વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવે 4 નવી વંદેભારત ટ્રેન દોડશે. શ્રીનગરથી કટરા સુધીની આ સફર હવે અડધા સમયમાં પૂરી થશે. જાણો ક્યારે વંદેભારત એક્સપ્રેસ ટ્રેન દોડશે.
કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતાં ભાવિકો માટે કટરા સુધીની સફર રેલ માર્ગે આસાન બનવાની છે. સામાન્ય રીતે શ્રીનગરથી કટરા સુધી પહોંચતા 7થી 8 કલાક લાગતા હોય છે. નવી શરૂ થનારી વંદેભારત ટ્રેનમાં અડધોઅડધ સમય બચી જશે. આ ટ્રેન 3 કલાક અને 5 મિનિટમાં પહોંચાડશે.
6 જૂને PM મોદી લીલી ઝંડી બતાવશે
રેલવે દ્વારા 4 નવી વંદેભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનનું સંચાલન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી શ્રીનગર સુધી કરાશે. આ ટ્રેન 6 જૂનથી શરૂ થશે, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે. તેઓ ચિનાબ પુલનું ઉદ્દઘાટન કરવા કાશ્મીર જવાના છે.
જમ્મુ સ્ટેશનનું રીડેવપલમેન્ટ કાર્ય ગતિમાં
હાલમાં જમ્મુ રેલવે સ્ટેશનનું રીડેવપલમેન્ટ ચાલી રહ્યું છે. અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરિણામે વંદેભારત ટ્રેનનું સંચાલન શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી કરવામાં આવશે. રીડેવપલમેન્ટ કાર્ય પૂરું થતાં વંદેભારત ટ્રેનનું સંચાલન જમ્મુ તવીથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ સુધી કરવામાં આવશે. જોકે વંદેભારત દરેક ઋતુમાં નિયમિત દોડશે.
કટરાથી શ્રીનગર આવ જા કરનારી 4 નવી ટ્રેન :
- 26401 વંદેભારત શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી સવારે 8:10 વાગ્યે રવાના થશે અને 11:10 વાગ્યે શ્રીનગર પહોંચશે.
- 26403 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશનથી બપોરે 2:55 વાગ્યે ઉપડીને બનિહાલ થઈને સાંજે 6:00 વાગ્યે શ્રીનગર પહોંચશે.
- 26402 વંદેભારત જમ્મુ તવી એક્સપ્રેસ બપોરે 2 વાગ્યે શ્રીનગરથી રવાના થશે અને સાંજે 5:05 વાગ્યે કટરા પહોંચશે
- 26404 જમ્મુ તવી વંદેભારત એક્સપ્રેસ ટ્રેન સવારે 8:00 વાગ્યે શ્રીનગરથી ઉપડશે. જે સવારે 9:02 વાગ્યે બનિહાલ પહોંચશે અને 11:05 વાગ્યે કટરા સ્ટેશન પહોંચશે.