By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રંગોલી સજાઓ… આંગન મહેકાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રંગોલી સજાઓ… આંગન મહેકાવો

agragujaratnews
Last updated: 2023/11/08 at 8:07 AM
2 years ago
Share
રંગોલી સજાઓ…  આંગન મહેકાવો
SHARE
  • શુભ અને શુકનવંતી રંગોળી ઘરમાંથી નકારાત્મક ઊર્જા વહન કરવાનું કામ કરે છે.
  • રંગોળી બનાવવા રંગો ઉપરાંત ફૂલો,પાન,કઠોળ,જુદા જુદા આકારના આભલા વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
  • રંગોળીમાં જે જુદા જુદા આકાર બનાવવામાં આવે છે તે દરેક એક ઊર્જાના પ્રવાહને ફેલાવે છે એટલે જ રંગોળીમાં સાથીયા,લક્ષ્મીજીના પગલાં લાભ,શુભનું મહત્વ છે.

Contents
ઘરની નકારાત્મક ઊર્જા આ રીતે દૂર કરોઆ રીતે રંગોળીમાં લાગશે ચાર ચાંદરંગોળી બનાવતી વખતે આટલું રાખો ધ્યાન

દિપાવલીનો તહેવાર રંગ અને પ્રકાશનો તહેવાર કહેવાય છે. પાંચ દિવસના આ પર્વમાં રોજ લોકો પોતાના આંગણામાં અવનવા રંગોથી રંગોળી બનાવે છે. આ રંગોળી શુભ અને શુકનવંતી ગણાય છે કારણ કે લક્ષ્મીજીના સ્વાગત માટે આ રંગોળી બનાવવામાં આવે છે. ભારત દેશમાં અલગ અલગ પ્રદેશમાં જુદા જુદા પ્રકારે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે તેમાં દક્ષિણ ભારતમાં આંગણાને લિપિને દરરોજ સફેદ કલર થી રંગોળી બનાવવામાં આવે છે. ગુજરાતમાં દિવાળીમાં વિવિધ પ્રકારે રંગોળીની રચના કરવામાં આવે છે. આ રંગોળી બનાવવા માટે આમ તો આવડતની જરૂર પડે છે પરંતુ શુકનના લાલ રંગથી બનાવેલ સાથીયાથી પણ લક્ષ્મીજી ખુશ થઈ જાય છે. રંગોળી બનાવવી એ આવડતની સાથે શોખની બાબત છે ઘણા લોકો દરરોજ રંગોળી કાઢી અને ફરીથી બનાવે છે જ્યારે અમુક લોકો છેલ્લા દિવસે એટલે કે દિવાળીના દિવસે જ રંગોળી બનાવે છે. રંગોળી વિવિધ પ્રકારે બનાવી શકાય છે. રંગોળી બનાવવાની પણ એક મજા છે અડોશ પડોશના બધા લોકો ભેગા મળીને રંગોળી બનાવતા હોય છે અને તેમાં પણ એક કોમ્પિટિશન જેવું વાતાવરણ જોવા મળે કે કોના ઘરે સરસ રંગોળી થઈ છે.

ઘરની નકારાત્મક ઊર્જા આ રીતે દૂર કરો

રંગોળીનો વિચાર સ્વાગત તેમજ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટેનો છે.નેગેટિવ એનર્જી દૂર કરવા માટે મીઠું સૌથી મહત્વનો પદાર્થ છે. મીઠાના જે ગાંગડા મળે છે તેને અધકચરા ખાંડી લો અને જે ડિઝાઇન બનાવી હોય તે સૌ પ્રથમ મીઠા દ્વારા બનાવો અને ત્યારબાદ મીઠા પર રંગો વડે ડિઝાઇન કરી શકો છો તથા ફૂલોની પાંખડીઓથી પણ ડિઝાઇન કરી શકો છો. આસોપાલવ વગેરેના પાન પણ મૂકી શકો છો મુખ્યત્વે ઉર્જાને ગ્રહણ કરનાર મીઠાની હાજરી જરૂરી છે રંગોળી બાદ બીજા દિવસે રંગોળી ભેગી કરી બધું જ કચરામાં નાખી દો જેથી નકારાત્મક ઊર્જા દૂર થશે.ગુલાબ, મેરીગોલ્ડ્સ અને કમળ જેવા ફૂલોની સુગંધ સાથે ફૂલોની પાંખડીઓ દૃષ્ટિ માટે ખૂબ જ આકર્ષક લાગે છે.નકામી ઊર્જા દૂર થવા સાથે ફૂલો ના કારણે વાતાવરણ સુગંધિત બનશે.

ભારતમાં, લોકો તહેવારો દરમિયાન ઘણી પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે. એક પ્રવેશદ્વારની બાજુમાં રંગોળી બનાવવામાં આવે છે ઉપરાંત હોળી, દિવાળી, લગ્ન, પૂજા અને અન્ય પ્રસંગો જેવા અમુક પ્રસંગો અને તહેવારો પર, લોકો ઘરને સજાવવા અને તેમના દેવી-દેવતાઓ અને મુલાકાતીઓને આવકારવા માટે આંગણામાં સરળ અને સરળ રંગોળી ડિઝાઇન કરે છે.રંગોળી એ એક પ્રકારની કળા છે જેમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રીતે રંગોળીમાં લાગશે ચાર ચાંદ

જે લોકોને સુંદર રંગોળી બનાવતા આવડે છે તે લોકો રાધા કૃષ્ણ,ગણપતિ, શિવજી,ગોપીઓ,પનિહારી સહિતના ફિગર બનાવે છે.ઘણા લોકોને આ પ્રકારની રંગોળી નથી આવડતી તે ફ્રી હેન્ડ અથવા ટપકાં કરીને રંગોળી બનાવે છે.આ રીતે રંગો દ્વારા રંગોળી બનાવ્યા બાદ તેના પર જુદા જુદા આકારના મોટા આભલા મૂકવાથી રંગોળી દીપી ઉઠશે.ઘણી વાર નાડાછડીથી પણ લાઈનિંગ કરી શકાય.રંગોળી બની ગયા બાદ તેના પર કલાત્મક દીવડા મૂકી શકાય.ઘણા લોકો બજારમાં મળતા હેન્ડીક્રાફટના શો પીસ પણ મુકતા હોય છે.

ભારતના અમુક પ્રદેશમાં ચોખાના લોટ દ્વારા રંગોળી કરવામાં આવે છે. રંગોળી એ નકારાત્મક ઉર્જાનું વહન કરે છે તેથી ઘણી વખત મીઠા દ્વારા જુદા આકાર આપી તેના પર રંગો વડે રંગોળી દોરવામાં આવે છે જે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે.અત્યારે બજારમાં વુડન તેમજ એક્રેલિક ની તૈયાર રંગોળી મળે છે જેના જુદા જુદા આકાર જોડી અલગ અલગ રંગોળી બનાવી શકાશે.જુદા જુદા પ્રાંતમાં રંગોળી બનાવવાની પરંપરા જુદી હોય છે પરંતુ ભાવ શુભ હોય છે તો રંગો ફૂલો અને દીવડાઓ લઈને થઈ જાઓ તૈયાર.

રંગોળી બનાવતી વખતે આટલું
રાખો ધ્યાન

  • રંગોળી હંમેશા એક સરખી સપાટી પર દોરવી જોઈએ તથા સપાટી સુકાયેલ અને સ્વચ્છ હોવી જરૂરી છે.
  • જો તમારું ડ્રોઈંગ ખૂબ સારું ન હોય તો સ્ટેન્સિલનો ઉપયોગ કરો. અત્યારે બજારમાં લક્ષ્મીજીના પગલાં,ગણપતિ સાથીયો, લાભ, શુભ વગેરે રેડી ડીઝાઈન મળી રહી છે.ફક્ત રંગો ભરવાના હોય છે.
  • જો ફ્રી હેન્ડ ન ફાવે તો ટપકા કરી લો અને તેને અલગ અલગ જોડીને ડીઝાઈન બનાવી શકસો.
  • જો ફ્રી હેન્ડ બનાવવાનું ફાવતું હોયતો પહેલા ચોક થી દોરી લો અને પછી રંગોનો ઉપયોગ કરો.
  • રંગો પૂરવા માટે તેમજ આઉટ લાઇન દોરવા માટે બોટલ, નોઝલ વગેરેનો ઉપયોગ કરો.બજારમાં પણ આ પ્રકારના સાધનો મળી રહ્યા છે.
  • રંગોળીમાં આકાર આપવા થાળી, ડીશનો ઉપયોગ કરી શકો.ટપકાંમાંથી આકાર આપવા ઇયર બડ્સ,ચમચી,કાંટાનો ઉપયોગ કરી શકાય.તેમજ રંગોની પુરણી માટે આંક, ચારણી નો ઉપયોગ કરી શક્શો.
  • રંગોળી બનાવવા રંગો ઉપરાંત ફૂલો, પાન, કઠોળ, જુદા જુદા આકારના મીરર વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
હેલ્થ

Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો

By 2 days ago
India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!
નાડીનો અર્થ, મર્મ અને…
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?