- ભવિષ્યમાં કેનાલમાં ગાબડું પડે તો કોણ જવાબદાર ?
- RKC ઇન્ફ્રાબેલ્ટ દ્વારા પ્રિકાસ્ટ બોક્સને બદલે માત્ર દીવાલો ઊભી કરી દેવાઈ
- અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા રિટેઈનિંગ વોલ બનાવવામાં આવી હોવાનું જોવા મળ્યું
AMC દ્વારા રૂ. 1,250 કરોડના ખર્ચે ખારીકટ કેનાલને ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં કેનાલની વચ્ચે પાણીના નિકાલ માટે પ્રિકાસ્ટ RCC બોક્સ ન નાંખવા અંગે રૂ. 240 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો છે.
ટેન્ડરમાં કેનાલની વચ્ચે સિંચાઈના પાણી માટે બોક્સ અને વરસાદી પાણીના નિકાલ માટે એમ ચાર બોક્સ નાખવાના હતા પરંતુ નરોડા સ્મશાન ગૃહથી લઈ નવયુગ શાળા સુધીના 2.5 કિલોમીટરના ફેઝમાં કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રાબેલ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રિ – કાસ્ટ બોક્સ નાખવામાં આવ્યા નથી. માત્ર દિવાલ બનાવી દેવામાં આવી છે. ટેન્ડર મુજબ બોક્સ નાખવાની જગ્યાએ માત્ર દિવાલ ઊભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. વિપક્ષી નેતાએ જણાવ્યું છે કે, ખારીકટ કેનાલના પ્રોજેક્ટમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા ડાયફ્રામ વોલ બનાવાઈ છે. જ્યારે અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા રિટેઈનિંગ વોલ બનાવવામાં આવી હોવાનું જોવા મળ્યું છે.
વિપક્ષી નેતાના આક્ષેપો પાયાવિહીન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ, વિપક્ષનાં નેતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને તદ્દન પાયા વિહોણા અને તથ્યવિહીન ગણાવ્યા છે. ખારીકટ કેનાલ પ્રોજેકટમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો નથી. જ્યાં પ્રિ કાસ્ટ બોક્સની જરૂરિયાત હોય ત્યાં બોક્સ અને કાસ્ટીંગ સીટુ બોક્સની જરૂરિયાત હોય ત્યાં તે લગાવવામાં આવે છે. વળાંક અથવા ટેકનિકલ જોઈન્ટમાં જરૂર પડે ત્યાં કાસ્ટીંગ સીટુનો ઉપયોગ થયો છે.


