- ગરબા ભક્તિ અને ઉજવણીનું સામાજિક સમાનતાનું પ્રતિક છે
- ગરબા ભૌગોલિક સીમાઓને ઓળંગે છે
- ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો
દરેક ગુજરાત માટે ગર્વ કરવાની ક્ષણ છે. જેમાં ગરબાના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન મળ્યું છે. ગુજરાતની ગૌરવંતી સાંસ્કૃતિક પરંપરા ‘ગરબા’ને હવે વૈશ્વિક સ્તરે નામના મળવા જઈ રહી છે. યુનેસ્કો દ્વારા આજે ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો (આઇસીએચ) જાહેર કરવામાં આવશે.
આ અંગે યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્યની હેરિટેજમાં સ્થાન મળ્યું છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ખજાનાની યાદીમાં સમાવેશ કરવા માટે ભારતે ગુજરાતની પ્રતિષ્ઠિત પરંપરાગત નૃત્ય શૈલી ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો. જેનો આખરે વિચારને સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતના ક્યા નૃત્યને મળ્યું છે સ્થાન
નોંધનીય છેકે, યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસો ભારતની યાદીમાં મણિપુરના સંકીર્તન, ઢોલ વગાડવું અને નૃત્ય, દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગા, નોવરોઝ, જંડિયાલા ગુરુના થાથેરાઓમાં પરંપરાગત પિત્તળ અને તાંબાના વાસણો બનાવવાની કારીગરી, લદ્દાખનું બૌદ્ધ નૃત્ય છે.
આ ઉપરાંત દેશના કાલબેલિયા લોકગીતો અને રાજસ્થાનના નૃત્યો, મુડીયેટ્ટુ, ધાર્મિક થિયેટર અને કેરળનું નૃત્ય નાટક, રામમન, વૈદિક જાપની પરંપરા અને રામલીલા. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસો અને માનવતાની યાદીમાં ભારતના કુલ 14 તત્વો અંકિત છે.
ગરબો શબ્દ ક્યાંથી આવ્યો
ગુજરાત વિશ્વકોશ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ગરબો શબ્દ ‘ગર્ભદીપ’ પરથી વ્યુત્પન્ન થયેલો હોવાનું નરસિંહરાવ દિવેટિયાનું મંતવ્ય હતું. શ્રીકૃષ્ણ દ્વારા ગોપીઓ સાથે ખેલાતા રાસ શબ્દનું મૂળ ચોથી સદીના વિષ્ણુપુરાણમાં જોવા મળે છે. સત્તરમાં સૈકામાં ભાણદાસે પોતાના કાવ્યોને ‘ગરબી’ ઓળખાવ્યા હતા. ભાણદાસ બાદ માતાજીનો મહિમા ગાતા ગરબાની રચના વલ્લભ મેવાડા અને રણછોડજી દિવાને કરી હતી. વલ્લભ મેવાડાની માતાજીની સ્તુતિમાં ગરબા વિસ્તારવાળા અને વર્ણનાત્મક છે. આ ઉપરાંત દયારામે પણ ગરબીઓની રચના કરી હતી. નરસિંહ, મીરાં, ભાલણ વિગેરેના પદોનો વિષય ગરબી છે.


