જ્યાં સુધી રામમંદિર ન બને ત્યાં સુધી મૌન રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી ઝારખંડના સરસ્વતી દેવીએ
છેલ્લા 3 દાયકાથી મૌનની સાધના કરી રહેલ સરસ્વતી દેવી 22 જાન્યુઆરીએ રામમંદિરમાં દર્શન કરી મૌન તોડશે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર દેશ તેમાં જોડાઈ રહ્યું હોય તેવું વાતાવરણ છે કાપડના વેપારીઓ જાનકી માતા માટે સાડી મોકલી રહ્યા છે તો સુવર્ણ કલાકારો પાયલ બનાવી રહ્યા છે. અમુક લોકો ચાલીને અયોધ્યા પહોંચી રહ્યા છે તો એક બાળક સ્કેટિંગ કરીને અયોધ્યા પહોંચશે તેવા સમાચાર પણ છે.તા. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. રામ મંદિરને લઈને દરેકને ઉત્સાહ છે ત્યારે એક સમાચાર એવા પણ મળી રહ્યા છે કે ઝારખંડના સરસ્વતી દેવી કે જેઓ હાલ 85 વર્ષના છે તેઓએ રામ મંદિર માટે મૌન રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી તે 22 જાન્યુઆરીએ પોતાનું મૌન તોડશે.
ધનબાદ રહેવાસી સરસ્વતી દેવીના પરિવારજનો પાસેથી એવું જાણવા મળી રહ્યું છે કે બાબરી મસ્જિદ ધ્વસ્ત થયા બાદ તેઓએ મૌન ધારણ કરી લીધું હતું અને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે રામ મંદિર બનશે, પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જ તેઓ મૌન તોડશે.આ રીતે 1992 ની સાલથી તેઓ મોન છે અને બપોરે એક કલાક જ વાતચીત કરતા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારથી તેઓ સંપૂર્ણપણે મૌન છે. સંવાદ માટે જરૂર હોય ત્યાં ઈશારા દ્વારા અથવા તો લેખિતમાં તેઓ જાણ કરે છે.
રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની જાહેરાત થઈ ત્યારથી સરસ્વતી દેવી ખૂબ જ ખુશ છે. તેઓ પણ આ આનંદના અવસરમાં સહભાગી થવા અયોધ્યા પહોંચશે. 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે જ તેઓ પોતાની મનની સાધના પૂર્ણ કરશે. સરસ્વતી દેવી ના પરિવારજનો એ જણાવ્યું હતું કે તેણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય છે અને ધ્યાન તેમજ રામ ભક્તિમાં લીન રહે છે.