- શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત
- જીત બાદ સ્ટાર ઓપનર શુભમન ગિલે કર્યો ખુલાસો
- ગિલે સ્વસ્થ ન હોવાનો કર્યો ખુલાસો
ભારતે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમની સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ છે. આ મેચમાં ભારતના ઓપનર શુભમન ગિલે શાનદાર ઈનિંગ રમી હતી. ગિલે 92 બોલમાં 92 રનની ઈનિંગ રમી હતી. ડેંગ્યૂ થવાના કારણે શુભમન ગિલ વર્લ્ડકપની શરૂઆતી 2 મેચ રમ્યો નહતો. જેને લઈ ગિલે મોટો ખુલાસો કર્યો છે. ગિલે શ્રીલંકા વિરુદ્ધ મેચ બાદ કહ્યું કે, હું હજુ સંપૂર્ણ ફીટ નથી.
મારો 4 કિલો વજન ઘટી ગયો- ગિલ
શુભમન ગિલે કહ્યું કે, ડેંગ્યૂના કારણે હું શરૂઆતી 2 મેચ રમી શક્યો નહતો. 2 મેચ બાદ મેં ટીમમાં વાપસી કરી હતી, પરંતુ હજુ હું સંપૂર્ણફિટ થયો નથી. ડેંગ્યૂના કારણે મારો 4 કિલો વજન ઓછો થયો છે. ગિલે આગળ કહ્યું કે, શ્રીલંકાની ટીમ પર પ્રેશર બનાવવા માટે મેં મારા ઈરાદા સાથે સમજુતી કરી નહતી. ઉલ્લેખનીય છે કે, ગિલ શ્રીલંકા વિરુદ્ધ 92 રનની ઈનિંગ રમ્યો હતો. જેના કારણે મેચ એકતરફી થઈ હતી.
હવે સાઉથ આફ્રિકા વિરુદ્ધ છે મેચ
શ્રીલંકાને હરાવ્યા બાદ ભારત સેમીફાઈનલમાં પ્રવેશ કરનારી પ્રથમ ટીમ બની છે. ટીમ ઈન્ડિયા 7 માંથી 7 મેચ જીતીને વર્લ્ડકપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારત હવે આગામી મેચ 5 નવેમ્બરે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમશે. આ મેચમાં જીત અથવા હારથી ભારતીય ટીમને કાંઈ ફરક પડશે નહીં, પરંતુ ટોપ પર રહેવા માટે ભારતે આ મેચ જીતવી પડશે.