- સ્યૂસાઇડ નોટમાં પરિવારના પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું
- પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી
- બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા
મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્ની અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામૂહિક રીતે ગળેફંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા કોઈ જવાબદાર ન હોવાનુ જણાવ્યુ છે.મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.19એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફ્લેટમાં ગળેફંસો ખાઈ સામૂહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, એ ડિવિજન પીઆઇ હકૂમતસિંહ જાડેજા સહિતનો કાફ્લો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ ઉજવ્યો હોવાનું નજીકના પરિવારજનો જણાવી રહ્યા છે. બીજી તરફ્ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું