- મનીષ સોલંકીના પરિવારનો સામુહિક આપઘાત
- 6 લોકોને ઝેર આપી એક વ્યક્તિએ ગળેફાંસો લગાવ્યો
- ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરિવાર
સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક જ પરિવારના 7 સભ્યોએ સામૂહિત આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ઘરના એક સભ્યએ અન્ય 6 લોકોને દવા પિવડાવી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધું છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોએ ઝેરી દવા આપી હોવાની શંકા છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પાલનપુર પાટિયા પાસે નૂતન રો હાઉસની સામે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોનો સામૂહિક આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી
ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર હતો. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામ છે. જેના અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે, કંટ્રોલ રૂમમાં મેસેજ આવવાથી જાણ થઇ છે. એક વ્યક્તિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. જ્યારે બાકીના વ્યક્તિઓને ઝેર આપ્યું હોય તેમ લાગે છે. આ ઉપરાંત એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના એક સભ્યએ તમામ લોકોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ફર્નિચરના મોટા વ્યવસાય સાથે પરિવાર સંકળાયેલો હતો તેવી વિગતો સામે આવી રહી છે. જેમાં મનીષ સોલંકીના પરિવારનો સામુહિક આપઘાત કર્યો છે. જોકે કઈ સ્થિતિમાં આપઘાત કર્યો તેના અંગેની માહિતી આવી નથી.
અડાજણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.