અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાને લઇને દેશભરમાં શોકની લહેર ફરી વળી છે. દેશના રાજકીય દિગ્ગજો આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્લેનમાં 242 મુસાફરો સવાર હતા. જેમાં 50થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે આ ઘટનાની વિશ્વએ પણ નોંધ લીધી છે. અન્ય દેશના દિગ્ગજો પણ આ ઘટનાને લઇને શોક વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્લેનમાં 50થી વધારે બ્રિટિશ નાગરિકો સવાર હતા.
કેનેડા હાઇકમિશને વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટના અંગે કેનેડા હાઈ કમિશને ઊંડા શોક વ્યક્ત કર્યો છે. ભારતમાં કેનેડા હાઈ કમિશન કહ્યું કે અમારા વિચારો પીડિતોના પરિવારો અને પ્રિયજનો સાથે છે:
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને ટ્વીટ કર્યું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાના ભારતથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનને લઇને શોક વ્યક્ત કરતા કહ્યું કે પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે તમારા દુઃખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે એકતામાં ઉભું છે.
રશિયાના રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યુ દુઃખ
અમદાવાદ વિમાન દુર્ઘટના મુદ્દે રશિયાના રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે તેઓ આ દુઃખની ઘડીમાં પીડિત પરિવારો સાથે છે. પુતિને રાષ્ટ્રપતિ અને પીએમ મોદી પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
યુકેના વડપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાને લઇને યુકેના વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે ભારતના અમદાવાદ શહેરમાં ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન જતું વિમાન ક્રેશ થયું તે દ્રશ્યો ખૂબ જ ભયાનક છે.
વિમાનમાં 242 ભારતીયો હતા સવાર
બીજી તરફ, એર ઇન્ડિયાએ મુસાફરોની યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ, ક્રેશ થયેલા વિમાનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા. રાજ્ય સરકારે એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ જાહેર કર્યો છે, જેમાં ઘાયલોના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
એર ઇન્ડિયાએ ૧૮૦૦-૫૬૯૧-૪૪૪ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સંબંધીઓ આ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશે. અકસ્માત વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે.