- બે પુત્રીઓ પિતાની છત્રછાયા ગુમાવી
- રખિયાલ દુકાન જતા વેળા અજાણ્યા વાહને ટક્કર મારી હતી
- 2 દિકરીઓ સાથે પુત્રીના અભ્યાસ અર્થે તલોદની કેશવ સોસાયટીમાં રહેતો
અમદાવાદ- મોડાસા સ્ટેટ હાઈવે ઉપર વાહનની ટક્કરે દરજી પરિવારના જુવાનજોધ દિકરાનું તબીબિ સારવાર બાદ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, દહેગામ તાલુકાના રખિયાલમાં ધંધાર્થે સ્થાયી થયેલા કનૈયાલાલ દરજીનો પુત્ર અમિત (ઉ.વ.35) તેની પત્નિ અને 2 દિકરીઓ સાથે પુત્રીના અભ્યાસ અર્થે તલોદની કેશવ સોસાયટીમાં રહેતો અમિત દરજી પ્રતિદિન દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલ હોઈ તલોદથી રખિયાલ બાઈક ઉપર અપડાઉન કરતો હતો. જે પ્રમાણે સોમાવારે સવારે પણ ઘરેથી તેની રખિયાલ ખાતે આવેલી દુકાને જવા માટે પોતાના કબ્જાની બાઈક લઈને નિકળેલ અમિત દરજીની બાઈકને સામેથી આવતા વાહને અડફેટે લેતા ધડાકાભેર રોડ માર્ગ ઉપર પટકાયેલ અમિતને શરીરે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેને રખિયાલ, ગાંધીનગર અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તબીબી સારવાર બાદ મંગળવારે સવારે યુવાને હોસ્પિટલના બિછાને જ આખરી દમ તોડતા બે પુત્રીઓ પિતાની તો પત્નિએ તેના ભરથાર અને માતા પિતાએ દિકરો ગુમાવતા દરજી પરિવારનો જીવનદીપ બુઝાઈ જતાં પરિવારજનો ઉપર આભ તૂટી પડયું હતું. જે બનેલા બનાવની જાણ રખિયાલ પોલીસને થતાં રખિયાલ પીએસઆઈ ગઢવી સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ સ્થળ પંચનામું કરી અકસ્માતે મોતનો ગુનોં નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
બે દિકરીઓ, પત્ની સાથે અમિતની સોમવારની મુલાકાત અંતિમ મુલાકાત બની રહી.
તલોદથી રખિયાલ ખાતે આવેલી પોતાની દુકાને જવા બાઈક ઉપર નિકળેલ દરજી પરિવારના યુવાનને માર્ગમાં મોત ભેટી જતાં પત્નિ અને બે દિકરીઓને અમિત સાથે સોમવારની મુલાકાત અંતિમ મુલાકાત બની જતાં ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શુ થશે તેમ ઘરેથી દુકાને જતાં અકસ્માતમાં કાળમુખા વાહનની ટકકરે મોત ભેટી જતાં પરિવારજનો, મિત્ર વર્તુળ,સગા-સબંધીઓમાં ઘેરા શોકની કાલિમાં છવાઈ જવા પામી હતી.


