By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં

agragujaratnews
Last updated: 2024/09/05 at 8:21 PM
11 months ago
Share
મનપાના રસ્તામાં 3પ કિ.મી.ના ખાડાં, તો નેશનલ હાઇવે ઉપર ૯૫ કિ.મી.ના ગાબડાં
oplus_2
SHARE

રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન છતાં ટોલટેકસની ઉઘરાંણી યથાવત

શહેર-ગ્રામ્ય વિસ્તાર અને હાઇવેના રસ્તાઓ લોટ, પાણીને લાકડાંથી તૂટી ગયા છતાં સરકારી તંત્ર અને સત્તાધીશો અંધકારમાં

રાજયના ધોરીમાર્ગો અને મેટ્રો સિટી તરફ દોટ મૂકતા શહેરોના માર્ગોને ચકચકાટ કરવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું ફંડ ફાળવે છે. પરંતુ એક વર્ષમાં આ રસ્તાઓ ધોવાઇ જતાં ખાબડખુબડ જેવી સ્થિતિનું નિર્માણ થતાં એક વર્ષમાં જ આ કરોડો રૂપિયાનું આંધણ થઇ જાય છે. છેલ્લા ૨૦ દિવસ દરમ્યાન વરસેલા વરસાદથી રાજકોટ શહેરના તમામ માર્ગો બિસ્માર હાલતમાં બની ગયા છે. લોકોને આવા રસ્તાઓ પર નીકળવું મુશકેલ બની ગયું છે. તંત્ર દ્વારા માત્ર ધૂળના ઢેફાં નાંખીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ યાતના ટુ વ્હીલ ચાલકોને જ ભોગવવાની હોય છે. તંત્ર દ્વારા જો ડ્રોન કેમેરાથી રાજકોટ શહેર અથવા તો આસપાસના વિસ્તારનો લાઇવ નજારો નિહાળવામાં આવે તો તેમાં પણ ગ્રામ્ય વિસ્તારની પ્રતીતી થાય તો ના ન કહી શકાય. ફરી વખત તંત્ર રોડ, રસ્તા રીપેરીંગ માટે કરોડોનું આંધણ કરી નાંખશે. સર્વે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં જ 3પ કિ.મી.ના રસ્તાઓ તૂટી ગયા છે. તો 33૨૦ કિ.મી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પૈકી ૯૫ કિ.મી.ના ગાબડાંઓ પડી ગયા છે. માર્ગ મકાન વિભાગનાં સેંકડો રસ્તાઓ ભાંગીને ભુક્કો થઇ ગયા છે.

Contents
રાજયના ધોરી માર્ગો પરથી પસાર થવું એટલે વાહન ચાલકો માટે મુસીબત સમાન છતાં ટોલટેકસની ઉઘરાંણી યથાવતશહેર-ગ્રામ્ય વિસ્તાર અને હાઇવેના રસ્તાઓ લોટ, પાણીને લાકડાંથી તૂટી ગયા છતાં સરકારી તંત્ર અને સત્તાધીશો અંધકારમાં

રાજકોટ-પોરબંદર નેશનલ  હાઇવે પર જેતપુર આસપાસના ધોરી માર્ગનું ધોવાણ વધુ એક વાર થયું છે. પ્રજાની તિજોરીમાંથી અબજો રૂપિયાનું આંધણ કરીને આ રસ્તા બનાવાય પછી તેને જાળવવા માટે અસહ્ય દરે અને દેખીતો જ અન્યાયી ટોલટેકસ માત્ર 3પ કિ.મી.માં બે બે ટોલનાકા ખડકીને વસુલતા તંત્રને આ ભંગાર રસ્તા માટે લેશમાત્ર લજ્જા પણ આવતી નથી. ખુદ ભાજપના ધારાસભ્યએ અહીં બે ટોલનાકા રદ કરવા માંગણી કરી જે કેન્દ્ર સરકારે સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં ફગાવી દીધી હતી.

પરસેવાની કમાણીમાંથી પ્રજાજનો દરેક વસ્તુ ઉપર તગડો જી.એસ.ટી. (સરકારની આવક અનેકગણી થઈ ગઈ છે) વાહન ખરીદે ત્યારે તેના ઉપર ટેક્સ, રજીસ્ટ્રેશન કરાવતી વખતે રોડ ટેક્સ, વ્હીકલ ટેક્સ, જે આવક થઈ હોય તેના ઉપર ઈન્કમટેક્સ સહિત અસંખ્ય વેરાઓ ભરે છે છતાં સરકારનું તરભાણું ભરાતું નથી અને રોડ માટે ટોલટેક્સ વસુલાય છે અને તેમાં પણ ૬૦ કિ.મી.માં એક નાકુ એવો નિયમ પણ જળવાતો નથી. આટલું કર્યા પછી પણ લોકોને શેરી-ગલી કે ગામડાના રસ્તા તો દૂર, રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સારા, સમથળ મળતા નથી.

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આખો રસ્તો જ ઊંચકાય જાય કે તૂટી જવાની ઘટના તો દક્ષિણ ગુજરાતમાં હિંમતનગર તરફનો રસ્તો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે વડોદરા પાસેના મુખ્યમાર્ગો હોય કે ગુજરાતની રાજધાનીના રસ્તા હોય દરેક સ્થળે ગાબડાં લોકોમાં નિષ્ફળ તંત્રની ટીકા માટે નિમિત બન્યા છે.

માર્ગ અને મકાન વિભાગના તાજેતરના રિપોર્ટ મુજબ સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી એ ચાર જિલ્લાના ૨૧ રસ્તાઓ ધોવાઇ ગયા હતા અને તેમાં મુખ્ય કારણ ઓવરટેપીંગ એટલે કે રસ્તા પર પાણી ફરી વળ્યું તેનું અપાયું હતું. વરસાદ તો આવવાનો છે અને ભારે વરસાદ આવશે તેનો પૂર્વાનુભવ પણ છે છતાં રસ્તા એવા બનાવાતા નથી કે વરસાદ વખતે તે ચાલુ હોય.

લોકો માટે રસ્તો એ રસ્તો છે. ફલાણા કે ઢીકણા તંત્રનો રસ્તો તેમાં લોકોને રસ નથી. આમ છતાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના નેશનલ હાઇવ, રાજય હસ્તકના રાષ્ટ્રીય ધોરી માર્ગો અને સ્ટેટ હાઇવે પીડબલ્યુડીના રસ્તા, મહાનગરપાલિકા અને સુધરાઇના રસ્તા, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અને ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના રસ્તા એવા વિભાગો છે. આ તમામ વિભાગો સરકાર અંદરો અંદરના વહીવટ માટે ભલે રાખે પણ લોકોને તો તેઓ તાગડધિન્ના માટે નહીં પણ રસ્તા સહિત સુવિધા માટે જે તગડો વેરો ચૂકવે છે તેના બદલામાં સારા રસ્તામાં રસ હોય છે ત્યારે સરકારે દરેક ભંગાર રસ્તા માટે ફરિયાદ માટે એક નંબર જારી કરીને કંટ્રોલરૂમ બનાવીને ફરિયાદ નિકાલ માટે સમય મર્યાદા નિશ્ચિત કરીને ત્વરીત ફરજ બજાવવાની માંગ ઉઠી છે.

પ્રજાના ખર્ચે સારા જમ્પરવાળી મોટરકારોમાં ફરતા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટર સહિત નેતાઓએ કમ સે કમ એક વાર આ રસ્તા પર ટુ વ્હીલર પર નીકળવાની અને લોકોની અસહ્ય વેદનાનો અહેસાસ કરવાની જરૂર છે. રસ્તા માત્ર ભંગાર નથી થયા પણ ભયાનક જીવલેણ પણ બન્યા છે.

ગંભીર વાત એ છે કે આટલા રસ્તા તુટવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અંગે કોઇ તપાસ કરાઇ નથી. કોઇની સામે પગલાં લેવાયા નથી. આ કારણે દરેક ચોમાસે આ સીલસીલો જારી રહેવાની ભીતિ આમ નાગરિકોમાં જન્મી છે.

You Might Also Like

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!

43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક

India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી

Maharashtra : 14,298 પુરૂષોએ લીધો 'લાડકી બહેન યોજના'નો લાભ, સરકારે રકમ વસૂલવા માટે કરી તૈયારીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
હેલ્થ

Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત

By 4 days ago
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
Hepatitis Diseases : તાવ આવવો, ભૂખ ના લાગવી કયાંક હેપેટાઇટિસ બીમારીનો નથી સંકેત, જાણો લક્ષણો
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?