By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભક્તે સાચા મનથી પ્રભુના શરણમાં જવું જોઈએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભક્તે સાચા મનથી પ્રભુના શરણમાં જવું જોઈએ

agragujaratnews
Last updated: 2024/06/20 at 1:31 PM
1 year ago
Share
ભક્તે સાચા મનથી પ્રભુના શરણમાં જવું જોઈએ
SHARE

અહંકાર શરણાગતિનો મોટો દુશ્મન છે. તમામ સાધના પછી પણ જો અહંકારનો ભાવ હોય તો બધી જ સાધના એળે જાય છે. જે વ્યક્તિમાં અહં હોય, પોતાની જાતનું અભિમાન હોય તે વ્યક્તિ પરમાત્માનું સમર્પણ નથી સ્વીકારી શકતી

ભગવાન દયાળુ છે અને શરણે આવેલાનું રક્ષણ કરે છે. જે ભક્ત સાચા હૃદયથી પ્રભુનું શરણું સ્વીકારે છે પ્રભુ તેને તેમના પ્રીતિપાત્ર બનાવે છે. મનના સંશયો, શંકા-કુશંકા છોડીને પ્રભુને બધું જ સમર્પિત કરી દેવામાં આવે ત્યારે એ તારણહાર પોતે ભક્તોનાં કાર્ય પાર પાડે છે.

ભગવાન પૂર્ણ રૂપમાં થયેલા શરણાગતિના ભાવને સમજે છે.

તે બહુ જ દયાળુ છે, પણ તેમની દયાના પાત્ર બનવા માટે જાતને તપાવવી પડે છે. જાતને દરેક કસોટીમાંથી પાર પાડીને સમર્થ બનાવવી પડે છે. શરણાગતિનો ભાવ કેળવવા માટે ભક્તે તેના અહંને સૌપ્રથમ ઓગાળવો પડે છે. જોકે, આ શરણાગતિ આડે ઘણાં વિઘ્ન પણ છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતા સંદેશ આપતી વખતે સમજાવ્યું હતું કે ચાર પ્રકારના લોકો શરણાગતિ નથી સ્વીકારી શકતા.

જે લોકો ભગવાનની શક્તિને જાણતા નથી, સમજતા નથી તેઓ ક્યારેય ભગવાનના શરણમાં નહીં આવે, કારણ કે જે વ્યક્તિ ભગવાનના સ્વરૂપને ઓળખતી જ નથી, જેને પરમ સત્તાની શક્તિનો અનુભવ જ નથી થયો તેને ભગવાનને પોતાની જાતને સમર્પિત કરી દેવાનો ભાવ ક્યારેય નથી આવતો. તેથી જરૂરી છે કે સૌપ્રથમ પરમાત્માના અસ્તિત્વનું જ્ઞાન મેળવવું, તેમની અસીમ શક્તિને સમજવી. તેમની શક્તિનો ખ્યાલ આવ્યા પછી તેમના સ્વરૂપમાં આપોઆપ પ્રીતિ જાગે છે અને પ્રેમ જ સમર્પિત થવાનો ભાવ ઉજાગર કરે છે.

ઘણી વાર એવું પણ બને છે કે આપણે ભગવાનને માનીએ છીએ, જાણીએ છીએ, પણ તેમનામાં આપણને પૂર્ણ શ્રદ્ધા નથી હોતી. શ્રદ્ધાના અભાવમાં પણ મનુષ્ય આમતેમ ભટકતો રહે છે અને સાચી શરણાગતિથી વંચિત રહી જાય છે. જો ભગવાનના શરણમાં સાચા દિલથી, સમર્પણભાવથી જવામાં આવે તો તેની કૃપાને પામી શકાય છે. જો પ્રભુના અસ્તિત્વમાં નરસિંહ મહેતા અને મીરાં જેવી શ્રદ્ધા પ્રગટાવવામાં આવે તો નરસિંહ અને મીરાંની જેમ આપણને પણ કુદરત સાથે હોવાની અનુભૂતિ થઈ શકે છે.

અહંકાર પણ શરણાગતિનો મોટો દુશ્મન છે. તમામ સાધના પછી પણ જો અહંકારનો ભાવ હોય તો બધી જ સાધના એળે જાય છે. જે વ્યક્તિમાં અહં હોય, પોતાની જાતનું અભિમાન હોય તે વ્યક્તિ પરમાત્માનું સમર્પણ નથી સ્વીકારી શકતી. જેવી રીતે જ્ઞાનપ્રાપ્તિના માર્ગમાં અહં વિઘ્નરૂપ બને છે તેવી જ રીતે ભક્તિના માર્ગમાં પણ અહં વિઘ્નરૂપ બને છે ત્યારે સંપૂર્ણ સમર્પણ માટે અહંને ઓગાળવો પણ જરૂરી છે.

આ રીતે અહંકાર, અવિશ્વાસ અને પરમાત્મા પ્રત્યેની અજ્ઞાનતા મનુષ્યને શરણાગતિ સ્વીકારતાં રોકે છે. ચોથા પ્રકારની વાત કરીએ તો એવા પ્રકારના લોકો ભગવાનના શરણે જઈ શકતા નથી જે આસુરી પ્રવૃત્તિમાં વધુ લીન હોય છે, જેમના મનમાં ક્રોધ, લાલસા, વાસના વેરઝેર ભરાયેલાં હોય તેવી વ્યક્તિ ક્યારેય ભગવાનનું સંપૂર્ણ સમર્પણ નથી સ્વીકારતી. આ રીતે આપણે જાણ્યું તેમ ભગવાનનું સંપૂર્ણ શરણું સ્વીકારવા માટે આપણે આપણી જાતને તેમની પ્રીતિમાત્ર બનાવવી પડે છે. જો દુર્ભાવોને મિટાવીને જાતને સાધી લેવામાં આવે તો મનની પવિત્રતા સાથે પ્રભુના શરણે જવાનો માર્ગ મોકળો બને છે.

શરણાગતિના ત્રણ ભાવ છે :

શરણાગતિ માટે ભક્તમાં સરળતાનો ભાવ હોવો જોઈએ.

હૃદય છળકપટના ભાવથી મુક્ત હોવું જોઈએ.

ભક્તિમાં દેખાડો, દંભ અને પ્રપંચ ન હોવાં જોઈએ.

 આ ઉપરોક્ત ત્રણેય ભાવને લઈને જો પ્રભુના દ્વારે જવામાં આવે તો તેના પર પ્રભુની કૃપા અવશ્ય થાય છે. જ્યારે અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનનાં શરણોમાં તેના દરેક સંશયોને રાખી દે છે અને સંપૂર્ણ સમર્પણભાવ દર્શાવે છે ત્યારે જ શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનનો હાથ ઝાલે છે અને ગીતા દ્વારા તેમના સંશયોને શ્રદ્ધામાં ફેરવી દે છે. આધ્યાત્મિક જગતમાં શરણાગતિનાં અદ્ભુત ઉદાહરણ છે જેમણે સો ટકાના સમર્પણથી ભગવાનના હૃદયમાં ચિરસ્થાયી સ્થાન મેળવ્યું છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત
રાષ્ટ્રિય

USA Crypto Fraud Case : અમેરિકામાં ભારતીય વ્યક્તિની ધરપકડ, દિલ્હીમાં 42.8 કરોડની સંપતિ જપ્ત

By 6 days ago
Health Tips : ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ સુગર નિયંત્રણમાં રાખવા દરરોજ કરવું જોઈએ આ કામ
Health Tips : વરસાદમાં ટેસ્ટી ફરસાણ પાડશે બીમાર, ભોજનનો સ્વાદ વધારવા સ્પ્રાઉટ્સ ચાટ શ્રેષ્ઠ વિકલ્પ
Bihar પોલીસની મોટી કાર્યવાહી, 7 મહિનામાં 6,531 લીટર દારુ કર્યો જપ્ત, 45 તસ્કરોની કરી ધરપકડ
Health News : નાળિયેરનું પાણી આ લોકો માટે ઝેર સમાન, જાણો કયા રોગોમાં ના કરવું સેવન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?