By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડક્કુનાથન મંદિર : જ્યાં શિવલિંગ પર ઘીનો અભિષેક થાય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વડક્કુનાથન મંદિર : જ્યાં શિવલિંગ પર ઘીનો અભિષેક થાય છે

agragujaratnews
Last updated: 2023/12/07 at 11:48 AM
3 years ago
Share
વડક્કુનાથન મંદિર : જ્યાં શિવલિંગ પર ઘીનો અભિષેક થાય છે
SHARE

  • શિવલિંગનાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને અહીં અંદાજે 15થી 16 ફૂટ ઊંચું ઘીનું શિવલિંગ જ નજરે ચડે છે

ભારતનાં સૌથી પ્રાચીન મંદિરોમાં શિવમંદિરો વધુ જોવા મળે છે ભારતના મોટાભાગનાં રાજ્યોમાં એવાં શિવમંદિરો અચૂક જોવા મળે છે જે વર્ષોજૂનાં હોય છે. આ તરફ કેરળના ત્રિશૂર જિલ્લામાં એક હજાર વર્ષ કરતાં પણ જૂનું પ્રાચીન શિવમંદિર આવેલું છે જેને `વડક્કુનાથન’ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા આવે છે.

હજારો વર્ષ જૂનું વડક્કુનાથન મંદિર કેરળનાં સૌથી પુરાણા કહેવાતાં મંદિરોની હરોળમાં આવે છે. આ મંદિર ત્રિશૂર શહેરના કેન્દ્રમાં જ આવેલું છે અને તેની ઉત્કૃષ્ટ કોતરણીઓ અને વાસ્તુકલા માટે પણ વિશેષ જાણીતું છે. મંદિરમાં વાપરવામાં આવતી શૈલી કેરળની પ્રાચીન સભ્યતાનાં પણ દર્શન કરાવે છે.

વડક્કુનાથન મંદિરનો ભવ્ય ઇતિહાસ

ત્રિશૂરનું આ ભવ્યાતિભવ્ય મંદિર એક હજાર વર્ષ કરતાં પણ જૂનું છે એવું ઇતિહાસકારોનું સ્પષ્ટપણે માનવું છે. જ્યારે મલયાલમ ઇતિહાસકાર વી.વી.કે. વાલથના જણાવ્યા પ્રમાણે આ મંદિર એક સમયે પૂર્વ દ્રવિડ કવૂ (દેવસ્થળ) હતું. ત્યારબાદ આ મંદિર છઠ્ઠી શતાબ્દી પછી અસ્તિત્વમાં આવેલા નવા સંપ્રદાયોના પ્રભાવમાં આવ્યું જેમાં ખાસ કરીને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ ઉપરાંત વૈષ્ણવવાદનો પણ સમાવેશ થાય છે. અેક માન્યતા પ્રમાણે કેરળનું વધુ એક પ્રાચીન મંદિર પરમેક્કાવુ ભગવતી મંદિર પણ આ દેવસ્થાનની અંદર સ્થિત હતું, પરંતુ મંદિરના કેટલાક દસ્તાવેજ પ્રમાણે કુડલ માનિક્યમ મંદિર, કોડુગલ્લૂર ભગવતી મંદિર અને અમ્મા થિરુવાડી મંદિર આ મંદિરથી પણ ઘણું પ્રાચીન છે.

વડક્કુનાથન મંદિરની પૌરાણિક માન્યતાઓ

આ મંદિરને લઈને કેટલીક પૌરાણિક માન્યતાઓ પ્રચલિત છે, જેમાં એક માન્યતા ભગવાન શ્રી પરશુરામ સાથે જોડાયેલી છે. આ ઉપરાંત વડક્કુનાથન મંદિરની કથા બ્રહ્માંડ પુરાણમાં સંક્ષિપ્ત રૂપમાં પણ વર્ણવાયેલી જોવા મળે છે. ભગવાન શિવના આ મંદિરની સ્થાપના તેમના જ અંશ કહેવાતા ભગવાન પરશુરામ દ્વારા કરવામાં આવી હતી એવી પૌરાણિક માન્યતા વધુ પ્રચલિત છે.

પૌરાણિક માન્યતામાં નરસંહાર કરીને પોતાને શુદ્ધ કરવા અને પોતાનાં કર્મો પર સંતુલન જાળવવા માટે ભગવાન પરશુરામે એક મહાયજ્ઞ પણ કર્યો હતો, ત્યારબાદ તેમણે દક્ષિણા તરીકે બ્રાહ્મણોને તમામ જમીનો દાન કરી હતી. તેમને હવે તપશ્ચર્યા કરવા માટે કોઈ નવી જગ્યા નવી ભૂમિની જરૂરિયાત જણાતી હતી. તેથી તેમણે સમુદ્ર દેવતા વરુણને જણાવ્યું કે તેમને તપશ્ચર્યા માટે કોઇ સમુદ્રના કિનારાની જમીન અર્પણ કરે. ત્યારબાદ વરુણ દેવતાએ ભગવાન પરશુરામને કોઈ પદાર્થ કે અસ્ત્ર આપ્યું જેને સમુદ્રમાં ફેંકવા કહ્યું. વરુણ દેવતાના કહ્યા પ્રમાણે તેમને આપવામાં આવેલો પદાર્થ કે અસ્ત્ર ભગવાન પરશુરામ પાણીમાં ફેંકે છે અને મોટી જમીનનું નિર્માણ થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ જમીનનો ભાગ આજે કેરળ કહેવાય છે.

વિશાળ મંદિરની સંરચના

અંદાજિત નવ એકરમાં ઘેરાયેલું વડક્કુનાથન મંદિર શહેરના કેન્દ્રસ્થાને ઊંચા પહાડી વિસ્તાર પર આવેલું છે. આ પ્રાચીન મંદિર વિશાળ પથ્થરોથી ઘેરાયેલું છે. મંદિર પરિસરની અંદર ચાર ગોપુરમ ચાર મુખ્ય દિશાઓની સામે છે. જ્યારે મંદિર અને બહારની દીવાલોની વચ્ચે એક મોટો ખુલ્લો ભાગ પણ છે. બીજી તરફ દક્ષિણ અને ઉત્તરવાળાં ગોપુરમ હાલમાં બંધ છે. શ્રદ્ધાળુઓનો પ્રવેશ પૂર્વ અને પશ્ચિમ ગોપુરમના માધ્યમ દ્વારા કરવામાં આવે છે. તો, એક વિશાળ ગોળાકાર ગ્રેનાઈટ દીવાલ આંતરિક મંદિર અને બહારના મંદિરને અલગ પાડે છે.

મંદિરના મુખ્ય દેવતા

આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન શિવ છે, જેમને અહીં એક શિવલિંગના રૂપમાં પૂરા ભક્તિભાવથી પૂજવામાં આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન શિવને અહીં ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ શિવલિંગ પર ઘીનું વિશાળ આવરણ ચઢવાથી શિવલિંગ દેખાતું નથી, પરંતુ ઘીના આકારનું એક અનોખું શિવલિંગ બને છે. આ ઘીવાળા શિવલિંગનાં દર્શનમાત્રથી જ શ્રદ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. અહીં શિવલિંગ પર ઘીનું પડ હંમેશાં ઢંકાયેલું જ જોવા મળે છે. શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે આ શિવલિંગ કૈલાશ પર્વતના શિવલિંગનું પ્રતિનિધિત્વ પણ કરે છે.

ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યા શિવલિંગ દેખાતું નથી એટલે કે શિવલિંગનાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને અહીં અંદાજે 15થી 16 ફૂટ ઊંચું ઘીનું શિવલિંગ જ નજરે ચડે છે! એક માન્યતા પ્રમાણે આ શિવલિંગ પર ચઢાવવામાં આવેલા ઘીમાં કોઈ પણ પ્રકારની સુગંધ જોવા મળતી નથી અને તે ગરમીની ઋતુમાં પણ પીગળતું નથી.

મંદિરમાં તહેવાર-ઉત્સવ

વડક્કુનાથન મંદિરમાં ત્રિશૂર પૂરમ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. ત્રિશૂર પૂરમ ઉત્સવ ત્રિશૂર(વડક્કુનાથન)માં પૂરા ધામધૂમ અને પૂર્ણ ભક્તિભાવથી ઊજવવામાં આવે છે. ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આ તહેવારમાં ભગવાન શિવનાં દર્શન કરવા આવે છે. આ ઉત્સવ કેરળમાં સૌથી મોટા અને સૌથી પ્રસિદ્ધ ઉત્સવોમાંથી એક ગણાય છે. આ ઉત્સવમાં સંગીત, હાથી અને આતશબાજી અને પરંપરાગ ભારતીય નૃત્ય પણ જોવા મળે છે.

   કેવી રીતે પહોંચશો?

ત્રિશૂરમાં ગરમી અને વરસાદ બંને વધારે પડે છે. તેથી ઠંડીની ઋતુમાં અહીં જવું હિતાવહ મનાય છે. જોકે, ગરમી અને વરસાદની ઋતુમાં પણ અહીં સરળતાથી જઈ શકાય છે. શિવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. મંદિર સુધી પહોંચવા માટે અહીં ટ્રેન, બસ અને વિમાન દ્વારા આવી શકાય છે. અહીં સૌથી નજીકનું એરપોર્ટ કોચ્ચી એરપોર્ટ છે. તે સિવાય તમે ત્રિશૂર રેલવે સ્ટેશન અથવા તો બસ કે ખાનગી ટેક્સી અને ગાડી દ્વારા પણ અહીં સરળતાથી આવી શકો છો. ત્રિશૂર રેલવે સ્ટેશન મંદિરથી માત્ર બે કિલોમીટરના અંતરે જ છે.

You Might Also Like

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતલસર પાસે કારની ટક્કરે નેપાળી યુવાનનું મોત
ગુજરાત

જેતલસર પાસે કારની ટક્કરે નેપાળી યુવાનનું મોત

Editor By Editor 6 days ago
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
સ્વ. વિજયભાઈ રૂપાણીની જન્મજયંતી નિમિત્તે ભવ્ય ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતી યોજાઈ
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?