- રુદ્રાક્ષમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક એનર્જીની સાથે ફાઇટો કેમિકલ્સ પણ છે
- ઊંદરો પર કરવામાં આવેલા પ્રયોગમાં સફળતા હાંસલ થઇ
- કિમોથેરાપીની ઘણી સાઇડ ઇફેક્ટ્સ છે પણ રુદ્રાક્ષના ફાઇટો કેમિકલ્સની કોઇ સાઇડ ઇફેક્ટ નથી
હવે રુદ્રના અશ્રુથી બનેલો રુદ્રાક્ષ કેન્સરના ઉપચારમાં પણ સહાયક બનશે. તેના માટે ઊંદરો પર કરવામાં આવેલા પ્રયોગમાં સફળતા હાંસલ થઇ છે. હવે મનુષ્ય પર ટ્રાયલ માટે શોભિત વીવીના વિદ્યાર્થીઓની બીએચયુની સાથે કરારની તૈયારી થઇ રહી છે. સંશોધનકારોનો દાવો છે કે રુદ્રાક્ષમાં ઇલેક્ટ્રો મેગ્નેટિક એનર્જીની સાથે ફાઇટો કેમિકલ્સ પણ છે. ફાઇટો કેમિકલ્સની અસર કિમોથેરાપીની માફક હોય છે. કિમોથેરાપીની ઘણી સાઇડ ઇફેક્ટ્સ છે પણ રુદ્રાક્ષના ફાઇટો કેમિકલ્સની કોઇ સાઇડ ઇફેક્ટ નથી. શોભિત વીવીના ડો. શિવા શર્મા, ડો. મનિષા શર્મા અને સંશોધનકાર મિલિન સાગર તથા પ્રશાંત પાંડેએ રુદ્રાક્ષ પર સંશોધન કર્યું છે.
રુદ્રાક્ષમાં ઘણા લાભદાયક ફાઇટો કેમિકલ્સ
રુદ્રાક્ષમાં ઘણા લાભદાયક ફાઇટો કેમિકલ્સ પણ છે. એકલેલોઇડ, ફિનોલિક અને ફ્લેવેનોઇડ્ઝ ફાઇટો કેમિકલ્સનું અતુલનીય સંતુલન છે. કેન્સરના રોગી માટે તે રામબાણ છે. રુદ્રાક્ષના ફાઇટો કેમિકલ્સની ક્ષમતા તથા પ્રભાવ કિમોથેરાપી જેવો જ છે. જો કે કિમોથેરાપીની સાઇડ ઇફેક્ટ તરીકે વાળ ખરવા, ભૂખ કે તરસ ના લાગવી. બેચેની, ગભરાટ રહેવો વગેરે દેખાય છે. રુદ્રાક્ષના ફાઇટો કેમિકલ્સમાં આવી કોઇ સાઇડ ઇફેક્ટ નથી.
ઊંદરો પરનું પરીક્ષણ સંપૂર્ણ સફળ રહ્યું છે
કેન્સરના ગંભીર સ્ટેજમાં રહેલાં ઊંદરોને દિવસમાં ત્રણવાર ફાઇટો કેમિકલ્સમાંથી બનેલી દવા આપવામાં આવી હતી. 15-15 દિવસે તેમના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઊંદરની ભૂખ અને તરસ પર જરાપણ અસર થઇ ન હતી. લિવર, કિડની અને પાચનક્ષમતા પણ યથાવત રહી હતી.