- મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા
- જયશ્રી રામના નારા સાથે ઉત્સાહ, ઉમંગનો માહોલ
- રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો આનંદ
અમદાવાદ અયોધ્યાનગરી બન્યું છે. જેમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી રહી છે. તેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે. જયશ્રી રામના નારા સાથે ઉત્સાહ, ઉમંગનો માહોલ છવાયો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરો આનંદ છે.
ઢોલ, ધ્વજ સાથે રામજીની વિશાળ શોભાયાત્રા નિકળી
ઢોલ, ધ્વજ સાથે રામજીની વિશાળ શોભાયાત્રા નિકળી છે. જેમાં ભુલકાઓ રામજીની વેશભૂષા સાથે શોભાયાત્રામાં જોડાયા છે. તેમાં જોતા લાગે છે કે અમદાવાદ અયોધ્યાનગરી બન્યું છે. જયશ્રી રામના નારા સાથે રામ ભક્તોએ ઉત્સાહ, ઉમંગનો માહોલ બનાવ્યો છે. દેશભરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ભક્તોમાં અનેરી ખુશી છે. ઢોલ, ધ્વજ પતાકા સાથે રામજીની વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી છે.

રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના નામકરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રામાયણ ગ્રંથના આધારે વિવિધ પ્રોજેક્ટના નામકરણનું આયોજન કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં આવેલા વિવિધ પ્રોજેક્ટનું નામકરણ કરવાનું આયોજન રામાયણ ગ્રંથના આધારે કરવાનું નક્કી કરાયું છે. આ વિસ્તારના પાર્ટીપ્લોટ, ગાર્ડન, બ્રિજ અને લાઈબ્રેરી યોજનાનું નામકરણ રામાયણના પાત્રો અને સ્થળના આધારે કરવામાં આવનાર છે.

રામાયણ ગ્રંથના આધાર નામ:
– ઓઢવ પાર્ટીપ્લોટને શ્રી રામ પાર્ટી પ્લોટ
– ઓઢવ ગાર્ડનને શબરી વાટિકા
– અન્ય ગાર્ડનને અયોધ્યા વન
– તળાવને લવકુશ તળાવ
– લાયબ્રેરીને વાલ્મિકી ઋષિ લાયબ્રેરી
– સોનીની ચાલી બ્રિજને રામસેતુ
– રાજેન્દ્રપાર્ક બ્રિજને રામરાજ્ય બ્રિજ
– અજીત મિલ બ્રિજને લક્ષ્મણ બ્રિજ
– કુંવારા સર્કલને કેસરીનંદન ચોક


