- શહેરમાં NFSAના 3.50 લાખ કાર્ડ ધરાવનારની સંખ્યા 12 લાખ
- ઘણાં દુકાનદારોને તુવેરદાળ મળી નથી, સમયસર ટેન્ડર નહીં કરતા કાર્ડધારકો વંચિત
- અમદાવાદની 800 સહિત રાજ્યમાં 1700 સસ્તા અનાજની દુકાનો છે
અમદાવાદ સહિત રાજ્યની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા બે મહિનાથી મીઠું જ પહોંચ્યું નથી. ચાલુ મહિને 15 દિવસ થઇ ગયા હોવા છતાં હજી સુધી ચણાનો જથ્થો પણ પહોંચ્યા નથી. ઘણાં દુકાનદારોને તુવેરદાળનો જથ્થો પ્રાપ્ત થયો નથી. સૂત્રો કહ્યું કે, વિભાગ તરફથી સમયસર ટેન્ડર અને જથ્થાની ખરીદી નહીં કરાતા રેશનકાર્ડધારકોને મીઠું, ચણા અને તુવેરદાળના જથ્થાંથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. NFSAના અમદાવાદમાં 3.50 લાખ રેશનિંગકાર્ડની 12 લાખ અને રાજ્યમાં 75 કાર્ડની 3.50 કરોડ જનસંખ્યાની સીધી અસર થઇ છે. સ્થાનિક અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ટેક્નિકલ કારણ છે, વિભાગ તરફથી કાર્યવાહી ચાલે છે.
અમદાવાદની 800 સહિત રાજ્યમાં 1700 સસ્તા અનાજની દુકાનો છે. સિસ્ટમ સારી રીતે ચાલે તે માટે સંપૂર્ણ જવાબદારી ગુજરાત નાગરિક પુરવઠા નિગમની છે. જવાબદારી નિભાવવવામાં નિગમ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. પુરવઠા નિગમની સાયલકલ 30 દિવસના બદલે 45 દિવસની થઇ ગઇ છે. ગરીબોને મફત અનાજ આપવાની વાત માત્ર કાગળ પર જોવ મળે છે. કેટલાક મહિનાથી મીઠું, ચણા અને તુવેરદાળના જથ્થો સમયસર પહોંચતો જ નથી. વિભાગની બેદરકારીના લીધે રાજ્યમાં 3.60 કરોડથી વધુ લોકો પરેશાન થઇ ગયા છે. લોકોને સ્વખર્ચે ખરીદી કરવી પડે છે. જથ્થો પણ ક્વોલિટી વગરનો પ્રાપ્ત થાય છે. જેની ફરિયાદ પણ કરાઇ છે. આમ છતાં સિસ્ટમમાં કોઇ સુધારો જોવા મળતો નથી. બીજી તરફ રાજ્યમાં ત્રણ લાખથી વધુ રેશનકાર્ડ સાઇલન્ટ કરી દેવાયા છે. જેના કેવાયસીમાં પણ ધાંધિયા ચાલી રહ્યા છે. કચેરીના કર્મચારીઓ સહકાર આપતા નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવા છતાં ધ્યાન અપાતું નથી..


