By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    8 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ફેબ્રુઆરીના અંતથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વહિવટદારોના હાથમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 ફેબ્રુઆરીના અંતથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વહિવટદારોના હાથમાં

Editor
Last updated: 2026/01/17 at 2:53 PM
2 months ago
Share
 ફેબ્રુઆરીના અંતથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વહિવટદારોના હાથમાં
SHARE

 રાજયમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની કવાયત તેજ બની

 ફેબ્રુઆરીના અંતથી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વહિવટદારોના હાથમાં

છ મનપા, 3૦ જિલ્લા પંચાયત, ૮૧ નગરપાલિકા અને ૨૫૦ તાલુકા પંચાયતની મુદત ફેબ્રુઆરીમાં થશે પૂર્ણ : રાજયના ચૂંટણી આયોગ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરાઇ : અધિકારીઓના હાથમાં સોંપાશે શાસન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિકમ સ્વરાજયની ચૂંટણીની પ્રક્રિયાઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. રાજકોટ સહિતની સંસ્થાઓમાં ફેબ્રુઆરીમાં મુદત પૂર્ણ થશે અને વહિવટદારોનું શાસન લગાવવામાં આવશે. સરકાર આયોગની સાથે રાજકીય પક્ષો પણ તૈયારીમાં લાગી ગયા છે.

રાજ્યની રાજકીય દિશા નક્કી કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે. આગામી ફેબ્રુઆરીના અંત સાથે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાઓ સહિત 30 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ તથા અંદાજે 250 તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવા જઇ રહી છે. મુદ્દત પૂરી થતાં જ આ તમામ સંસ્થાઓમાં ચૂંટાયેલા શાસનનું સ્થાન વહીવટદારો લેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ફેબ્રુઆરીના અંતથી આ તમામ સંસ્થાઓ વહીવટી તંત્રના હાથમાં જશે. મહાનગરપાલિકાઓમાં સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોને વહીવટદાર તરીકે જવાબદારી સોંપાશે. જ્યારે જિલ્લા પંચાયતોમાં આઈએએસ કેડરના અધિકારીઓ નિયુક્ત કરાશે. નગરપાલિકાઓમાં ડેપ્યુટી કલેક્ટર અથવા મામલતદારને તથા તાલુકા પંચાયતોમાં ટીડીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવશે. આ વ્યવસ્થા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી યથાવત રહેશે. રાજ્ય ચૂંટણી આયોગે પણ અંદરખાને તૈયારીઓ આરંભી દીધી છે.

14 ફેબ્રુઆરીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે. આ યાદી આધારે રાજ્ય ચૂંટણી આયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતવિસ્તાર, વોર્ડરચના અને મતદાન કેન્દ્રોની ગોઠવણી કરશે. માર્ચ મહિના દરમિયાન મતદાર મંડળોની અંતિમ રચના પૂરી કરવામાં આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહે ચૂંટણીનું ઔપચારિક એલાન થઈ શકે છે. ત્યારબાદ મે મહિનાના મધ્ય ભાગમાં મતદાન યોજાય તેવી પૂરી સંભાવના છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને ‘મિની વિધાનસભા’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેના પરિણામો આવનારી વિધાનસભાની ચૂંટણી પર સીધી અસર પાડતા હોય છે.

નવ રચિત મહાનગરપાલિકાઓમાં હાલમાં જ વહીવટદારો કાર્યરત છે. બનાસકાંઠા તથા નવી રચાયેલ વાવ-થરાદ જિલ્લા પંચાયતોમાં પણ ચૂંટાયેલ બોડી નથી, તેથી ત્યાં પહેલેથી વહીવટી શાસન ચાલે છે. ફેબ્રુઆરી બાદ સમગ્ર રાજ્યમાં આવી સ્થિતિ વ્યાપક બનશે. રાજકીય પક્ષોએ પણ અંદરખાને ઉમેદવારોની પસંદગી, સંગઠન મજબૂત કરવું અને મતદારો સુધી પહોંચવાની રણનીતિ ઘડવાનું કામ શરૂ કરી દીધું છે. ગામડાંથી લઈને મહાનગરો સુધી રાજકીય ગરમાવો ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે.

કુલ 15 મહાનગરપાલિકાઓ (નવ નવી + છ જૂની)ની ચૂંટણી યોજાશે, જે 68 વિધાનસભા બેઠકોને સીધી અસર કરશે. 32 જિલ્લા પંચાયતો (એક નવી અને 31 જૂની) માટેનું મતદાન 104 વિધાનસભા ક્ષેત્રોને અસર કરશે. 249 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ અંદાજે 104 બેઠકોના રાજકીય સમીકરણ બદલી શકે છે. 80 નગરપાલિકાઓના પરિણામો 74 વિધાનસભા બેઠકો પર અસરકારક સાબિત થશે. આ રીતે રાજ્યની 182માંથી 170થી વધુ વિધાનસભા બેઠકો પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળશે, તેથી તમામ રાજકીય પક્ષો માટે આ ચૂંટણી અત્યંત મહત્વની બની રહી છે.

OBC બેઠકો ઝડપથી નક્કી કરવા કવાયત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલથી મહિના સુધી યોજવા માટે સરકારી તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે. નગરપાલિકા-મહાનગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતોની મોટાપાયે યોજાનારી ચૂંટણીઓમાં કુલ લગભગ 12 હજાર જેટલી બેઠકો ઉપર 27 ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નક્કી કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સમર્પિત આયોગમાં સિનિયર અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં હાઇકોર્ટના નિવૃત ન્યાયાધીશ બી.એન. કારિયાના અધ્યક્ષ સથાને અન્ય પછાત વર્ગો માટેની બેઠકો નક્કી કરવા માટે રચાયેલા સમર્પિત આયોગની પુનઃ રચના કરવામાં આવેલી છે. તેમાં નિવૃત સંયુક્ત સચિવ કે. એસ. પ્રજાપતિની 15 જાન્યુઆરીએ નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ સમયાંતરે વિવિધ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી રહી છે. જેમાં એસસી-એસટી, ઓબીસી અને મહિલાઓને 50 ટકા અનામતનો સમાવેશ થાય છે. હજ્જારો બેઠકો ઉપર અનામત ટકાવારી પ્રમાણે બેઠકોની ફાળવણી કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ હોવાથી તેમાં સિનિયર અધિકારીની નિમણૂક કરી આ કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી ચૂંટણીઓની જાહેરાત કરવા ચૂંટણી પંચ આગળ વધી રહ્યું છે.

ફેબ્રુઆરીથી વસતી ગણતરીનો બીજો તબક્કો

રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે. કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે.

ગુજરાતમાં વસતી ગણતરીને લઇને નિયમો અને વિગતો સામે આવી છે. રાજ્યમાં બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘર યાદી અને મકાન યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. વસતી ગણતરી કરનારા કર્મચારીઓ કામગીરી માટે પોતાનો જ મોબાઈલ વાપરશે.

કર્મચારીઓ અને અધિકારીઓેને તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે. રાજ્ય વસ્તિ ગણતરી નિયામક દ્વારા વસ્તી ગણતરી માટે સ્ટાફ, તાલીમ અને જરૂરી સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે.વસતીગણતરી કરનારા કર્મચારીઓેને તાલીમ આપવામાં આવશે, આ ઉપરાંત ટેકનિકલ સહાય પણ પૂરી પાડવામાં આવશે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
રાજકોટ

રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી

Editor By Editor 8 hours ago
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?