- પાંડેસરામાં 46 વર્ષીય આધેડને આવ્યો હાર્ટએટેક
- પરષોત્તમ પાંડે નામના આધેડનું હાર્ટએટેકથી મોક
- દિવાળી પર્વ માટે ગામ જવા માટેની તૈયારી કરતા હતા
રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટના વધી રહી છે. ત્યારે આજે ફરી એકવાર તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાની માહિતી સામે આવી છે. જેમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું. પરિવારજનો યુવકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અંગેની માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરા વિસ્તારમાં આવેલા સનાતન નગરમાં 45 વર્ષીય પુરુષોત્તમભાઈ ચંદ્રપાલભાઈ પાંડે પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા અને એક દીકરી છે. પુરુષોત્તમભાઈ પ્રિન્ટિંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાર્ટ એટેકની આશંકાએ મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે મોકલવામાં આવ્યું છે.
આ ઉપરાંત સવારે સાડા 6 વાગ્યા આસપાસ પુરુષોત્તમભાઈ ઉઠ્યા હતા અને છાતીમાં દુઃખાવો થતો હોવાનું પુત્રને કહ્યું હતું. દરમિયાન પિતા ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો અને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ત્યાર બાદ પુરુષોત્તમભાઈને 108માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ પરિવારજનોએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમભાઈ પરિવાર સાથે વતન ઉત્તર પ્રદેશ જવા માટે નીકળવાના હતા. આજે સાંજે તેમની ટ્રેનની ટિકિટ હતી. જોકે વતન પહોંચે તે પહેલા જ પરસોત્તમભાઈનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જીવતા જીવત વતન ન પહોંચી શકેલા પુરુષોત્તમભાઈને મોત બાદ અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાશે.


