- શિયાળામાં ગોળનું સેવન રહેશે લાભદાયી
- ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ સૌથી વધુ
- પાચન, હાડકાં અને માંસપેશીને સ્વસ્થ રાખવામાં કરે છે મદદ
અનેક પરિવારમાં આદે પણ ભોજન કર્યા બાદ ગોળ ખાવાનો રીવાજ છે. તો કેટલાક ઘરમાં રોજ કંઈક ને કંઈક ગળ્યું બનતું જ રહે છે. જો તમે પણ શિયાળામાં ગોળનું સેવન કરી લો છો તો તમારી હેલ્થને અનેક લાભ મળે છે. ગોળનું સેવન તમારી હેલ્થને માટે સારું રહે છે. ગોળ આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમનો સારો સોર્સ માનવામાં આવે છે જે લોહીથી લઈને પાચન, હાડકાં અને માંસપેશીને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરી શકે છે. તો જાણો ગોળ ખાવાથી હેલ્થને કયા લાભ મળે છે.
આયર્નની ખામીને કરશે દૂર
100 ગ્રામ ગોળમાંતી 11 મિલી આયર્ન મળે છે. જો તમારા શરીરમાં આયર્નની ખામી છે તો પાણીમાં ગોળ મિક્સ કરીને તેનું સેવન કરો. તેના સેવનથી હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે આયર્નની ખામીને દૂર કરી શકાય છે.
બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ
ગોળમાં રહેલા પોટેશિયમ અને સોડિયમ શરીરમાં એસિડના લેવલને ઓછું કરવામાં પ્રભાવી માને છે. એટલું નહીં તેના નિયમિત સેવનથી રેડ બ્લડ સેલ્સ પણ સ્વસ્થ રહે છે. રોજ સવારે 1 ટુકડો ગોળ ખાવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.
કબજિયાત
ગોળમાં રહેલા કેટલાક પોષક તત્વો ભોજન પચાવવામાં મદદ કરવાની સાથે સાથે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે. દૂધ અને ગોળનું કોમ્બિનેશન પાચન તંત્રને મજબૂત કરે છે અને સાથે તેના ગુણ પેટનું મેટાબોલિઝમ સારું રાખવાની સાથે ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, અપચો અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.
પીરિયડ્સની સમસ્યામાં મળશે રાહત
ગોળની તાસીર ગરમ હોય છે તેથી અનેક લોકો માસિક સમયે તેનું સેવન ટાળે છે. પરંતુ આ સમયે ગોળનું સેવન કરવાથી પેટ દર્દ, પેટી બળતરા ઘટે છે અને બ્લડ ફ્લો પણ સારી રીતે થાય છે. તેના સેવનથી પીરિયડ્સને નિયમિત કરવામાં મદદ પણ મળે છે. માટે રોજ ભોજન સાથે થોડા પ્રમાણમાં ગોળનું સેવન લાભદાયી માનવામાં આવે છે.
સારું પાચન
ગોળને પાચન માટે સારો માનવામાં આવે છે. આ કારણ છે કે અનેક લોકો ગળ્યું ખાવાનું મન થાય ત્યારે ખાંડને બદલે ગોળને પસંદ કરે છે. ગોળનું સેવન કરવાથી શરીરમાં ડાયજેસ્ટિવ એજન્ટની જેમ કામ થાય છે અને તે પાચન ક્રિયાને સારી બનાવી શકે છે.