- હીટસ્ટ્રોકના દર્દીઓમાં 60 થી વધુ ઉંમરના લોકો ભોગ બન્યા
- વૃદ્ધ લોકોએ બપોરે 12 થી 4 કામ વિના બહાર ના નિકળવું
- હીટવેવને પગલે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ થયું હતું દોડતું
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે,તેના કારણે ગભરામણ તેમજ હીટવેવને લઈ લોકોના મોત થઈ રહ્યાં છે,વડોદરામાં છેલ્લા 15 દિવસમાં 44 લોકોના મોત થયુ હોવાનું સામે આવ્યું છે.હીટસ્ટ્રોકથી મોતને ભેટેલ લોકોમાં પણ 60થી વધુ ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.હીટસ્ટ્રોકમાં માથુ દુઃખવું,ચક્કર આવવા અને ગભરામણના લક્ષણો સામે આવી રહ્યા છે.
કઈ બાબતોનું રાખવું ધ્યાન
હીટવેવ બાબતે જરૂરી પ્રચાર પ્રસાર કરવા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.શહેરી વિસ્તારમાં શેડની વ્યવસ્થા રાખવા બાબતે પણ સૂચના અપાઈ છે.શહેરી વિસ્તારમાં શેડની વ્યવસ્થા રાખવા સહિત વિવિધ સૂચનાઓ અપાઈ છે,સાથે સાથે શ્રમિકોને બપોરના 1 થી 4 કલાક કામ ન કરવા સૂચના અપાઈ છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત હીટવેવ સાયલન્ટ ડિઝાસ્ટર ગણાય છે.
હીટવેવથી બચવા શુ કરવુ જોઇએ ?
– પ્રાથમિક સારવાની તાલીમ મેળવો, વુદ્વો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી રાખો બને તેટલુ ઘરની અંદર રહો
– હળવા હળવા રંગના , ઢીલા અને છિદ્વાળુ સુતરાઉ કપડા પહેરવા
– તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શુઝ કે ચપ્પલનો ઉપયોગ કરવો. માથાને ઢાંકવા માટે કાપડ, ટોપીકે છત્રીનો ઉપયોગ કરવો
– પુરતા પ્રમાણમાં પાણી પીઓ. તરસ ના લાગે તો પણ તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ, ઘરે બનાવેલા શુદ્ર પાણી જેવી કે લસ્સી, લીંબુપાણી, છાશનો પુરતા પ્રમાણમાં ઉપયોગ કરવો
હીટવેવ દરમિયાન શું ન કરવુ જોઇએ ?
– બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડવા નહી.
– પીક અવર્સ દરમ્યાન રસોઇ કરવાનું ટાળો, રસોડામાં પુરતા પ્રમાણમાં હવાની અવર જવર માટે દરવાજા અને બારી ખુલ્લી રાખવી જોઇએ.
– અગ્રિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિનજરૃરી ગરમી પેદા કરે છે.
– આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફટ ડ્રીકસ પીવાનું ટાળવુ જોઇએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.
– તડકામાં બહાર જવાનું ટાળવુ જોઇએ. ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યા સુધી બહાર ના નિકળવુ જોઇએ.
– ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુકત ખોરાક ટાળો, વાસી ખોરાક ન ખાવો.


