By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    9 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મણિ, મહૌષધિ અને મંત્ર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મણિ, મહૌષધિ અને મંત્ર

agragujaratnews
Last updated: 2024/05/23 at 12:43 AM
2 years ago
Share
મણિ, મહૌષધિ અને મંત્ર
SHARE

  • ભાગ્ય ઉપર ભરોસો હોય એવા માણસો ક્યારેય મગજને-બુદ્ધિને મહત્ત્વ આપતા નથી

નંદીપુર નામના નગરની આ ઘટના છે. રાજમહેલોમાં ક્યારેક કેવી કેવી રમતો રમાતી અને એનો ક્યારેક સુખદ પણ અંત આવતો તો ક્યારેક દુઃખદ અંત પણ આવતો. આવી જ એક ઘટના નંદીપુર નગરમાં બનેલી.

વાત એવી હતી કે નંદીપુર નગરના રાજા ધર્મસેન હતા. એમને ત્રણ રાણીઓ હતી. સૌથી મોટી શ્રીકાંતા હતી. બીજા નંબરમાં શ્રીદત્તા હતી. આ બેયનો મનમેળ સારો હતો. બેયનો સ્વભાવ મળતો આવતો. બધાંનું જીવન શાંતિથી પસાર થતું. એમાં એક ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થયો.

રાજા ધર્મસેને ત્રીજાં લગ્ન કર્યાં. એનું નામ હતું શ્રીમતી. એ પણ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. ક્યારેક રાજાને રાજકાજમાં મદદ પણ કરતી. જોકે મોટી બેય રાણીઓને એનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે એમને રાજકારણથી કોઈ મતલબ નથી.

એમ કરતા અનુક્રમે ત્રણેય રાણીઓએ એકેક પુત્રને જન્મ આપ્યો. ત્રણે કુમારો માટે એક જ વાત કરી શકાય. `રંગે રૂડા રૂપે પૂરા.’ બાળકને જુઓને તરત જ આપણને ઉપાડી લેવાનું મન થાય એવા એ રાજકુમારોને તમે જુઓ તો પ્રસન્નતાની અનુભૂતિ થયા વગર રહે નહીં.

ત્રણે રાજકુમારોનાં નામ અનુક્રમે જય, વિજય અને નયધીર હતાં. શ્રીકાંતાનો દીકરો જય, શ્રીદત્તાનો દીકરો વિજય હતા. એ બેયની ઉંમર અને સ્વભાવ પણ સરખાં હતાં. માતાની જેમ બેય દીકરાના સ્વભાવમાં પણ સામ્ય હતું. અભ્યાસમાં પણ બેય ભાઈઓ સરખા હતા.

જ્યાં મનમેળ હોય ત્યાં બીજા બધા પ્રશ્નો ગૌણ બની જાય છે અને મનમેળ ન હોય ત્યાં સીધી વાત પણ અવળી અને અઘરી લાગતી હોય છે. બેય ભાઈઓ સતત સાથે જ રહીને આગળ વધી રહ્યા છે.

ત્રીજો રાજકુમાર નયધીર પણ હતો તો હોશિયાર અને ચતુર, પણ એ થોડો મનમોજી હતો. કોઈની સાથે ભળતો નહીં. એના મોટા ભાઈઓ એને સાથે રાખવા માટે મહેનત કરે, પણ આ ભાઈને બધા સાથે ફાવે જ નહીં પછી શું થાય?

હવે પરિસ્થિતિ એવી બની કે આ બેય ભાઈઓ આખો દિવસ સાથે ને સાથે જ હોય. નગરમાં ફરવા નીકળવું હોય તો પણ આ બેય ભાઈઓ સાથે ને સાથે જ હોય. હવે તો એ વયસ્ક પણ થયા છે. એમની ઉંમર લગભગ અઢાર વીસ વર્ષની થઈ હશે. આખા નગરમાં આ જોડી પ્રખ્યાત થઈ ગઈ છે. જય-વિજયને બધા બોલાવતા હોય અને એ પણ બધાની સાથે હળીમળીને રહેતા હોય, જ્યારે નયધીરના નામની પણ કોઈને ખબર ન હોય. એ પોતાના મહેલમાંથી બહાર જ નીકળતો ન હોય તો એને કોણ ઓળખવાનું હતું?

વાત આટલેથી અટકતી નથી. આની તકલીફ પેલા નયધીરને તો કંઈ ન હતી, પણ ખરી તકલીફ એની માતાને હતી. એ વિચાર કરે છે અત્યારે આખા નગરમાં જય-વિજયની વાતો થાય છે. બધા એ બે જણાને જ ઓળખે છે. મારા નયધીરને તો કોઈ જાણતું જ નથી. આમ ને આમ ચાલશે તો મારા દીકરાને કોઈ ઓળખશે પણ નહીં. તો પછી એ રાજા તો ક્યાંથી બની શકશે? હવે મારા દીકરાને આગળ લાવવા માટે મારે જ પ્રયત્ન કરવો પડશે.

માણસ પોતાના સ્વાર્થ માટે ક્યાં સુધી આગળ વધતો હોય છે અને સામેવાળાના નુકસાનનો તો વિચાર જ ન આવે. સો રૂપિયાનું નુકસાન થાય એમાં હું શું કરું? પણ મને એક રૂપિયાનું પણ નુકસાન થવું ન જોઈએ. આવી નીતિ હોય તો કેવી રીતે ચાલે? ઘણા વિચાર પછી એણે એક સ્ટ્રેટેજી નક્કી કરી. આ વાત રાજાની સામે મૂકવાનો પ્લાન બનાવ્યો. એ પણ એના હિતેચ્છુ બનીને.

એક દિવસ રાજા રિલેક્સ મૂડમાં હતા એ સમયે રાજાની સામે એક પ્રસ્તાવ મૂક્યો. `જય અને વિજય પ્રતાપી વિનયવાન અને સૌભાગ્યશાળી છે, પણ અહીં જ રહેતો એમનો વિકાસ શું? એમના વિકાસ માટે આપે કોઈ વિચાર કરવાનો જ નહીં, એ તો કેવું કહેવાય?’, `તો શું કરવું જોઈએ?’ રાજાએ એની પાસે જ અભિપ્રાય માગ્યો.

`આ તો મને વિચાર આવ્યો એટલે આપને કહ્યું, અમને શું સમજ પડે, આવી વાતો તો આપને જ સમજાયને!’ રાણીએ વાતને વળ ચઢાવવા કોશિશ કરી. `વ્યવહારની વાતોમાં પુરુષ કરતાં સ્ત્રીઓને વધારે સમજ પડે. આમાં તો તું જ કંઈક સૂચન કર. તારા સૂચનનો અમલ કરવામાં આવશે.’

`મને તો એવું લાગે છે કે પરદેશગમન વગર ભાગ્ય ખીલે નહીં અને ખૂલે પણ નહીં. એટલે ભાગ્ય ચમકાવવા માટે પણ માણસે દેશાવર ખેડવા જવું જોઈએ.’

`હા, કદાચ અજાણ્યા મુલકમાં રહેવાથી થોડીઘણી તકલીફ આવી શકે છે, પણ એનાથી ડરવાનું તો ન જ હોયને! એનાથી તો માણસનું વ્યવસ્થિત ઘડતર થઈ શકે. આ તો મને જે લાગ્યું એ કહ્યું. તમને જેમ સારું લાગે એમ જ કરવાનું હોયને!’ આટલું કહીને રાજાને વિચાર કરતા છોડીને પોતે અન્ય કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ. યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ સોગઠી લગાવી હોય તો ધાર્યું ફળ આપ્યા વગર રહે નહીં.

રાજા વિચાર કરે છે વાત તો સાચી છે. ભાગ્યની ખબર તો પરદેશ જાય તો જ પડે. ઘરમાં બેસી રહેવાથી ભાગ્યની પરીક્ષા ન થાય.

એક દિવસ પિતાએ બેય રાજકુમારોને પોતાની પાસે બોલાવ્યા. પ્રેમથી એમની સાથે વાતો કરી. એમને દૈનિક પ્રવૃત્તિઓની ચર્ચા કરી પછી સ્વાભાવિક જ વાત કરતા હોય એમ એમણે કહ્યું. `ડાયો દીકરો દેશાવર ખેડે.’ બેય ભાઈઓ- જય-વિજયે પિતાની વાત સાંભળી એકબીજાએ નજરોથી વાત કરી લીધી. એક અક્ષર બોલ્યા નહીં, પણ મનથી નક્કી કરી લીધું છે કે આપણે હવે દેશાવર ખેડીને આપણું ડહાપણ બતાવવું છે, બોલીને નહીં. એ બેય પોતાની માતાના આશીર્વાદ લઈને રવાના થઈ ગયા.

જેમને ભાગ્ય ઉપર ભરોસો હોય એવા માણસો ક્યારેય મગજને-બુદ્ધિને મહત્ત્વ આપતા નથી. સહજ રીતે જ્યાં પગ લઈ જાય ત્યાં આપણે જવાનું.

ઈષ્ટ દેવતાને નમસ્કાર કરીને બંને ભાઈઓએ પગ ઉપાડ્યા. એ તો ચાલવા માંડ્યા. બંને પ્રકૃતિના ખોળે પ્રેમથી આગળ વધી રહ્યા છે. ઉપર આભ અને નીચે ધરતીનો એમને સહારો છે. જંગલનાં વૃક્ષો ઉપર રહેલાં ફળો એમના પેટની આગ બુઝાવવા પૂરતાં થઈ રહે છે તો નદી, વાવ, કૂવા એ તળાવનાં પાણી પ્યાસથી તૃપ્ત થવા માટે પ્રતીક્ષા કરી રહેલાં હતાં. `આવો ને મારા જળનો ઉપયોગ કરો. તરસ છીપાવો અને શીતળતાનો અનુભવ કરો.’ જાણે આવું કહીને આહ્વાન કરતાં હોય એવાં જળાશયો શોભતાં હતાં.

બંને ભાઈઓ પ્રાકૃતિક દૃશ્યોને આંખ દ્વારા અંતરમાં વસાવતા ગોષ્ઠિ કરતા જતા રાત પડી. એક મોટા વૃક્ષ નીચે આરામ કરી રહ્યા છે. આખા દિવસનો થાક હોય, પડતાની સાથે ઊંઘ આવી જાય, પણ એ રાતે બેય ભાઈઓને ઊંઘ આવતી નથી. ઊંઘનું તો કેવું હોય. મહેનત કરો તો ન આવે અને એને આવવું જ હોય તો એને અટકાવવાની કોઈની તાકાત ન હોય. એ રાતે ઊંઘ જ આવે નહીં. બંને ભાઈઓ વાતો કરી રહ્યા છે. ગુસપુસ ગુસપુસ ચાલુ છે. વચ્ચે વચ્ચે અટકે પણ આજે ઊંઘરાણી રીસાયાં હતાં. શું થાય?

એ ઝાડ એક યક્ષનું નિવાસસ્થાન હતું. આસપાસના વિસ્તારના એ સાર્વભૌમ માલિક હોય. એ લોકો પોતાના ક્ષેત્રમાં બીજા યક્ષને આવવા ન દે, પણ મનુષ્ય પણ જો પોતાને અણગમતો હોય તો એને પરેશાન કરી શકે અને ધારે તો એને ન્યાલ પણ કરી શકે. એ આ બેય ભાઈઓની વાતો સાંભળતો હતો. વાતો સાંભળતા એમના માટે કંઈક સદ્ભાવની લાગણી જાગી. આમને આપણે મદદ કરીએ.

પેલો યક્ષ નીચે ઊતર્યો. જય-વિજયની પાસે જઈને બેઠો. બે ભાઈની વાતોમાં એવી રીતે જોડાયો કે જાણે ત્રીજો ભાઈ હોય. એમની વાતોમાં ભળી ગયો. એણે બંને ભાઈઓને કહ્યું, મારી પાસે એક સરસ મણિ છે, એનો તમે જ ચાહો તે ઉપયોગ કરી શકો. એ હાથમાં લઈને વિચાર કરો મારે આકાશમાં ઊડવું છે- ઊડી શકો. વિચાર કરો રૂપ બદલવું છે- બદલી શકો. વિચાર કરો કે અમુક જગ્યાએ પહોંચવું છે. અમુક કામ કરવું છે. વિચારો એટલામાં તો કામ થઈ ગયું જ સમજો. બીજા નંબરમાં છે મહાઔષધી. ગમે તેવો રોગ હોય, ગમે તેટલો જૂનો હોય તો પણ આ ઔષધ આપવામાં આવે તો તરત જ મરીજ દોડતો થઈ જાય અને ત્રીજા નંબરમાં એક મંત્ર છે. સાત દિવસ સુધી આ મંત્રજાપ કરવામાં આવે તો એને રાજ્યની પ્રાપ્તિ થાય. આ ત્રણે વસ્તુઓ મારે તમને આપવી છે. તમે એનો સ્વીકાર કરો.

જય-વિજય વિચાર કરે છે. આ સ્વપ્ન છે કે સત્ય? આવી અણમોલ ચીજો આપવા માટે કોઈ સામેથી આવે? આ શું શક્ય છે? પણ વાસ્તવિક છે.

રાજા થઈને બેય ભાઈઓ ત્રણે અણમોલ ચીજોનો સ્વીકાર કરે છે. આવી અણમોલ ચીજો મેળવીને કોને આનંદ ન થાય?

બેય ભાઈઓએ ચીજો વહેંચી લીધી. મણિ અને મહૌષધી જયે લીધી છે અને મંત્ર વિજયે લીધો છે. એણે તો તરત જ જાપ કરવાનો ચાલુ કરી દીધો છે. સાત દિવસ સુધી સળંગ જાપ કર્યો. પાસેના નગરના રાજા મરણ પામેલા છે એમને કોઈ દીકરો કે ભાઈ છે નહીં. મંત્રીએ દિવ્ય કર્યું છે. હાથીને નવડાવીને, એની સૂંઢમાં એક કળશ રાખેલો છે. આગળ હાથી ચાલે અને એની પાછળ આખું ગામ ચાલે છે. હાથી ચાલતો ચાલતો ત્યાં આવે છે. જ્યાં જય-વિજય ભાઈઓ બેઠેલા છે. એના ઉપર કળશ દ્વારા અભિષેક કરે છે. નગરજનોએ વિજયની રાજા તરીકે ઉદઘોષણા કરી. મણિ અને ઔષધીનો ઉપયોગ કરીને ઘણાંબધાં પ્રજાહિતનાં કાર્યો એ લોકો કરે છે. અંતે પોતાના રાજ્યમાં જઈને માતા-પિતાને રાજી કરે છે. આપણે પણ આપણું ભાગ્ય ચમકાવવા પ્રયત્નો કરવો જોઈએ.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 6 days ago
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?