- શાળાઓમાં ફાયર વ્યવસ્થા અંગે આકસ્મિક તપાસ શરૂ કરાઈ
- ફાયર ઓફિસરને સાથે રાખી DEO કચેરીની ટીમ કરી રહી છે તપાસ
- ફાયર NOC,એક્ટિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી એકઝિટ, સાધનો પુરતા અને કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાઈ
રાજકોટ ગેમઝોનમાં બનેલી આગની દુર્ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ સક્રિય જોવા મળી રહ્યું છે. અમદાવાદ DEO કચેરી દ્વારા વિવિધ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને ફાયર NOCને લઈને દરરોજ 100 શાળામાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે.આજે અમદાવાદના DEO ( DISTRICT EDUCATION OFFICER ) એ શાળામાં આકસ્મિક તપાસ કરી હતી.
1 હજાર સ્કૂલમાં ચેકિંગ કરાશે
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્યના તમામ વિભાગો દ્વારા ફાયર સેફ્ટી મામલે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સક્રિય થયું છે. DEO દ્વારા શહેરની દરેક શાળાઓમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ કરવા આદેશ કરાયો છે. અમદાવાદ શહેર DEO કચેરી હેઠળ આવતી 1 હજાર સ્કૂલમાં ચેકિંગ કરાશે.
શાળાઓમાં ફાયર સેફ્ટીનું ચેકિંગ
આ મામલે અમદાવાદ DEO રાકેશ ચૌધરીએ જણાવ્યું કે, અમદાવાદ કચેરીના 20 જેટલા અધિકારીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. દરેકને ઓછામાં ઓછી પાંચ શાળાઓની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે બે દિવસમાં લગભગ 200 જેટલી શાળાઓની ચકાસણી કરવામાં આવી છે. શાળાઓનો સવારનો સમય હોય છે. અધિકારીઓને સોંપેલ પાંચ શાળા પ્રમાણે રોજ 100 જેટલી શાળાઓની ચકાસણી થાય છે.
તમામ શાળા સંચાલનને સૂચના
ઉલ્લેખનીય છે કે, હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. થોડા સમય બાદ જ્યારે નવું સત્ર શરૂ થશે. ત્યારે આ પહેલા અમદાવાદ શહેરની દરેક શાળાના આચાર્યને પરિપત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેમાં નિમ્નલિખિત સૂચના આપવામાં આવી છે.


