- અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત
- લરખડીયા ગામના લોલોડી પરિવારને નડ્યો અકસ્માત
- એક બાળકી, એક મહિલા અને બે પુરૂષના મોત
સુરેન્દ્રનગરના લખતરમાં અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. જેમાં અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. લરખડીયા ગામના લોલોડી પરિવારને અકસ્માત નડ્યો છે. તેમાં એક બાળકી, એક મહિલા અને બે પુરૂષના મોત થયા છે. આજે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.
3 લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા
ઉલ્લેખનીય છે કે 3 લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. કાર આઇસર સાથે ભટકાતા અકસ્માત થયો હતો. પલાસા ગામે દર્શન કરી પરત ફરતા પરિવારનો અકસ્માત થતા વિસ્તારમાં ચકચાર મચી છે. આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થતા 4 લોકોના મોત ત્રણ લોકો ગંભીર ઇજા ગ્રસ્ત થયા છે. કાર આઇસર સાથે ટકરાતા ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત થયુ છે. તથા અન્ય 3 લોકો પણ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે. તેમજ એક મોત સારવાર દરમ્યાન થતા કુલ ચાર લોકોના મોત થયા છએ.
મૃતકમાં એક મહિલા એક બાળકી અને બે પુરુષનો સમાવેશ
મૃતકમાં એક મહિલા એક બાળકી અને બે પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ 108માં લઈ જતા એક મોત થયુ છે. લરખડીયા ગામનો લોલાડી પરિવારને અકસ્માત થયો છે. પરિવાર માતાજીના દર્શન અર્થે મુળી તાલુકાના પલાસા ગામે જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતના ભાગ રૂપે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. લખતર પોલીસને જાણ થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવક ગાડીમાં ફસાઈ જતા મોત થયું હતું. એક જ પરિવારના ચાર મોત થતા ગામાં શોકનું વાતાવરણ ફેલાયું છે.