- ઈમ્યુન સિસ્ટમને કરશે મજબૂત
- ઓરલ સમસ્યાઓમાં મળશે ફટાફટ રાહત
- સ્કીન અને શ્વાસની સમસ્યાઓમાં પણ કરશે મદદ
રોજ સવારે તુલસીનું પાણી પીવાથી અનેક લાભ મળે છે. તુલસી આયુર્વેદિક ઔષધિ છે, જે સ્વાસ્થ્યને માટે ફાયદો આપે છે. તેમાં એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ તત્વો છે જે હેલ્થને સીધો ફાયદો આપે છે. તો જાણો કેવી રીતે આ ખાસ પાણી બનાવી શકાશે અને તેનાથી હેલ્થને કયા ફાયદા મળશે.
આ રીતે બનાવો તુલસીનું પાણી
10-15 તુલસીના પાન લો. તેને એક કપ પાણીમાં ઉકાળો. પાણીને ઠંડું થવા દો. આ પછી આ પાણીને ગાળીને સવારે ખાલી પેટે પીઓ. તેનાથી હેલ્થને અનેક ફાયદા મળે છે.
ઈમ્યુન સિસ્ટમ બનશે મજબૂત
તુલસીમાં એન્ટીઓક્સીડન્ટ્સ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. તે બેક્ટેરિયા અને વાયરસની સામે શરીરની રક્ષા કરે છે અને સંક્રમણથી બચાવે છે.
હેલ્ધી પાચન
તુલસીનું પાણી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. તે ગેસ, સોજા અને સાથે કબજિયાતમાં મદદ કરે છે. આ સિવાય તે એસિડિટી અને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે.
વજનને કરશે કંટ્રોલ
તુલસીના પાણીમાં મોટાબોલિઝમને વધારવાનો ગુણ હોય છે. તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને શરીરની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.
સ્ટ્રેસ અને ચિંતા કરશે ખતમ
તુલસી એક પ્રાકૃતિક તણાવ નાશક છે. તે માનસિક તણાવ અને ચિંતાને ઓછી કરવામાં મદદ કરે છે અને મસ્તિષ્કને શાંત કરે છે.
સફેદ દાંત અને સ્વસ્થ પેઢા
તુલસીના પાણીના સેવનથી દાંત અને પેઢાનું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે તમારા ઓરલ સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
ડિટોક્સિફિકેશન
તુલસીનું પાણી શરીરના વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. તે શરીરની ડિટોક્સિફિકેશનની પ્રક્રિયાને મદદ કરે છે અને કિડની અને લિવરને પણ સાફ કરે છે.
હાર્ટના સ્વાસ્થ્યને માટે લાભદાયી
તુલસીનું પાણી હાર્ટની હેલ્થને ફાયદો આપે છે. તેમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સના લેવલને ઘટાડવાના ગુણ છે. તેનાથી હ્રદયરોગનું જોખમ ઘટે છે.
સ્કીનની ચમક વધશે
તુલસીના પાણીનું સેવન હેલ્થને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. તેનાથી એન્ટીઓક્સીડન્ટ્સ સ્કીનને નિખારે છે અને સાથે ઉંમરના વધતા સંકેતોને ઘટાડે છે.
શ્વાસની તકલીફોમાં રાહત
તુલસીના પાનનું સેવન શ્વસનતંત્રને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. તે ખાંસી, શરદી અને શ્વાસની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.