By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફોજદારીના કાયદાઓની નવી સંહિતાનું સારુંનરસું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રનિંગ કોમેન્ટ્રી - દિલીપ ગોહિલ

ફોજદારીના કાયદાઓની નવી સંહિતાનું સારુંનરસું

agragujaratnews
Last updated: 2023/12/21 at 5:21 PM
2 years ago
Share
ફોજદારીના કાયદાઓની નવી સંહિતાનું સારુંનરસું
SHARE

ભારતીય નાગરિક સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય એવા નામ સાથે સુધારેલા ફોજદારી કાયદાને સ્માર્ટલી સમજી લેજો નહિતો તમારો સ્માર્ટફોન તમારા ગળામાં ગાળિયો નાખી દેશે

વિપક્ષની ગેરહાજરીમાં ત્રણ અગત્યના કાયદા, મુખ્યત્વે ફોજદારી કાયદામાં સુધારા રજૂ થઈ ગયા છે તે પછી કેટલાક મહત્ત્વના ફેરફારો થયા છે. જમાનાને અનુરૂપ ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સને એટલે કે કમ્પ્યુટર, લેપટોપ, મેમરી સ્ટોરેજમાં સોફ્ટ સ્વરૂપે રહેલી માહિતીને પણ પુરાવા તરીકે ગણવામાં આવશે. જૂનો કાયદો ઇન્ડિયન એવિડન્સ એક્ટ હતો તેમાં ઇલેક્ટ્રોનિક્સ દસ્તાવેજોને સેકન્ડરી એવિડન્સ ગણાતા હતા, પણ હવે તેને પ્રાયમરી એવિડન્સ તરીકે ગણવામાં આવશે. અગાઉ એવું થતું હતું કે તમે કોઈને મેસેજ કર્યો હોય કે પેમેન્ટ થઈ જશે તેને મુખ્ય પુરાવો ગણવામાં આવતો નહોતો. તમને આપવામાં આવેલું બીલ, માલની ડિલિવરી તમને થઈ હતી તેના દસ્તાવેજો મુખ્ય ગણાતા હતા. તમે ચેક આપ્યો હોય તે મુખ્ય પુરાવો ગણાય, મેસેજ કરીને જણાવી દીધું હોય કે પેમેન્ટ કરી દીધું તે દ્વિતિય આધાર ગણાય.
ઉપરથી નિર્દોષ લાગતો આ સુધારો તમે કાળજી નહીં લો મુશ્કેલીમાં મૂકાઈ શકશો. આપણે સ્માર્ટફોન વાપરવામાં તદ્દન બેકાળજી રાખીએ છીએ. તે બાબતમાં મૂરખ સાબિત થઈ રહ્યા છીએ. ખાસ કરીને વૉટ્સઅપમાં આવતા જૂઠાણાનો જમાનો છે. ખરાઇ કર્યા વિના હાડોહાડ જૂઠને સાચું માની લેવામાં આવે છે અને તેને ફોરવર્ડ કરવામાં આવે છે. હવે આવા કોઈ મેસેજને સ્ટોર કર્યો કે ફોરવર્ડ કર્યો અને તેમાં ફોજદારી ફરિયાદ થઈ તો મુશ્કેલી થઈ શકે છે.
ત્રણેય કાયદાનો સાર એ છે કે સત્તામાં બેઠેલા લોકોના હાથમાં વધારે સત્તા આવી છે અને પોલીસને વધારે તાકાત મળી છે. ધરપકડ કરવાની અને ધરપકડ કરીને લાંબો સમય કોઈને કેદમાં રાખી શકવાની સત્તા પોલીસને મળી છે તેનો ભરપુર દુરુપયોગ થઈ શકે છે. તેની પાછળનો હેતુ એ છે કે માફિયા ડોન, આતંકવાદીઓ, ભાંગફોડિયા કાયદાની છટકબારીઓનો લાભ લઈને જલદી પકડમાં આવતા નથી. ભાંગફોડિયા તત્ત્વોને આગોતરા જ ઝબ્બે કરી લેવા માટે પોલીસને વધારે પાવર આપવાની વાત આમ સારી લાગે છે. પોલીસ કે કાયદાનું પાલન કરનારી સંસ્થા લાચાર ના લાગવી જોઈએ એ વાત સાચી. તે માટે કેટલાક ડિસ્ક્રેશન આપવામાં આવ્યા છે, જેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને પોલીસ સત્તા વાપરે. પણ કોઈ અધિકારીની દાનત બગડે ત્યારે કે અંગત કારણોસર આ જ જોગવાઈનો ઉપયોગ નાગરિક સામે પણ થઈ શકે છે તે ભયસ્થાન થોડું વધ્યું છે.
એક વિચિત્રતા કાયદાના નિષ્ણાતો એ બાબત તરફ દોરી રહ્યા છે કે હત્યાના કેસમાં સાત વર્ષની કેદની સજાની જોગવાઈ થઈ છે, જ્યારે પોતાની ઓળખ છુપાવવાના કેસમાં 10 વર્ષની કેદની જોગવાઈ છે. એટલે કે તમે કોઈ યુવતીને હત્યા કરી નાખો તો સાત જ વર્ષની કેદ થાય, પણ ખોટી ઓળખ આપીને તેની મેરેજ કર્યા હોય તો દસ વર્ષની કેદ થઈ શકે. આ ઓળખ છુપાવવાનો કાયદો મૂળ તો લવ જેહાદના ચૂંટણી પ્રચારના મુદ્દાને જોર આપવા માટે છે, પણ આ જોગવાઇનો ગેરફાયદો પણ પોલીસ ઉઠાવી શકે છે. મને ખોટી ઓળખ આપી હતી એવું કોઈ કહી દે ત્યારે સામી વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાઈ જાય. કોઈ તમને કોઈ ઓળખાણ આપે ત્યારે તે સાચી છે કે નહીં, વ્યક્તિ સાચું બોલે છે કે નહીં, વ્યક્તિના વાણીવર્તન સાથે તેની વાતોનો મેળ બેસે છે કે નહીં તે જોવાની જવાબદારી પણ થોડી ઘણી ફરિયાદીની હોય કે નહીં?
એ આખી નૈતિક અને વ્યવહારિક બાબત છે એટલે કાયદામાં તો કાયદો કાયદાનું કામ કરે. શુભ ઈરાદાથી, દેશના હિતમાં પોલીસ અધિકારી આ જોગવાઈનો ઉપયોગ કરે તો નવા કાયદા સાર્થક પણ થશે. ભાંગફોડિયા તત્ત્વોને કાબૂમાં લેવા માટે આકરા પગલાં લેવા પડતા હોય છે અને સુરક્ષાનું કામ કરનારા તંત્ર પાસે પૂરતા સંસાધનો, સુવિધા અને કાયદા પણ હોવા જોઈએ. સાથે જ દેશદ્રોહ અને રાજદ્રોહ વચ્ચેના ભેદને વધારે સ્પષ્ટ કરાયો છે તે પણ સારી બાબત છે. સરકારનો વિરોધ કરવાની વાતને દેશદ્રોહ નહીં ગણવામાં આવે. દેશને હાની થાય, ભાંગફોડ થાય, જાહેર સલામતીનો ભંગ થાય તેવી બાબતોને અલગ કરીને વિરોધ કરવાની બાબતને વધારે સ્પષ્ટ વ્યાખ્યાઇત કરવામાં આવી છે તે પણ સારી બાબત છે.
સૌથી વધારે સમસ્યા કદાચ ઇલેક્ટ્રોનિક્સ પુરાવાની બાબતમાં થઈ શકશે. અહીં બંને પક્ષે વિચારવું પડશે, પોલીસ તંત્રને હજી વધારે સજ્જ કરવું પડશે અને નાગરિકોએ હવે પોતાના લેપટોપ, પીસી, સ્માર્ટફોન વાપરવામાં અને સ્ટોરેજમાં શું રાખ્યું છે તેની કાળજી રાખવી પડશે. બીજું લેપટોપ કોની માલિકીનું છે તે સાબિત કરવાનું વળી બંને બાજુએ જોખમી સાબિત થઈ શકે છે. ચાલાક ગુનેગાર અને ચાલાક ટેક્સચોર લેપટોપ મારું છે જ નહીં એવું કહી શકશે, જ્યારે પોલીસની દાનત બગડે ત્યારે કોઈ એક લેપટોપ લાવીને કહી દે કે આ તમારું છે ત્યારે તમારું નથી તે સાબિત કરવાનું ભારે પડી શકે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે તમારી કાર ચેક કરવાના બહાને ડીકીમાં ડ્રગ્ઝનું પડિકું મૂકીને પોલીસ ભલભલાને ફસાવી દે છે. આવતી કાલે તમારી ઓફિસમાં પોલીસ ખિસ્સામાં ડ્રાઇવ લઈને આવશે અને તમારા ડેસ્કના ખાનામાં નાખી દેશે તો?
એવી આશા રાખીએ કે નવી જોગવાઈઓમાં પ્રેક્ટિકલી શું થાય છે તેનો અભ્યાસ કર્યા પછી ભવિષ્યમાં જરૂર પડે તેમાં પણ સુધારા કરવા માટેની તૈયારી સરકાર દાખવે. ભૂતકાળમાં ટાડાનો કાયદો આતંકવાદીઓ માટે લાવવામાં આવ્યો હતો, પણ હજારોની સંખ્યામાં તેના કેસ બીજા પર થઈ ગયા હતા. કંટાળેલી પોલીસ બૂટલેગર કે ખિસ્સાકાતરુ સામે પણ ટાડા લગાવી દેતી હતી. તે ખામી દૂર કરવામાં બહુ સમય લાગ્યો હતો અને લાંબી કાનૂની લડાઈ લડવી પડી હતી.
અંગ્રેજોએ પોતાની સત્તા ટકી રહે તે માટે જે ફોજદારી કાયદા કર્યા હતા તેમાં ફેરફારો કરવા જરૂરી હતા. સાથે જ તેનું નામ પણ ભારતીય પ્રકારનું રાખવામાં આવ્યું તેને કોઈ મુદ્દો બનાવવાની જરૂર નથી. ભારતમાં ભારતીય નામો સાથે જ કાયદા હોય તેમાં ખોટું શું છે? કાયદા આધુનિક યુગની લોકશાહીને શોભે તેવા, નાગરિકોની કનડગત ના થાય તેવા અને પોલીસ તથા સુરક્ષા એજન્સી જ્યાં જરૂર હોય ત્યાં જ પોતાની તાકાત દેખાડી શકે તે પ્રકારના હોવા જોઈએ. એવા ઈરાદા સાથે આ કાયદા બન્યા છે, તેનો અમલ શરૂ થાય પછી તેમાંથી ગુનેગારો કેવા છિંડા શોધે છે અને પોલીસ અને સત્તાધીશો તેને કેટલો દુરુપયોગ કરે છે તે સમજવા માટે સમયની જરૂર છે.

You Might Also Like

ભારતમાં ક્રિપ્ટોનો ધંધો 90 ટકા ઘટ્યો

હૂતીઓના ભૂમિ પરના અડ્ડા પર હુમલો

કેનેડા નહીં તો ક્યાંય પણ ચાલશે!

જાપાનમાં અર્થક્વેક અને અમદાવાદ-સુરતનું હવામાન

2024ના વર્ષમાં અર્થતંત્રની અપેક્ષાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

Editor By Editor 23 hours ago
મહિકાના પાટીયા પાસે જમવાનું પાર્સલ લઇ ઘરે જતાં યુવાનને કાળ આંબ્યો
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?