- હત્યાના આશયથી પરિણિતાને સંતાડી દીધી હોવાનો આક્ષેપ
- પરિણિતા પાલનપુરના બંધ મકાનમાંથી મળી આવી હતી
- જીવિત મહિલાને પેટી પલંગમાં પુરી દીધી હતી
બનાસકાંઠાના વેડચામાં ગુમ થયેલી પરિણિતાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં હત્યાના આશયથી પરિણિતાને સંતાડી દીધી હોવાનો આક્ષેપ છે. ત્યારે પરિણિતા પાલનપુરમાંથી બંધ મકાનમાંથી મળી આવી હતી. તેમાં જીવિત મહિલાને પેટી પલંગમાં પુરી દીધી હતી.
પરિણિતા ગુમ થઇ હોવાનું તરકટ રચ્યું હતું
પરિણિતા ગુમ થઇ હોવાનું તરકટ રચ્યું હતું. કહેવાય છે કે કાનુન કે હાથ લંબે હોતે હૈ, પરંતુ ઘણાં કિસ્સામાં તે વર્ષોના વર્ષો સુધી ટૂંકા સાબિત થતા હોય છે. અગાઉ વડોદરામાં બનેલા એક કેસમાં પણ પોલીસે જમીન પાતાળ એક કર્યા છતાં ગુમ થયેલા મહિલાની કોઈ ભાળ મળી નથી. આ માટે તેમના પતિનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જોકે, હજુ સુધી મહિલાની ભાળ મળી નથી. CID ક્રાઈમે મહિલાને શોધી આપનારાને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. ગુમ થયેલા મહિલાને શોધવા માટે ગુજરાતમાં ગુમ થયેલા વ્યક્તિઓ મળ્યા હોય તે કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. આ સિવાય રેલવે, બસ સ્ટેન્ડ અને ઈમિગ્રેશનમાં પણ મહિલાની તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નથી.
25,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી
મૂળ નડિયાદના ભ્રાંતિ વકીલના લગ્ન વડોદરામાં સહેતા સચિન વકીલ સાથે થયા હતા. તેઓ જ્યારે ગુમ થયા ત્યારે શહેરના ગોત્રી રોડ પર આવેલા હરીનગર વિસ્તારમાં રહેતા હતા અને તે સમયે તેમની ઉંમર 36 વર્ષ હતી, ભ્રાંતિની ભાળ ના મળતા તેમના પિતા દ્વારા હેબિયસ કોર્પસ પણ દાખલ કરવામાં આવી હતી. જોકે, આજદિન સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. હવે CID ક્રાઈમ દ્વારા તેમને શોધી કાઢનારને 25,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
પોતાનો મોબાઈલ ફોન સાયલન્ટ મૉડ પર ઘરે જ મૂકીને ગયા
ભ્રાંતિ વકીલને સંતાનમાં એક દીકરો પણ છે અને તેઓ તારીખ 26 જુલાઈ 2017ના રોજ બપોરે 4 વાગ્યે પોતાના ઘરેથી એક્ટિવા લઈને ઈસ્કોન મંદિર પાસે આવેલા કમ્પ્યુટર ક્લાસમાં રોજની જેમ જ ગયા હતા, તેઓ ક્લાસની બહાર વાહન પાર્ક કરતા પણ નજરે પડ્યા હતા. પરંતુ તે પછી તેઓ સાંજે 6 વાગ્યે ઘરે પરત આવ્યા નહોતા. ચિંતિત થયેલા પરિવારે તેમની શોધખોળ કરતા કોઈ પત્તો લાગ્યો નહોતો, તપાસ કરતા માલુમ પડ્યું કે તેઓ પોતાનો મોબાઈલ ફોન સાયલન્ટ મૉડ પર ઘરે જ મૂકીને ગયા હતા.
CIDને પણ ભ્રાંતિની ભાળ આજદિન સુધી મળી નથી
પરિવારે તેમની રીતે વિવિધ જગ્યાએ શોધખોળ કર્યા પછી પણ ભ્રાંતિનો પત્તો ના લાગતા તેમની ગુમ થયાની જાણવાજોગ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોતાની દીકરી ના મળતા ભ્રાંતિના પિતાએ હેબિયસ કોર્પસ દાખલ કરી હતી, અને જે બાદ આ કેસની તપાસ CIDને સોંપવામાં આવી હતી. જોકે, CIDને પણ ભ્રાંતિની ભાળ આજદિન સુધી મળી નથી. હવે તેમને શોધવા માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈને ભ્રાંતિ વિશે માહિતી મળે તો તે અંગેની જાણ નર્મદા ભવનના 8માં માળે આવેલી CID ક્રાઈમની ઓફિસમાં કરવાની રહેશે.


