- એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાના અધિકારી સસ્પેન્ડ
- પોલ ટેસ્ટમાં ખામીના કારણે ભરતી થઈ હતી રદ્દ કરવામાં આવી
- ઉમેદવારોનો નવી પરીક્ષાને લઈ વિરોધનો સૂર
રાજ્યમાં હાલ જેટકોની ભરતી પરીક્ષા મામલે વિવિધ પગલાં સરકાર દ્વારા ભરવામાં આવી રહ્યા છે. ત્યાં જેટકો દ્વારા 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે તંત્ર દ્વારા એન્જીનીયર અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી અનુસાર, જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. અને અલ્ટીમેટમ આપ્યું હતું.
આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં મહેસાણા ડિવિઝનનાં ડેપ્યુટી ઈજનેર કે.એચ.પરમાર, ધાનેરા કાર્યપાલક ઈજનેર એસ.આર.યાદવ, મહેસાણાનાં કાર્યપાલક ઈજનેર બી.જે.ચૌધરીને જૂનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઈમબિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી.
જેટકો દ્વારા ભતી પરીક્ષાનાં વિવાદ મામલે એન્જીનીયક અને ડેપ્યુટી એન્જીનીયર કક્ષાનાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ પરીક્ષા રદ્દ કરવાની પરિસ્થિતિ અને જેટકો તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ચીફ એન્જીનીયર એ.બી. રાઠોડ દ્વારા ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓમાં વિરોધનો સૂર
જેટકો ના એમ.ડી એ પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા લેવાશે જ તેમ જણાવ્યું છે. જ્યાં ઉમેદવારો દ્વારા ફરી એકવાર પોલ ટેસ્ટ આપશે પરંતુ બાદમાં લેખિત પરીક્ષા નહીં આપવાની વાત કરી છે. ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર એચ. આર. જે. ટી. રાયને સંભળાવી હતી. જ્યારે રજૂઆત બાદ ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે, જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે. જે બાદ ઉમેદવારો જેટકો ઓફિસથી રવાના થયા હતા. સાથે જ પરિવાર સાથે ગાંધીનગરમાં જઈને આંદોલનને આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


