- ઉમેદવાર જાહેર થયા બાદ ધાનાણીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ પર ધાનાણીના પ્રહાર
- ભાજપે જાણી જોઇ વર્ગવિગ્રહ માટે આ સ્થિતિ ઉભી કરી
રાજકોટથી પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. જેમાં રાજકોટ કોંગ્રેસના પરેશ ધાનાણી ઉમેદવાર છ. ત્યારે પરેશ ધાનાણીએ
કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ પર પ્રહાર કર્યા છે. તેમજ જણાવ્યું છે કે ગુજરાત ડ્રગ્સનું ગેટવે બની ગયુ છે. ગુજરાતમાં ભૂમાફિયાઓની બોલબાલા છે. રંગીલા રાજકોટની ભૂમિને હું વંદન કરવા આવ્યો છું. આવનારા 5 વર્ષ સુધી આ ખેતરને સાફ કરવાનું કામ કરીશ.
ભાજપે જાણી જોઇ વર્ગવિગ્રહ માટે આ સ્થિતિ ઉભી કરી
રાજકોટના લોકોના દિલ જીતવા આવ્યો છુ. દેશવાસીઓને રામનવમીની દિલથી શુભેચ્છા છે. આપણી સંસ્કૃતિમાં નારીશક્તિની હંમેશા પૂજા થઈ છે. તેમજ શક્તિનું અપમાન કરનાર અસુરોનું અભિમાન અહીં ઓગળ્યું છે. રાજકોટની ચૂંટણીમાં જાણી જોઇ રણમેદાનમાં ફેરવવા પ્રયત્ન થયો છે. મારા સંભવિત ભાવિ પ્રતિસ્પર્ધીએ જાણી જોઇ નિવેદન આપ્યુ છે. શિક્ષક હોવા છતાં આવું નિવેદન અજાણતા ન થઇ શકે. ભાજપે જાણી જોઇ વર્ગવિગ્રહ માટે આ સ્થિતિ ઉભી કરી છે. વર્ગવિગ્રહનો બીજ રોપવાનો આ પ્રયાસ છે.
પરેશ ધાનાણીએ માતાજીના દર્શન સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો
રાજકોટનું રણમેદાન સાંસદ બનાવવાની લડાઇ નથી. સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવાની આ લડાઇ છે. જનતાના સ્વાભિમાનના રક્ષણની આ લડાઇ છે. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં પરેશ ધાનાણી સામે પરશોત્તમ રૂપાલાનો જંગ જામ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના ઉમેદવારો ખોડલધામ મંદિરમાં દર્શન કર્યા છે. આ દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેના સાથે જ રાજકીય ગતિવિધિઓ પર ચર્ચા શરૂ થઈ છે. જ્યારે પરેશ ધાનાણીએ માતાજીના દર્શન સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.


