- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસના UAEના પ્રવાસે
- 13 ફેબ્રુઆરીએ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં સંબોધન
- 14 ફેબ્રુઆરીના રોજ BAPS હિન્દુ મંદિરનું કરશે ઉદ્ઘાટન
સંયુક્ત આરબ અમીરાતના અબુધાબીમાં 14 ફેબ્રુઆરીના રોજ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થવાનું હતું. મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેના પહેલા આવતીકાલે 13 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી અબુધાબીના જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરશે. આ કાર્યક્રમને ‘અહલાન મોદી’ એટલે કે ‘નમસ્કાર મોદી’ નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદીના આગમન પહેલા સોશિયલ મીડિયામાં જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમની એક ઝલક સામે આવી છે.
મહત્વનું છે કે, 13 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધા નરેન્દ્ર મોદી UAEની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરવાના છે. UAEના ભારતીય રાજદૂત સંજય સુધીરે આ અંગે જણાવ્યું હતું કે, UAEમાં અહલાન મોદી કાર્યક્રમ માટે 65000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે અને હજી વધુ લોકોને સમાવી શકાય તેવી શક્યતા ન હોવાને કરાણે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું છે.
UAE લગભગ 3.5 મિલિયન ભારતીયોનું ઘર
વધુમાં સંજય સુધીરે જણાવ્યું કે, UAE લગભગ 3.5 મિલિયન ભારતીયોનું ઘર છે, જે વિશ્વમાં ક્યાંય પણ ભારતીય નાગરિકોની સૌથી મોટી સંખ્યા છે. ભારતીય ડાયસ્પોરા જ્યાં પણ હોય, તેઓ હંમેશા વડાપ્રધાન મોદીને સાંભળવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે. અમે અહીં તેમનો ઉત્સાહ જોઈ શકીએ છીએ, કારણ કે જ્યારે અમે અહલાન મોદી માટે નોંધણીઓ શરુ કરી હતી અને આજે તે 65,000ને સ્પર્શતાની સાથે જ અમારે ખરેખર નોંધણી બંધ કરવી પડી હતી, કારણ કે અમે હવે વધુ લોકોને સમાવી શકીએ તેમ નથી.
વડાપ્રધાનના વિકસીત ભારતના વિઝનને સાંભળવા માટે ખૂબ ઉત્સુક
લોકો વડાપ્રધાનના વિઝન અને ભારત ક્યાં જઈ રહ્યું છે તેના વિકસીત ભારતના વિઝનને સાંભળવા માટે ખૂબ ઉત્સુક છે. ભારતમાં નીતિગત ફેરફારો શું થઈ રહ્યા છે, અમૃત કાલ, જેમ કે આપણે વારંવાર વાત કરીએ છીએ? તેથી ત્યાં ઘણું બધું છે. ભારતીય સમુદાયમાં નેતાને સાંભળવા માટે ઉત્સાહ છે.


