વિદ્યાર્થીઓના સર્વાંગ વિકાસ માટે ગ્રામ નિર્માણ કેળવણી મંડળ જિલ્લો ભરૂચ તા. નેત્રંગ સ્થિત થવા ગામની એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે કાશીબા હરીભાઇ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સફળતાના સોપાનો’ વિષય પર એક પરિસંવાદનું આયોજન કરાયું હતું. વકતા રાજેશકુમાર ધામેલીયાએ વિદ્યાર્થીઓને સંબંધોતા જણાવ્યું હતું કે જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યેય નિર્ધાર, સખત પુરુષાર્થ, નિયમિતતા, આત્મવિશ્વાસ અને નિયમિત રીતે અભ્યાસ કરવો જરૂરી છે. માત્ર સપના જોઇ અને મને સફળતા કયારે મળશે તેવા દિવાસ્પન્નો નહીં જોઇ વાસ્તવિકતાને સ્વીકારી કોઇપણ આપણા મનગમતા કે અભ્યાસના ક્ષેત્રમાં પ્રયાસ કરવા જોઇએ.
શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ પરિસંવાદને છાત્રો ઉપરાંત શિક્ષકો અને અન્ય લોકોએ ધ્યાન પૂર્વક સાંભળી તેમાં હકારાત્મક બોધ લેવાનો સંકલ્પ કર્યો હતો. કર્મયોગી દિનેશ ઠુમ્મરે વિચારોનું મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટના મંત્રી માનસિંહ માંગરોલા, રાજેન્દ્રસિંહ માંગરોલા, યોગેશ જોશીનો સહકાર પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં કર્મયોગી ભાવેશ સાવલિયા, પ્રવીણ એન પટેલ (આચાર્ય), રંજન વસાવા (આચાર્યા), દિનેશ ચૌધરી (આચાર્ય) વિનોદ સોનવણે (આચાર્ય),અધ્યાપકો, શિક્ષકો અને ધોરણ : 9 થી 12ના 1200થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
થવા ગામની એકલવ્ય વિદ્યાલયમાં ‘સફળતાના સોપાનો’ વિશે પરિસંવાદ યોજાયો
