By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ

agragujaratnews
Last updated: 2023/10/26 at 10:27 AM
2 years ago
Share
સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય અપાવતું વ્રત : કરવાચોથ
SHARE

કરવાચોથ ગુજરાતી તિથિ પ્રમાણે આસો વદ ચોથના દિવસે મનાવવામાં આવે છે. આ વ્રતનું માહાત્મ્ય આજે આધુનિક યુગમાં પણ જરાય ઓછું નથી થયું. ગ્રામીણથી લઈને શહેરની આધુનિક યુવતીઓ પણ બહુ આસ્થા સાથે કરવાચોથનું વ્રત કરે છે. કરવાચોથનું વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ગાઢ બનાવે છે. આ વ્રતનું સૂક્ષ્મભાવ જગતમાં બહુ મહત્ત્ત્વનું સ્થાન રહ્યું છે. પત્ની પતિની દીર્ઘાયુ માટે ભાવથી વ્રત કરતી હોવાથી પતિના મનમાં પણ તેની પત્ની માટે વધુ ને વધુ ગાઢ આદર સાથે પ્રેમભાવ જાગે છે. આ રીતે આ વ્રત પતિ-પત્નીના સંબંધને વધુ ભાવસભર અને ગાઢ બનાવે છે. આ પર્વનું ધાર્મિક તેમજ ભાવનાત્મક મૂલ્ય પણ અનેરું છે.

વ્રતની વિધિ

આ વ્રત 12 કે 16 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી તેનું ઉજવણું કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી આ વ્રત આજીવન કરવા ઇચ્છતી હોય તો પણ કરી શકે છે. વ્રતના દિવસે સવારે સ્નાન ઈત્યાદિ કર્મ પતાવીને સૌભાગ્યવતી સ્ત્રી પતિની દીર્ઘાયુ અને આરોગ્ય માટે દિવસભર નિરાહાર રહેવાનો સંકલ્પ લે છે. આ દિવસે શિવ પરિવાર એટલે કે મહાદેવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશજીની પૂજા, અર્ચના કરે છે. (ૐ શિવાય નમ: પાર્વતી માટે, ૐ નમઃ શિવાય મહાદેવ માટે અને ૐ શુષ્ણુમુખાય નમઃ સ્વામી કાર્તિકેય માટે તેમજ ૐ ગણેશાય નમ: ગણેશજી માટે મંત્રો ઉચ્ચારવામાં આવે છે.) કાળી માટીમાં ખાંડની ચાસણી નાખીને માટીનો ઘડો બનાવવામાં આવે છે અને તેની સ્થાપના કરવામાં આવે છે. કરવામાં (માટીના ઘડામાં) નૈવેદ્ય માટે લાડુ મૂકીને કરવાની પૂજા કરવામાં આવે છે. એક લોટો, એક વસ્ત્ર અને દક્ષિણા અર્પિત કરીને પૂજા સંપન્ન કરવામાં આવે છે. પૂજામાં મૂકેલાં કરવા, વસ્ત્ર સાસુને આપીને તેમના આશીર્વાદ લેવામાં આવે છે. પૂજા કર્યા બાદ કરવાચોથની વાર્તા કરવામાં આવે છે. આ વ્રતના દિવસે સ્ત્રી આખો દિવસ અન્નજળ ગ્રહણ કરતી નથી અને રાત્રે ચંદ્રનાં દર્શન કરીને વ્રતનું સમાપન કરે છે. પછી ભોજન ગ્રહણ કરે છે. સાંજે ચંદ્રમાનો ઉદય થતાં ચંદ્રને અર્ધ્ય આપીને ચંદ્રની પૂજા, અર્ચના કરવામાં આવે છે.

કરવાચોથની કથા

ગામમાં ખૂબ જ સુખી સંપન્ન એક શેઠ રહેતા હતા. તેમને સાત દીકરા અને એક કરવા નામની દીકરી હતી. કરવાને તેના સાતેસાત ભાઈઓ ખૂબ જ પ્રેમ કરતા હતા. કરવાને જમાડીને પછી જ તેના ભાઈઓ અન્ન ગ્રહણ કરતા. કરવાનું થોડું પણ દુ:ખ તેના ભાઈઓ સહન ન કરી શકતા. કરવા પરણીને સાસરે ચાલી ગઈ. પછી એક દિવસે તે પિયર આવી અને સંજોગવશાત્ ત્યારે કરવાચોથ હતી. સાંજે સાતેય ભાઈઓ વેપાર-ધંધાનાં કામ પતાવીને ઘેર આવ્યા. સાંજનું ભોજન કરવાનો સમય થયો. બધા જ ભોજન કરવા બેઠા, પણ કરવા ભોજન કરવા ન આવી. સાતેય ભાઈઓએ તેને આગ્રહપૂર્વક જમવા બોલાવી, પણ કરવાએ કહ્યું કે મારું આજે વ્રત છે. હું ચંદ્રના ઉદય બાદ તેને અર્ધ્ય આપીને જમીશ. ચંદ્ર ક્યાંય દેખાતો ન હતો અને આખા દિવસની ભૂખને લીધે કરવાની હાલત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. તે વ્યાકુળ બની ગઈ હતી. તેના ભાઈઓથી કરવાબહેનની આ હાલત જોઈ ન શકાઈ અને નાના ભાઈએ ઘરના આંગણામાં ઝાડ પર દીપક પ્રગટાવીને તેની આગળ ચારણી મૂકીને ચંદ્ર જેવું પ્રતિબિંબ પાડ્યું. નાના ભાઈએ કરવાને આ પ્રતિબિંબ દેખાડ્યું અને કહ્યું કે, `ચંદ્ર ઊગી ગયો છે તમે દર્શન કરીને જમી લો.’ કરવા તો ચંદ્રને જોઈને ખુશ થઈ ગઈ અને ચંદ્રમાનાં દર્શન કરીને તે જમવા બેસી ગઈ, પરંતુ પહેલો કોળિયો લીધો તો તેમાં વાળ આવ્યો. બીજો કોળિયો લેવા ગઈ તો હાથમાંથી પડી ગયો અને જ્યાં ત્રીજો કોળિયો મોંમાં મૂકે ત્યાં તેના પતિના મૃત્યુના સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળતાં જ તેનાં ભાભીએ ખરી હકીકત તેને કહી સંભળાવી કે, `તમારા ભાઈએ ઝાડ પર દીપક અને તેની આગળ ચારણી મૂકીને તમને ચંદ્રનો આભાસ કરાવ્યો હતો, ખરા અર્થમાં એ ચંદ્ર ન હતો. તમે વ્રતનો ભંગ કર્યો છે, તેથી જ આવું બન્યું છે.’ ભાભીની આ વાત સાંભળીને કરવાએ નક્કી કર્યું કે હું આખું વર્ષ આ વ્રતનું પ્રાયશ્ચિત કરીશ અને પતિના મૃતદેહની સામે આખું વર્ષ બેસી રહીશ. કરવાએ આખું વર્ષ મહાદેવ અને પાર્વતીની પૂજા-અર્ચના કરી અને મૃતદેહની પાસે આખું વર્ષ બેસી રહી. ફરી કરવાચોથનું વ્રત આવ્યું અને તેણે શ્રદ્ધાભેર આ વ્રત કર્યું. કરવાની આખા વર્ષની સાધનાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેના પતિને જીવતદાન આપ્યું. આ રીતે કરવાચોથના વ્રતનો અનેરો મહિમા છે, જેથી દરેક સ્ત્રી કરવાચોથનું વ્રત મંગલમય કામના સાથે સંપન્ન કરે છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
રાજકોટ

જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ

Editor By Editor 6 days ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?