- કેટલાક ઘુવડ દિવ્યાંગ તેમજ અશક્ત હોવાને કારણે તેમને જંગલમાં છોડી શકાય તેમ નથી
- આ આઉલ કાફેની વાઇરલ થયેલી ક્લિપ ઇન્ટરનેટ યૂઝર્સને પસંદ પડી નથી
- આ અનોખા અનુભવના ઘણાં વીડિયો ઓનલાઇન વાઇરલ થયા બાદ કાફેની લોકપ્રિયતા વધી હતી
દુનિયાભરમાં પાળેલા જાનવરોને અનુકૂળ કાફે વિશે તમે સાંભળ્યું જ હશે પરંતુ અબુ ધાબીમાં પહેલીવાર આઉલ કાફે શરૂ થયું છે. બૂમાહ કાફેમાં કુલ 9 ઘુવડ રહે છે.
આ કાફેમાં તમે આ ઘુવડ વિશે જાણી શકો છો, તેમને 70 દિરહામ (લગભગ 1500 રૂપિયા)માં રાખી શકો છો. પક્ષીઓની સારસંભાળ માટે આ કાફેમાં ખાસ પ્રશિક્ષકો રખાયા છે. જોકે, આ આઉલ કાફેની વાઇરલ થયેલી ક્લિપ ઇન્ટરનેટ યૂઝર્સને પસંદ પડી નથી. લોકો તેને પશુઓ પ્રત્યેની ક્રૂરતા ગણાવી રહ્યા છે. આ અનોખા અનુભવના ઘણાં વીડિયો ઓનલાઇન વાઇરલ થયા બાદ કાફેની લોકપ્રિયતા વધી હતી. કાફેના માલિક મોહમ્મદ અલ શેહીએ જણાવ્યું હતું કે ઘુવડોની ભલાઇ અમારા કાફે માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમારું કાફે રોજ બપોરે બે વાગે ખૂલે છે. તેનાથી ઘુવડોને આખી રાત અને સવાર આરામ કરવાની તક મળે છે અને કાફે બંધ થવા પર તેમને સ્વતંત્ર રીતે ફરવા માટે છોડી દેવાય છે. બૂમાહના કેટલાક ઘુવડ ક્યારેય જંગલમાં રહી શકે તેમ નથી. ઉદાહરણ તરીકે વિનસ (ટોની ઘુવડ)ને લો. તેની એક પાંખ બીજી પાંખ કરતા નાની હોવાને કારણે ઊંચાઇ અથવા લાંબા અંતર સુધી ઊડવામાં સમર્થ નહોતી. બૂમાહની ટીમે કરેલી સારસંભાળ બાદ વીનસ હવે એક સ્વસ્થ અને નિરોગી ઘુવડ છે જે દિવ્યાંગતા હોવા છતાં પણ ખુશી સાથે જીવી રહ્યું છે.
જાપાનના આઉલ કાફેથી પ્રેરણા મળી
મોહમ્મદ અલ શેહીએ જણાવ્યું હતું કે આ કાફે શરૂ કરવાનો વિચાર જાપાનના આઉલ કાફેથી પ્રેરિત હતો. તેમણે કહ્યું હતું કે અમે આ વિચારને એ પ્રકારે આગળ વધાર્યો હતો કે તે મધ્યપૂર્વના સમાજને સંતુષ્ટ કરી શકે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ ક્રિયેટર લિટલ ફૂડી દ્વારા કાફેનો એક વીડિયો શેર કરાયો હતો. ક્લિપમાં લાકડાના બોર્ડ પાસે ઘણાં ઘુવડ પોતાના નામ ટેગ અને પ્રજાતિઓની જાણકારી સાથે જોવા મળ્યા હતા.
પોસ્ટમાં શું લખ્યું હતું?
તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે માલિકોએ ઘણીવાર કહ્યું છે કે બૂમાહ રોજ બપોરે 2 વાગ્યાથી રતના 10 સુધી (માત્ર આઠ કલાક માટે) ખૂલે છે, જેથી કરીને ઘુવડોને આરામ કરવા અને એસી રૂમમાં સ્વતંત્ર રીતે ફરવાની તક મળી શકે. કારણ કે આ ઘુવડોની ભલાઇ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કેટલાક ઘુવડો દિવ્યાંગતાને કારણે જંગલમાં નહીં રહી શકતા હોવાને કારણે તેમની પ્રશિક્ષિત કર્મચારીઓની દેખરેખ હેઠળ રખાય છે. ઘુવડના ઓરડાને એક કાચ વડે અલગ કરાયો છે. જો તમે ઘુવડને બસથી દૂરથી જ જોવા માગો છો તો કોઇ વાંધો નથી પરંતુ જો તમે તેમની નજીક જવા માગતા હો તો તમારે વ્યક્તિ દીઠ ફી ચૂકવવી પડશે.


