જાફરાબાદના ખારવા સમાજના યુવાનનું મૃત્ય થતા સમાજમાં ફેલાયું શોકનું મોજુ
જાફરાબાદના બે યુવાનો બાઇક પર ઊનાથી જાફરાબાદ તરફ આવતા હતા તે દરમિયાન ઊના ભાવનગર નેશનલ હાઇ-વે પર કોઇ કારણોસર બાઇક પરનું બેલેન્સ ગુમાવતા બાઇક રોડના ડિવાઇડ સાથે અથડાયું હતું. જેમાં એક યુવાનનું મોત અને બીજા યુવાનને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જાફરાબાદના ખારવા સમાજ યુવાન ગોપાલ અશોક બારૈયા અને મિલન રામજી બાંભણિયા બાઇક પર ઊના થી જાફરાબાદ કોઇ કામ સબબ જઇ રહ્યા હતા. તે દરમિયાન ઊના ભાવનગર નેશનલ હાઇ-વે પર ગાંગડા ગામ નજીક ચામુંડા હોટેલ પાસે બાઇક ચાલક વાહન પરનો કાબુ ગુમાવતા હાઇ-વે પરના ડિવાઇડ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત સર્જાતા લોકો એકત્રિત થય ગયા હતા. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે ગંભીર ઇજાઓને કારણે મૃત્યું નીપજ્યું હતું. જયારે અન્ય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હોય તાકીદે ઊનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાન પુત્રના મૃત્યનું ખારવા સમાજ અને તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો જોડાયા હતા.


