- ગોરખા રેજીમેન્ટ ભારતીય સૈન્યની કરોડરજ્જુ સમાન
- અનેક ઑપરેશનમાં રેજીમેન્ટે નિભાવી મોટી ભૂમિકા
- હાલની સ્થિતિ અંગે નિષ્ણાંતો એ કહી મોટી વાત
પાકિસ્તાનને ધોબી પછડાટ દેનારા ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા હોય કે પછી ચીન-પાકિસ્તાનને દરેક વખતે ચેતવનાર જનરલ બિપિન રાવત હોય, બંનેમાં એક વાત સામ્ય હતી. બંને ગોરખા રેજિમેન્ટમાંથી આવ્યા હતા. ગોરખા સૈનિકોના ગૌરવશાળી ઈતિહાસનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે ભારતીય સેનામાં ગોરખા સૈનિકો ઇતિહાસ બની જશે. નેપાળી ગોરખા સૈનિકો ઘણા દાયકાઓથી ભારતીય સેનાની તાકાત છે. તેમના દેશ નેપાળની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ કામ કર્યું છે. પરંતુ હાલમાં નેપાળના ગોરખા સૈનિકોની ભરતી બંધ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમના ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
ભારતે વર્ષ 2022માં અગ્નિવીર (અગ્નિપથ) યોજના લાગુ કરી હતી. ત્યારથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એવું નથી કે ભારતીય સેનામાં ગોરખાઓની ભરતી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પરંતુ હાલ આ ભરતી પ્રક્રિયા અટકી પડી છે. દુઃખની વાત એ છે કે ગોરખા રેજિમેન્ટમાંથી નેપાળી ગુરખાઓ ગુમ છે. આ સાથે ભારતીય સેનામાં સૈનિકોની ભરતીની પરંપરા પણ તૂટી ગઈ છે. 1947 માં હસ્તાક્ષર કરાયેલ ત્રિપક્ષીય કરારને પગલે, નેપાળી ગોરખા સૈનિકો યુકે, ભારત અને નેપાળની સેનાનો ભાગ બન્યા. આ સમજૂતી બાદ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા ગોરખા સૈનિકોની સ્થિતિમાં ફેરફાર થયો હતો. આ ઉપરાંત, ગોરખા સૈનિકોને ભારતની સાથે સાથે બ્રિટનની સેનામાં પણ સેવા કરવાની તક મળી.
કરાર પછી, હાલની 11 ગોરખા રેજિમેન્ટમાંથી સાત ભારતીય સેનાનો હિસ્સો બની ગઈ. જ્યારે બાકીની ચાર રેજિમેન્ટ બ્રિટિશ આર્મીનો ભાગ બની હતી. આ કરારની સૌથી મોટી ખામી એ છે કે તે કાયદાકીય જવાબદારીઓથી પર છે. આ હેઠળ એવી કોઈ વ્યવસ્થા નથી કે જે ભારતીય સેનામાં ગોરખા સૈનિકોની ભરતીને નિયમિત કરી શકે. જાણકારોના મતે અગ્નિવીર સ્કીમના કારણે ભારતીય સેનામાં નેપાળી ગોરખાઓની ભરતીમાં ઘણા સમયથી અડચણો આવી રહી છે. આ યોજનાની શરૂઆતથી, આવી ઘણી ચર્ચાઓ થઈ રહી છે જે સાર્વભૌમત્વ અને ભારતીય સેના પર અન્ય દેશોના નાગરિકોની અસર સાથે સંબંધિત છે.
યોજનાના વિરોધીઓ કહે છે કે, નેપાળ એક સાર્વભૌમ દેશ છે. આવી સ્થિતિમાં, તેણે તેના નાગરિકોને તેમના દુશ્મનો સામે તૈનાત માટે અન્ય દેશોમાં મોકલવા જોઈએ નહીં. જો કે, આનાથી અન્ય ઘણા દેશોની સેનાઓમાં નેપાળી યુવાનોની તૈનાતીમાં કોઈ ફરક પડશે નહીં. અગ્નિવીર ભરતી પ્રક્રિયાએ રશિયા અને યુક્રેન જેવા વિવિધ યુદ્ધ ઝોનમાં તૈનાત ઘણા સૈનિકોના ભવિષ્ય પર પણ સવાલો ઉભા કર્યા છે. ગોરખા સૈનિકો છેલ્લા 200 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવે છે. અગ્નિવીર યોજનાથી નારાજ નેપાળે હાલમાં ગોરખા સૈનિકોની ભરતી અટકાવી દીધી છે. ગયા વર્ષથી, જ્યાં સુધી સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયાને અટકાવી દેવામાં આવી છે.