- CCTV Public Safety Project માટે અમદાવાદ શહેર પોલીસે કમરકસી
- સૌપ્રથમ રથયાત્રાના સંપૂર્ણ રુટને CCTV કેમેરાથી કરાશે સજ્જ
- રથયાત્રાના રૂટમાં આવતી મિલકતોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકિંગ કરાયું
અમદાવાદ શહેરમાં વધતી ચોરી લૂટફાટ સહિતની ઘટનાઓ તેમજ અસામાજિક તત્વો પર લગામ લાવવા માટે આગામી ટૂંક સમયમાં શહેરના તમામ રસ્તાઓને CCTV કેમેરાથી સજ્જ કરવામાં માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા CCTV Public Safety Project શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે સૌથી પહેલા અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે.
અમદાવાદ શહેરના તમામ જાહેર રસ્તાઓ CCTV કેમેરાથી સજ્જ કરવા અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. CCTV Public Safety Project માટે અમદાવાદ શહેર પોલીસ કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, શહેર પોલીસ દ્વારા સૌપ્રથમ રથયાત્રાના સંપૂર્ણ રૂટને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે. તો, રથયાત્રા પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર શહેરના જાહેર રસ્તાઓ CCTV કેમેરાથી સજ્જ કરવા માટે શહેર પોલીસ સંપૂર્ણપણે તૈયાર છે.
તો CCTV Public Safety Project હેઠળ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં આવતી દુકાનો, શોરૂમ, રેસીડેન્સીયલ કોમ્પ્લેક્સમાં CCTV બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં, જે સ્થળો પર CCTVના હોય તેવી મિલકતના માલિકોને CCTV લગાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી હતી.


