- વસુધૈવ કુટુમ્બકમ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા: ધનખર
- ઈન્ડો-પેસિફિક રિજનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં ભારતનો હિસ્સો
- 2030 સુધીમાં જાપાન જર્મનીને પછાડી ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે
ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભાગ લીધો હતો. પોતાના સંબોધન દરમિયાન, તેમણે કહ્યું કે, કોઈપણ વ્યક્તિ નબળાઈની સ્થિતિમાંથી ન તો શાંતિ સ્થાપિત નથી કરી શકતો કે ન તો ચર્ચા કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, વસુધૈવ કુટુમ્બકમ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા એ આપણી જીવનશૈલી છે. તે દેશનો વૈશ્વિક દૃષ્ટિકોણ નક્કી કરે છે.
તેમણે કહ્યું કે, એક રાષ્ટ્ર તરીકે ભારતને શાંતિના સમર્થક તરીકે ઓળખવામાં આવે છે. ભારતે ક્યારેય વિસ્તારવાદી વિચારસરણીને પ્રોત્સાહન આપ્યું નથી. તમારી શક્તિ વૈશ્વિક વ્યવસ્થાને પરિભાષિત કરશે, સાથે જ તમારી શક્તિ શાંતિને પરિભાષિત કરશે. નબળી પરિસ્થિતિમાં શાંતિની આશા રાખી શકાતી નથી.
તેમના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, ઈન્ડો-પેસિફિક રિજનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં ભારતનો હિસ્સો છે. ભારત 2030 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ધનખરે કહ્યું કે, જેમ જેમ ભારતની આર્થિક શક્તિ વિકાસ અને તકનીકી પહોંચ સાથે વધી રહી છે, વૈશ્વિક અને પ્રાદેશિક બાબતોમાં આપણો હિસ્સો અને તેની સાથે આવનારા પડકારો પણ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિશ્વની અર્થવ્યવસ્થાનો વિકાસ કરવાની પ્રચંડ ક્ષમતા છે. તેમજ આવા દૃશ્ય આપણું જીવન વધુ સારું બનાવે છે.
પોતાના સંબોધનમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતામાં ભારતનો હિસ્સો છે. ભારત 2030 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. ધનખરે કહ્યું કે, જેમ જેમ વિકાસ અને તકનીકી પહોંચની સાથે ભારતની આર્થિક શક્તિ વધી રહી છે, તેમ તેમ વૈશ્વિક અને પ્રાદેશિક બાબતોમાં આપણો હિસ્સો અને તેની સાથે આવનારા પડકારો પણ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારતમાં વિશ્વની અર્થવ્યવસ્થાનો વિકાસ કરવાની પ્રચંડ ક્ષમતા છે. તેમજ આવા દૃશ્ય આપણું જીવન વધુ સારું બનાવે છે.