- ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ
- આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે
- અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ 1 ફેબ્રુઆરીએ PM મોદીને મળ્યા હતા અને તેમને મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. થોડા દિવસો પછી, કોંગ્રેસે આચાર્ય પ્રમોદ ક્રિષ્નમને ‘પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ’માં સામેલ થવાનું કારણ આપીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા.
શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કહે છે કે “આ અમારા માટે ગર્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી કલ્કિ ધામનો શિલાન્યાસ કરશે. PM મોદી સવારે 10.25 વાગ્યે અહીં પહોંચશે. PM મોદી સ્થાપન કરશે. શ્રી કલ્કિ ધામના ગર્ભગૃહમાં મુખ્ય પથ્થર મુકી શિલાન્યાસ કરાશે…”
આ અવસર પર PM મોદી જનસભાને સંબોધિત કરશે.
શિલાન્યાસનો કાર્યક્રમ સવારે સાડા દસ વાગ્યે શરૂ થશે, જેમાં અનેક સંતો, ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ અવસર પર PM મોદી જનસભાને સંબોધિત કરશે. ભગવાન કલ્કિને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માનવામાં આવે છે. સંભલમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ ધામને વિશ્વનું સૌથી અનોખું મંદિર કહેવામાં આવી રહ્યું છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના 10 અલગ-અલગ ગર્ભગૃહ હશે. શ્રી કલ્કિ ધામ મંદિર સંકુલ પાંચ એકરમાં પૂર્ણ થશે, જેને 5 વર્ષ લાગશે.
કલ્કિ મંદિરની વિશેષતાઓ
રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત બંશી પહાડપુરના ગુલાબી પથ્થરોથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાતનું સોમનાથ મંદિર અને અયોધ્યા રામ મંદિર પણ અહીંના પથ્થરોથી બનેલું છે. મંદિર 11 ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, તેના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે. મંદિરમાં 68 મંદિરોની સ્થાપના કરવામાં આવશે, જ્યારે ક્યાંય સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કલ્કિ ધામમાં ભગવાન કલ્કિની નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જ્યારે જૂનુ કલ્કિપીઠ યથાવત રહેશે.
ભગવાન કલ્કિ કોણ છે?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, જ્યારે કળિયુગમાં પાપ તેની ચરમસીમા પર હશે, ત્યારે ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કિ દુષ્ટોને મારવા માટે અવતાર લેશે. અગ્નિ પુરાણના 16મા અધ્યાયમાં કલ્કિ અવતારને ધનુષ અને બાણ ધરાવનાર ઘોડેસવાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેમાં ભગવાન કલ્કિના ઘોડાનું નામ દેવદત્ત તરીકે દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કળિયુગ 432000 વર્ષનો છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે. જ્યારે કળિયુગનો અંતિમ તબક્કો શરૂ થશે, ત્યારે કલ્કિ અવતાર લેશે. આ રીતે, સંભલનું કલ્કિ ધામ વિશ્વનું પ્રથમ ધાર્મિક સ્થળ હશે, જ્યાં ભગવાનની મૂર્તિ તેમના જન્મ પહેલા જ સ્થાપિત કરવામાં આવશે.


