- સુ્પ્રીમ કોર્ટે આપના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા
- સુપ્રીમે પ્રિસાઈડિંગ ઓફિસરને ગેરરીતિ માટે દોષિત ઠેરવ્યાં હતાં
- ખોટા નિવેદન બદલ CRPCની કલમ 340 હેઠળ ફોજદારી કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે, કોર્ટ એ સુનિશ્ચિત કરવા બંધાયેલ છે કે, આવી યુક્તિઓથી લોકતાંત્રિક પ્રક્રિયાનો નાશ ન થાય. કોર્ટે કહ્યું કે, આ કોર્ટ ન્યાય કરવા બંધાયેલી છે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરવી યોગ્ય નથી. પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર ગેરરીતિ માટે દોષિત છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણી અંગે પોતાનો ચુકાદો આપતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું કે મેયરની ચૂંટણીમાં અમાન્ય કરાયેલા આઠ બેલેટ પેપર માન્ય ગણવામાં આવશે. આ સાથે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને કોર્ટના તિરસ્કારની નોટિસ આપવામાં આવી છે.
કુલદીપ કુમાર ચંદીગઢના મેયર
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો આપતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે કોર્ટ એ સુનિશ્ચિત કરવા બંધાયેલ છે કે આવી યુક્તિઓથી લોકતાંત્રિક પ્રક્રિયાનો નાશ ન થાય. કોર્ટે કહ્યું કે આ કોર્ટ ન્યાય કરવા બંધાયેલી છે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને રદ કરવી યોગ્ય નથી. પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર ગેરરીતિ માટે દોષિત છે.
આઠ બેલેટ પેપર નામંજૂર
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે ચૂંટણીમાં પડેલા બેલેટ પેપરની તપાસ કરી અને જાણવા મળ્યું કે આઠ બેલેટ પેપર માન્ય હતા અને આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં નાખવામાં આવ્યા હતા. પરંતુ મસીહે આ આઠ બેલેટ પેપર સાથે જાણીજોઈને છેડછાડ કરી હતી.
અનિલ મસીહે તેના અધિકારોથી આગળ કામ કર્યું
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડની બેન્ચે કહ્યું કે વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહે કેટલાક બેલેટ પેપર પર ખાસ નિશાનો બનાવ્યા છે. તમામ આઠ મત કુલદીપ કુમારને ગયા. પરંતુ રિટર્નિંગ ઓફિસરે મત ગેરલાયક ઠેરવવા માટે માર્કસ મુક્યા હતા. તેણે સ્પષ્ટપણે તેના અધિકારની બહાર કામ કર્યું છે.
લોકશાહી સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવાની કોર્ટની જવાબદારી
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે લોકતાંત્રિક સિદ્ધાંતો અને મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી કોર્ટની છે. ખંડપીઠે કહ્યું કે કોર્ટે અનિલ મસીહ સામે કોર્ટ સમક્ષ ખોટું નિવેદન રજૂ કરવા બદલ CRPCની કલમ 340 હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે.
અનિલ મસીહને તિરસ્કારની નોટિસ
સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ વિરુદ્ધ CrPCની કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. તેમને કોર્ટના તિરસ્કારની નોટિસ જારી કરવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. મસીહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે, પ્રશાસન અને અનિલ મસીહની આકરી ઝાટકણી કાઢી
તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પ્રશાસન અને રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આ લોકતંત્રની મજાક છે. આ ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસરની કાર્યવાહીનો વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે લોકશાહીની હત્યા થઈ છે. આ રિટર્નિંગ ઓફિસર શું કરે છે? અમે નથી ઈચ્છતા કે દેશમાં લોકશાહીની હત્યા થાય. અમે આવું થવા દઈશું નહીં, આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આંખો બંધ કરીને નહીં બેસે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન થયેલા મતદાન અને મતગણતરીનો વીડિયો જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
મેયરની ચૂંટણીમાં શું થયું?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કાઉન્સિલરો છે. અને સાંસદ કિરણ ખેરનો મત પણ છે. આ રીતે કુલ 36 મત છે. મેયરની ચૂંટણી જીતવા માટે 19 વોટની જરૂર છે. ભાજપ પાસે તેના 14 કાઉન્સિલર અને એક સાંસદ સહિત કુલ 15 મત હતા. જ્યારે આમ આદમી પાર્ટી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 કાઉન્સિલર છે. અકાલી દળના કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું.


