By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: જનરલ બોર્ડ ચાલુ થાય એ પહેલા જ ભાજપ કાર્યકરોએ પ્રેક્ષક ગેલેરીનો કબજો લઇ લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

જનરલ બોર્ડ ચાલુ થાય એ પહેલા જ ભાજપ કાર્યકરોએ પ્રેક્ષક ગેલેરીનો કબજો લઇ લીધો

agragujaratnews
Last updated: 2024/07/18 at 8:13 PM
1 year ago
Share
જનરલ બોર્ડ ચાલુ થાય એ પહેલા જ ભાજપ કાર્યકરોએ પ્રેક્ષક ગેલેરીનો કબજો લઇ લીધો
SHARE

ટીઆરપી હત્યાકાંડના પીડિત પરિવાર આવવાના હોવાની જાણ થતા જ ભાજપે આમા પણ અપનાવી ગંદી રાજનીતિ

પ્રવેશ પાસ ન હોવાનું કારણ આપી પીડિત પરિવારને જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશવા ન દેવાયા

દેશ આખાને હચમચાવી નાખતી રાજકોટના ટીપીઆર ટેમ ઝોનના હત્યાકાંડની ઘટના બાદ આજે પ્રથમ વખત જનરલ બોર્ડ મળે અને તેમા વિપક્ષ કોંગ્રેસની જે રણનીતિ હતી તેનો અગાઉથી જ શાસક ભાજપને અંદાજ આવી ગયો હતો. સભાગૃહમાં તો ધમાલ થશે જ એ નક્કી વાત હતી સાથોસાથ પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાથે ટીઆરપી અગ્નિકાંડના પીડિત પરિવારો પણ આવશે તેવુ નિશ્ચિત જણાતા શાસક ભાજપે જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલા જ તેના 3૦થી 3૫ કાર્યકર્તાઓને પ્રેક્ષક ગેલેરીમાં ગોઠવી દેવાની કાઉન્ટર રણનીતિ ઘડી હતી.

Contents
ટીઆરપી હત્યાકાંડના પીડિત પરિવાર આવવાના હોવાની જાણ થતા જ ભાજપે આમા પણ અપનાવી ગંદી રાજનીતિપ્રવેશ પાસ ન હોવાનું કારણ આપી પીડિત પરિવારને જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશવા ન દેવાયાજનરલ બોર્ડમાં મંજૂર થયેલી દરખાસ્તોઆટલા નગરસેવકોએ પ્રજાના પ્રશ્નો મુક્યાટીઆરપી કાંડની ધમાલ નિશ્ચિત હોય પોલીસના ધાડેધાડા ઉતારાયાTRP : સ્થાનિક સંસદ(જનરલ બોર્ડ)માં વિપક્ષે ગોઠવ્યો’તો સવાલોનો ચક્રવ્યુહસસ્પેન્ડેડ સાગઠિયા ડિમોલિશનની નોટિસના ખેલમાં બરોબરના સલવાયા

જનરલ બોર્ડમાં મંજૂર થયેલી દરખાસ્તો

  • સામાન્ય સભા, સ્ટે.કમીટી, ખાસ સમિતિ કાર્યવાહી અંગેના નિયમોમાં જરૂરી સુધારા ચાર મહિના પહેલા સ્ટે.કમીટીમાં મંજૂર કરાયા હતા. જે હવે બહાલી માટે મૂકાયા છે.
  • બોર્ડના ઠરાવની નકલ જોવા માટે અગાઉ એક કલાકનો ચાર્જ સામાન્ય લોકો માટે 50 પૈસા હતો જે હવે રૂા.બે હજાર કરાશે.મેયર કે ડે.મેયરની ગેરહાજરીમાં સ્ટે.ચેરમેન પણ જનરલ બોર્ડનું અધ્યક્ષ પદ સંભાળી શકશે.
  • પગારપંચની વિસંગતતા દુર કરવા
  • માર્કેટ શાખામાં એક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ.ની જગ્યાને સેટઅપમાં લેવા
  • કડિયાનાકા પાસે શ્રમિક બસેરા માટે જમીન ફાળવવાની દરખાસ્ત
  • વોર્ડ નં.18માં 7 રસ્તા પાસેના ચોકનું ‘બાપ્સ’ સ્વામિનારાયણ મંદિર ચોક નામકરણ
  • વોર્ડ નં.16માં કેદારનાથ સોસાયટી મેઇન રોડનું ઉકાભાઇ નનાભાઇ લાવડીયા નામકરણ
  • નાના મવા ચોકની કરોડોની હરાજી રદ્દ કરવી.

આટલા નગરસેવકોએ પ્રજાના પ્રશ્નો મુક્યા

નગરસેવક – પ્રશ્નો

જયોત્‍સનાબેન ટીલાળા – ૨

વશરામભાઇ સાગઠીયા  – ૩

કંચનબેન સિધ્‍ધપુરા – ર

કુસુમબેન ટેકવાણી – ર

બીપીનભાઇ બેરા – ર

ભારતીબેન પરસાણા – ર

કોમલબેન ભારાઇ – ૩

સોનલબેન સેલારા – ર

ડો. અલ્‍પેશભાઇ મોરઝરીયા – ૧

મગનભાઇ સોરઠિયા – ર

રાણાભાઇ સાગઠિયા – ર

કેતનભાઇ પટેલ – ર

ડો. દર્શનાબેન પંડયા – ર

દિલીપભાઇ લુણાગરીયા – ર

દેવાંગભાઇ માંકડ – ર

કીર્તિબા રાણા – ર

ડો. રાજેશ્રીબેન ડોડીયા – ર

નિલેશભાઇ જલુ – ર

ભારતીબેન પાડલીયા – ૧

મકબૂલભાઇ દાઉદાણી – ર

ટીઆરપી કાંડની ધમાલ નિશ્ચિત હોય પોલીસના ધાડેધાડા ઉતારાયા

જનરલ બોર્ડમાં વિપક્ષ તરફથી ધમાસાણ થાય એ નક્કી જ હતુ. ભરી સભામાં જો ટીઆરપી કાંડ, સાગઠિયા કાંડની ચર્ચા થવા દેવામાં નહીં આવે તો સભા તોફાની બનશે તેવા સ્પષ્ટ એંધાણ અગાઉથી હતા. જેના પગલે મનપાની વીજીલન્સ પોલીસ ઉપરાંત શહેર પોલીસના પણ ધાડેધાડા ઉતારી દેવામા આવ્યા હતા.

TRP : સ્થાનિક સંસદ(જનરલ બોર્ડ)માં વિપક્ષે ગોઠવ્યો’તો સવાલોનો ચક્રવ્યુહ

ટીઆરપી ગેમ ઝોનમાં પગથી માથા સુધી બધુ જ ભ્રષ્ટાચારની ઓથે લોલંલોલ જ ચાલ્યુ એ જગજાહેર થઇ ગયુ છે. પણ તેનો સતાવાર પરપોટો અને એ પણ મહાનગરપાલિકાના સંસદ સમાન જનરલ બોર્ડમાં ઓનપેપર ફોડવા માટે વિપક્ષના બન્ને નગરસેવક વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ટીઆરપી ઉપરાંત ટીપી શાખાને લગતા સવાલોનો ચક્રવ્યુહ બનાવ્યો. લેખિતમાં જવાબ માગ્યા. અને જનરલ બોર્ડના નિયમ મુજબ લેખિતમાં સતાવાર જવાબ આપવો ફરજિયાત પણ બને છે. ટીઆરપી ઉપરાંત તેને સલંગ્ન ટાઉન પ્લાનીંગ શાખા, ફાયર બ્રિગેડ શાખા અને ફૂડ શાખાને પણ સાણસામાં લેતા જે સવાલો પુછવામા આવ્યા તે નીચે મુજબ છે.

  • મનપાના ફાયર સેફટી વિભાગ, ટાઉન પ્લાનીંગ, ફૂડ વિભાગ અને જગ્યા રોકાણ વિભાગની મંજૂરી લેવાઇ હતી કે કેમ?
  • ફૂડ વિભાગે કેટલાક સ્ટોલને મંજૂરી આપી હત? ફાયર સેફટીનું એનઓસી લીધુ હતું કે કેમ?
  • એસ્ટેટ અને ટીપી શાખાની મંજૂરી મેળવી હતી કે કેમ?
  • 2023ના સપ્ટેમ્બર માસમાં આ ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે કયા ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કર ગયા હતા, કેટલા ટેન્કર ગયા હતા, ડ્રાઇવર અને ફાયરમેન, ગેમ ઝોનને 260-1 મુજબ નોટીસ અપાઇ હતી કે કેમ? 

સસ્પેન્ડેડ સાગઠિયા ડિમોલિશનની નોટિસના ખેલમાં બરોબરના સલવાયા

નોટિસ બાદ ટેબલ નીચેના વહીવટની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ

ટાઉન પ્લાનીંગ શાખામાં ભ્રષ્ટાચાર માટે એક વ્યવસ્થિત મોડેસ ઓપરેન્ડી ચાલે છે. ગેરકાયદે બાંધકામોને પહેલા ૨૬૦(૧)ની નોટિસ અપવામા આવે છે. જો આ નોટિસ બાદ બાંધાકામ કરનાર આસામી ટેબલ નીચેનો વહીવટ કરવા સામેથી ન આવે તો ૨૬૦(૨)ની નોટિસ ફટકારીને બુલડોઝર મોકલવાની ધમકી અપાય છે. ૨૬૦(૨) એટલે ડિમોલિશનનો આખરી નિર્ણય. આ નોટિસ મળતા જ આસામી ફફડી ઉઠે છે. એટલે મોઢે માગ્યો ટેબલ નીચેનો વહીવટ આપવા માટે મજબૂર બને છે. રાજકોટ મનપાની આ વર્ષો જૂની પંકાયેલી છાપ છે. આજે આ ભ્રષ્ટ વહીવટનો પરપોટો ફોડવા માટે કોંગ્રેસના મહિલા નગરસેવક કોમલબેન ભારાઇએ છેલ્લા ચાર વર્ષમાં ટીપી શાખાએ ડિમોલિશનની કેટલી નોટિસ ઇશ્યુ કરી હતી અને તેમાથી કેટલા બાંધકામો તોડી પાડવામા આવ્યા? તેવો સવાલ પુછયો હતો.

 

You Might Also Like

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

NCBએ મોટા ડ્રગ્સ રેકેટનો કર્યો પર્દાફાશ, 20 કરોડ રૂપિયાની નશીલી દવાઓ કરી જપ્ત

India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ

India News : વારાણસીમાં પૂરે તબાહી મચાવી, ગંગા અને વરુણ નદીના પાણી વસાહતોમાં ઘુસી ગયા, 1978નો રેકોર્ડ નોતરી શકે છે વિનાશ!

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રિય

World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ

By 1 day ago
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
Health News : સામાન્ય આદતોના બદલાવથી લીવર કેન્સરના જોખમને દૂર રાખી શકીએ, સંશોધન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?