- ભારત-કેનેડા વિવાદ મુદ્દે વિદેશ મંત્રીની બેઠક
- વોશિંગ્ટનમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું અનુમાન
- મેલાની જોલી અને એસ જયશંકર બેઠકમાં રહ્યા હાજર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડા અને ભારત વચ્ચે સંબંધો ખાટા થયા છે. તેવામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે કે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ થોડા દિવસો પહેલા વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેઠક કરી હતી.
ભારત-કેનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇ અનેક દેશોએ કેનેડાના આરોપ પર નિંદા કરી હતી. તેવામાં હવે મહિતી મળી રહી છે કે, કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ થોડા દિવસો પહેલા વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મહત્વની બેઠક કરી હતી. આમતો કેનેડાની સરકાર ભારત સાથે તણાવપૂર્ણ રાજદ્વારી સ્થિતિને ઉકેલવા માટે પ્રયાસો કરી રહી છે. ખરેખર ભારતે કેનેડિયન રાજદ્વારીઓને ભારત છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. ઉપરાંત, કેનેડા તેની રાજદ્વારી પ્રતિરક્ષા ગુમાવવાનો ડર છે. કેનેડાના વિદેશ મંત્રી આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે તેઓ આ તમામ મુદ્દાને ખાનગી રીતે ઉકેલવાનો માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, હજુ સુધી ભારત કે કેનેડાના વિદેશ મંત્રાલયે આ બેઠકની પુષ્ટિ કરી નથી.
ભારતમાં રાજદ્વારી સ્ટાફ ઘટાડવાના નિર્દેશો બાદ કેનેડાના મંત્રીએ કહ્યું હતું કે, અમે ભારત સરકારના સંપર્કમાં છીએ. અમે કેનેડિયન રાજદ્વારીઓની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. અમે ખાનગીમાં આનો પીછો કરવાનું ચાલુ રાખીશું કારણ કે અમે માનીએ છીએ કે રાજદ્વારી વાતચીતો જ્યારે ખાનગી રહે છે ત્યારે શ્રેષ્ઠ કામ કરે છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પણ કહ્યું હતું કે કેનેડા ભારત સાથેની સ્થિતિને વધુ વણસવા માંગતું નથી. તેમણે ખાતરી આપી કે કેનેડા ભારત સાથે જવાબદારીપૂર્વક જોડાણ કરવાનું ચાલુ રાખશે. આમ, તો માહિતી મળી રહી છેકે, કેનેડા ભારતમાંથી લગભગ 30 રાજદ્વારી સ્ટાફ સભ્યોને કુઆલાલંપુર અથવા સિંગાપોરમાં સ્થાનાંતરિત કર્યા છે. જોકે ભારત અને કેનેડાના વિવાદનો ક્યારે અંત આવશે તે હવે સમય જ બતાવશે આ વિવાદ દ્વારા બન્ને દેશોના આર્થિક વિકાસમાં અસર થવાની કોઇ શક્યતા લાગી રહી નથી.