- પીઆઇ બી.કે.ખાચરની આગોતરા જામીન અરજી કોર્ટમાં કરી હતી
- ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા તબીબએ કરેલા આત્મહત્યા મુદે નોંધાઇ છે ફરિયાદ
- પીઆઈ ખાચર સામે કેસની ગંભીરતા જોતા કોર્યે ફગાવ્યા જામીન
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ પોલીસ અધિકારી પીઆઈ બી.કે. ખાચરની ગત વર્ષે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં 32 વર્ષીય ડૉકટર વૈશાલી જોશી આપઘાત કેસમાં આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. જેથી હવે પીઆઈ બી.કે.ખાચરની સામે ધરપકડની તલવાર લટકતી થઈ છે. ગમે તે સમયે પોલીસ અધિકારીની ધરપકડ થઈ શકે છે.
પીઆઈ બી.કે. ખાચરે આપઘાત કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જો કે ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડૉકટરે કરેલા આપઘાત કેસમાં પીઆઈ બી.કે.ખાચર સામે દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પીઆઈ પોતાની ધરપકડ ન થાય અને તેનાથી બચવા માટે પલાયન થઈ ગયા હતા. બાદમાં પીઆઈએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેથી અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે પણ પીઆઈ ખાચર સામે કેસની ગંભીરતા જોતા જામીન ફગાવી દીધા હતા.


