અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા IPLની ક્લોઝિંગ સેરેમનીમાં સમગ્ર સ્ટેડિયમમા દેશભક્તિનો રંગ દેખાશે. આખા સ્ટેડિયમને તિરંગાની થીમ પર સજાવાશે અને આ જ થીમ પર સ્ટેડિયમના સ્ટેન્ડમાં લાઈટીંગ થશે. ઓપરેશન સિંદૂરની થીમ પર IPLની ક્લોઝિંગ સેરેમની યોજાશે.
આખું સ્ટેડિયમ દેશ ભક્તિના ગીતોથી ગૂંજી ઉઠશે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવા માટે યોજવામાં આવેલા ઓપરેશન સિંદૂરની થીમ પર IPLની ક્લોઝિંગ સેરેમની યોજાશે. આ દરમિયાન આખા સ્ટેડિયમને તિરંગાની થીમ પર સજાવાશે અને સ્ટેડિયમના સ્ટેન્ડ પર પણ તિરંગાની થીમ પર લાઈટીંગ કરાશે. બોલિવૂડ સિંગર શંકર મહાદેવન ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોમ કરશે. આખું સ્ટેડિયમ દેશ ભક્તિના ગીતોથી ગૂંજી ઉઠશે.
આવતીકાલે RCB અને PBKS વચ્ચે ફાઈનલ મુકાબલો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે RCB અને PBKS વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે. આ મેચ જોવા માટે દેશભરમાંથી લોકો આવ્યાં છે. અમદાવાદની હોટેલોમાં પણ અત્યારે હાઉસફૂલ જેવી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદમાં તંત્ર દ્વારા દર્શકોની મોટી ભીડને નિયંત્રિત કરવા અને ટ્રાફિક સમસ્યાને હળવી રાખવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.