણ પણ બન્યા છે.

ગંભીર વાત એ છે કે આટલા રસ્તા તુટવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અંગે કોઇ તપાસ કરાઇ નથી. કોઇની સામે પગલાં લેવાયા નથી. આ કારણે દરેક ચોમાસે આ સીલસીલો જારી રહેવાની ભીતિ આમ નાગરિકોમાં જન્મી છે.

You Might Also Like

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 5 days ago
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?