- અમરેલી જિલ્લામાં ભાજપના બે કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી
- હકુભા જાડેજા અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયાના ઘરે મીટીંગ યોજી
- અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
અમરેલીમાં બનેલી ઘટના બાદ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવી ગયું છે. અમરેલી જિલ્લાના ભાજપના પ્રભારી હકુભા જાડેજાએ અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના નેતા સાથે બેઠક યોજી હતી.
અમરેલી જિલ્લામાં ભાજપના બે કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી
અમરેલી જિલ્લામાં ભાજપના બે કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી જેને લઈને અમરેલી જિલ્લામાં ઘેરા પડતા ખાતો પડ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લાના પ્રભારી હકુભા જાડેજા અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયાના ઘરે મીટીંગ યોજી હતી. જેમાં સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાળા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા આ મિટિંગમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમરેલી જિલ્લાના નેતાઓ અને અમરેલી જિલ્લાના પ્રભારી હકુભા જાડેજા અમરેલી ખાતે આવેલ રાધિકા ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સાથે છે અને ભરત સુતરીયાનો પાંચ લાખ મતથી વિજય થશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
આમ અમરેલી જિલ્લામાં ગઈકાલે જે ઘટના બની હતી તેને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ત્યારે અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના તમામ નેતાઓ સાથે છે અને આગામી દિવસોમાં ભાજપના નેતા ભરત સુતરીયાને જંગી બહુમતીથી જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગઈકાલની ઘટના બાદ પ્રભારીએ જણાવ્યું હતું કે એ ઘટના બંને પક્ષની પર્સનલ ઘટના હતી આ ઘટનાને લઈને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી.


