By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: શનિદેવ : ભૂલથી પણ કોઈનું અહિત નથી કરતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

શનિદેવ : ભૂલથી પણ કોઈનું અહિત નથી કરતા

Last updated: 2025/05/22 at 12:23 AM
2 months ago
Share
શનિદેવ : ભૂલથી પણ કોઈનું અહિત નથી કરતા
SHARE

શનિદેવનું સ્વરૂપ શનૈશ્વરની શરીર-ક્રાંતિ ઈન્દ્ર નીલમણિ સમાન છે. તેમના શિરે સ્વર્ણમુકુટ, ગળામાં માળા તથા શરીર પર નીલા રંગનાં વસ્ત્ર સુશોભિત છે. શનિ ગિદ્ધ કે કાગડા પર સવાર રહે છે. તેઓ હાથમાં ધનુષ, બાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે.

શનિદેશ શા માટે શીશ નીચું રાખે છે?

શનિની દૃષ્ટિમાં જે ક્રૂરતા છે તે તેમની પત્નીના શાપને કારણે છે. બ્રહ્મપુરાણ અનુસાર બાળપણથી જ શનિદેવતા ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ શ્રીકૃષ્ણના અનુરાગમાં જ નિમગ્ન રહેતા હતા. તેઓ વયસ્ક થયા ત્યારે તેમના પિતાએ ચિત્રરથ નામની કન્યા સાથે તેમના વિવાહ કર્યા. તેમની પત્ની સતી-સાધ્વી અને પરમ તેજસ્વિની હતી. એક રાત્રે તેઓ ઋતુસ્નાન કરીને પુત્રપ્રાપ્તિની ઈચ્છા સાથે તેમની પાસે પહોંચી, પરંતુ શનિ શ્રીકૃષ્ણના ધ્યાનમાં મગ્ન હતા. તેમને બાહ્ય સંસારનું તે સમયે ભાન જ ન હતું. પત્ની પ્રતીક્ષા કરીને થાકી ગઈ. તેમનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો. આથી તેમણે ક્રોધિત થઈને પોતાના પતિ શનિને શાપ આપ્યો કે આજથી તમે જેના પર દૃષ્ટિ કરશો તે નષ્ટ થઈ જશે. ધ્યાનભંગ થયા પછી તેમણે પોતાની પત્નીને ઘણાં મનાવ્યાં. પત્નીને પણ પોતાની ભૂલ પર પસ્તાવો થયો, પરંતુ શાપનો પ્રતિકાર કરવાની શક્તિ તેમનામાં ન હતી. ત્યારથી શનિદેવતા પોતાનું શીશ નીચે રાખવા લાગ્યા, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે તેમના દ્વારા કોઈનુ પણ અનિષ્ટ થાય. આમ, શનિદેવ ક્રૂર નહીં પરંતુ સંત દેવ છે.

હનુમાન ભક્તને શનિ સતાવતા નથી

બજરંગબલીએ શનિ મહારાજને કષ્ટોમાંથી મુક્ત કરાવ્યા હતા અને તેમની રક્ષા કરી હતી. આથી શનિદેવતાએ એવું વચન આપ્યું કે હનુમાનજીની ઉપાસના કરનારને તેઓ ક્યારેય કષ્ટ નહીં આપે, પરંતુ કષ્ટોને દૂર કરીને તેમની રક્ષા કરશે. શનિ અથવા સાડાસાતીને કારણે ભોગવવાં પડતાં કષ્ટોના નિવારણ માટે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. બજરંગબલીની પૂજા અને આરાધના કરવાથી શનિદેવનો પ્રકોપ શાંત થાય છે.

શનિ ગ્રહની શાંતિના ઉપાય

શનિની શાંતિ માટે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરવો જોઈએ. નીલમ ધારણ કરવાથી પણ શનિનો પ્રકોપ શાંત થાય છે.

કર્મકાંડી બ્રાહ્મણને કાળા તલ, અડદ, ભેંસ, લોઢું, તેલ, કાળાં વસ્ત્ર, નીલમ, કાળી ગાય, જૂતાં, કસ્તૂરી અને સુવર્ણનું દાન કરવું જોઈએ.

શનિદેવના મંદિરમાં તેલ અને પીપળાનાં પાનની માળા ચઢાવવી. કાળા કૂતરાને તેલ ચોપડીને રોટલી ખવડાવવી. કાળાં કપડાં, કાળા તલ, કાળા અડદ, સરસવ તેલ, લોઢાના ટુકડા વગેરેનું શનિવારના દિવસે દાન કરવું.

શનિની ઉપાસના

શનિની ઉપાસના કરવા માટે નીચે આપેલ મંત્રનો નિયમિત નિશ્ચિત સંખ્યામાં જપ કરવો જોઈએ. જપનો સમય સંધ્યાકાળ તથા કુલ જપસંખ્યા 23000 હોવી જોઈએ.

સામાન્ય મંત્ર

ૐ શં શનૈશ્વરાય નમ:।

શનિ ગ્રહની વિશેષતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ જો રોહિણી-શકટનું ભેદન કરી દે તો પૃથ્વી પર બાર વર્ષ દુષ્કાળ પડે અને પ્રાણીઓના બચવાની શક્યતાઓ ઘટી જાય. શનિ જ્યારે રોહિણીને ભેદીને આગળ વધે ત્યારે આવો યોગ આવે છે.

આવો જ યોગ મહારાજ દશરથના સમયમાં આવ્યો હતો. જ્યારે જ્યોતિષીઓએ મહારાજ દશરથને જણાવ્યું હતું કે જો શનિનો યોગ આવી જશે તો પ્રજા અન્ન-જળ વગર તડપી તડપીને મરી જશે. પ્રજાને આ કષ્ટથી બચાવવા માટે મહારાજ દશરથ પોતાના રથ પર સવાર થઈને નક્ષત્રમંડળમાં પહોંચ્યા. સૌથી પહેલાં મહારાજ દશરથે શનિદેવતાને પ્રણામ કર્યા અને પછી તેઓએ ક્ષત્રિય ધર્મ અનુસાર તેમની સાથે યુદ્ધ કરતી વખતે સંહારાસ્ત્રનું સંધાન કર્યું. શનિદેવતા મહારાજની કર્તવ્યનિષ્ઠાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન માગવા કહ્યું. મહારાજ દશરથે વરદાન માગ્યું કે જ્યાં સુધી સૂર્ય, નક્ષત્ર વગેરે વિદ્યમાન છે ત્યાં સુધી તમે શકટ ભેદશો નહીં. શનિદેવે વરદાન આપીને સંતુષ્ટ કર્યા.

ગુજરાતમાં શનિદેવનું જન્મસ્થાન

ગુજરાતમાં પોરબંદરથી 27 કિમી દૂર જામનગર રોડ પર આવેલ ભાગવદર ગામના અંદરના ભાગે છ કિલોમીટર દૂર આવેલ હાથલા ગામને શનિ મહારાજનું જન્મસ્થળ માનવામાં આવે છે. જ્યારે નર્મદાના કાંઠે વડોદરા અને રાજપીપળા વચ્ચે શિનોરવા નવા બ્રીજવાળા માર્ગે નાની-મોટી પનોતીનું પૌરાણિક મંદિર આવેલું છે, જે ખૂબ જ પ્રચલિત છે. – પ્રશાંત પટેલ

શનિધામ શિંગણાપુર

ભારતમાં સૂર્યપુત્ર શ્રી શનિદેવનાં મંદિરો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન વગેરે સ્થળોએ આવેલાં છે. તેમાંથી સૌથી મુખ્ય મંદિર છે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ શિંગણાપુરનું શનિમંદિર. આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલા આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયાં સ્થિત શનિદેવની પાષાણ પ્રતિમા કોઈ પણ જાતના છત્ર અથવા ગુંબજ વિના ખુલ્લા આકાશ નીચે એક સંગેમરમર (આરસપહાણ)ના ચબૂતરા પર બિરાજમાન છે. શિંગણાપુરના આ ચમત્કારી શનિમંદિરમાં સ્થિત શનિદેવની પ્રતિમા લગભગ પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી તથા એક ફૂટ છ ઈંચ પહોળી છે. દેશ-વિદેશથી શનિભક્તો એટલે કે શ્રદ્ધાળુઓ આવીને શનિદેવની આ દુર્લભ પ્રતિમાનાં દર્શનનો લાભ ઉઠાવે છે. જોકે, આ મંદિરમાં સ્ત્રીઓનું શનિપ્રતિમા નજીક જવું વર્જ્ય છે. આથી સ્ત્રીઓ દૂરથી જ શનિદેવનાં દર્શન કરે છે. સવાર હોય કે સાંજ, ઠંડી હોય કે ગરમી શનિપ્રતિમા નજીક જવા માટે પુરુષોએ સ્નાન કરીને પીતામ્બર ધોતી ધારણ કરવી જરૂરી છે, કારણ કે આમ કર્યા વગર તેમને સ્પર્શ કરી શકાતો નથી.

શિંગણાપુરની ખાસિયત

શિંગણાપુરના મોટાભાગનાં ઘરોમાં બારી-દરવાજા અને તિજોરી જોવા મળતાં નથી. દરવાજાની જગ્યાએ જોવા મળે તો પણ ખાલી પડદા. આવું એટલા માટે કે ત્યાં ચોરી થતી નથી. એવું કહેવાય છે કે જે પણ ચોરી કરે છે તેને શનિ મહારાજ સ્વયં સજા આપે છે. આથી ગામના લોકો પર શનિદેવની કૃપા છે અને ચોરીનો કોઈ જાતનો ભય જ નથી, તો પછી બારી-દરવાજા કે તિજોરીનું શું કામ?

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
હેલ્થ

Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો

By 5 days ago
Health: હાથ કે પગમાં થતા દુખાવા સાથે જોડાયેલી છે આ ખતરનાક બીમારી, જાણો લક્ષણો
Health News : બાળકોમાં વારંવાર પેટના દુખાવાની ફરિયાદ એપેન્ડિસાઈટિસ બીમારીનો સંકેત, આરોગ્ય નિષ્ણાત
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
Weight Loss Tips : ના કસરત, ના કડક ડાયટ છતાં ઘટશે વજન, ફકત આ બાબતોનું રાખો ધ્યાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?